SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્તરમો ) શીતપિત્તાદિ પ્રકરણ. (૨૬૩) અને આંખો લાલ એટલાં લક્ષણ થાય છે, અર્થાત્ આવાં લક્ષણે જેને થાય તેને શીતપિત્ત નામને રામ થશે એમ જાણી લેવું. શીતપિત્તનું લક્ષણ. કીડી તથા ભમરીને કરડ્યા જેવા આકારવાળા, ચળવાળા, ઘણી વ્યથા, ઉલટી, તાવ અને બળતરાવાળા જે શરીરના બાહાર સેજે થાય છે તેને શીતપિત્ત કહે છે. આમાં વા યુની પ્રબળતા વિશેષ હોય છે. ઉદર્દનું લક્ષણ. વચમાં નમેલ, રાતાશવાળ, ચળવાળાં ચકરડાંવાળે જે સોજો શિશિર (કુંભ અને મીન શક્રાંતિ) ઋતુમાં થાય તેને ઉદર્દ કહે છે. આમાં કફની પ્રબળતા વિશેષ હોય છે. કઠ તથા ઉત્કંઠનું લક્ષણ. ઉલટીના વેગને રોકવાથી વા ઉલટી બરાબર ન થવાના લીધે પિત્ત તથા કફને વધાર થતાં અને ઉછળેલા અન્નનો નિગ્રહ થતાં ચળવાળાં અને રતાશયુકત જે ધામમાં નીકળે છે તેને કોઠ અને એક ધામાં મટીને બીજાં નવાં ધામઠાં થતાં આવે તેને ઉઠ કહે છે. શીતપિત્ત, ઉદર્દ, કોઠ અને ઉત્કંઠના ઉપાય. કડવાં પરવળ-કુકડલાનાં ફળ, લીંબડો અને અરસે એઓથી ઉલટી કરાવવી અને ત્રિફળા, ગુગળ તથા પીપરને રેચ આપવો એથી શીતપિત્ત મટી જાય છે. અથવા સરસયા તેલનું મર્દન કરવું. શરીરને ઉનાપાણીથી ધોવું. મધ સહિત ત્રિફળાનું સેવન કરવું અને નવકાર્ષિક ગુગળ વગેરેનું સેવન કરવું, જેથી શિતપિત્ત મટી જાય છે. અથવા કડુને સાકર સંગાથે રેચ લેવાથી અથવા જુનો ગોળ અને આદાને રસ ખાવાથી શીતપિત્ત સારી પેઠે મટી જાય છે અને જઠરાગ્નિને પ્રદિપ્ત થાય છે. અથવા ગોળ અને આંબળાં અથવા સુંઠ, મરી, પીપર તથા જવખાર સહિત અજમે ખાવાથી શીતપિત્ત મટે છે. અથવા સરસવ, હળદર, પુવાડીઆનાં બીજ, અને તલ એઓનો કલ્ક કરી તેમાં સરસીયું તેલ મેળવી શરીરે એળે તે, શીત્તપિત મટી જાય છે. અથવા અજમે અને ગોળ ખાય તથા પથ્ય ભોજન કરે તે, સઘળા શરીરમાં થએલે ઉદર્દ ૭ દિવસમાં મટી જાય છે. અથવા મહાતિ નામના ઘીનું સેવન કરી લેતી કઢાવવાથી ઉદર્દ મટી જાય છે. અથવા લીંબડાનાં કુણાં પાંદડાં અને આંબળાને વાટી ઘીમાં મેળવી નિરંતર સેવન કરે તે વિસ્ફોટક, ચળ, કૃમી, શીતપિત્ત, ઉદર્દ, કેન્દ્ર અને કફ વગેરે સર્વને નાશ થાય છે. અથવા છોલેલું આદુ ૬૪ તેલા, ગાયનું ધી ૩૨ તેલા, ગાયનું દુધ ૧ર૮ તલા અને સાકર ૬૪ તેલ લેવી. પીપર, પીપરીમૂળના ગંઠોડા, મરી, સુંઠ, ચિત્રામૂળ, વાવડીંગ, મેથ, નાગકેસર, તજ, તમાલપત્ર, એળચી અને ચૂરો એ પ્રત્યેફ પદાર્થે ચાર ચાર લાભાર લેવા. એઓને વિધિપૂર્વક પાક બનાવો. અર્થ આદાને ઝીણું સુધારી દુધમાં નાખી ભાવે કરી ઘી નાખી કીટી બનાવી અન્ય ઔષધીએનું ચૂર્ણ કરી સાકરની ચાસણી બનાવી પ્રથમ તેમાં કીટી નાખી પછી ઔષધે નાખી એકછવ થાય તેમ હલાવી તૈયાર કરે. તેમાંથી દરરોજ ચાર લાભાર સેવન કરે તે શીતપિત્ત, ઉદર્દ, કઠ, ઉકે, ક્ષય, રક્તપિત્ત, ઉધરસ, શ્વાસ, અરૂચિ, વાયુગોળો, ઉદાવ, સાજે, For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy