SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમૃતસાગર. ( ૨૫૮ ) તર્ગ શાદિ ક્વાથ કહેવાય છે. અથવા મા, ખમણા ઇંદ્રજવ, ગળા, માથ, વજ, સુંઠ, હળદર, દારૂહળદર, ભેાંરીંગણી, લીંબડા, પરવળ, કડ્ડ, ભારંગી, વાવડીંગ, જળજાખવા, પીસુડી, દેવદાર, જળભાંગરા, પીપર, ત્રાયમાણુ, કાળીપાડ, શતાવરી, ખેર, ત્રિફળા, કરીયાતું, બકાયન લીંબડા, ખીબલો, ગરમાળા, ઘઉંલા, બાવચી, રતાંજળી, વાયવરણાં, નેપાળાનાં મૂળ, સાગ, ખડસલીયેપિત્તપાપડે, ઉપલસરી, અતિવિષ, રાતે ધમાસા, ઇંદ્રવરણાં અને વાળે એએને કવાથ કરી પીએ તેા લાંબા કાળના ચામડીના રેગે, અઢારે પ્રકારના કાઢા, વાતરક્ત, સધળા લોહી વિકારના રોગો, વિસર્પ, ચામડીનું બેહેરાપણુ અને આંખના રોગો એ સર્વને નાશ થાય છે-આ વૃજિષ્ઠાદિ કવાથ કહેવાય છે. અથવા કાળાંમરી, નસેાતર, મેથ, શુદ્ધ હરતાલ, શુદ્ધ મશીલ, દેવદાર, હળદર, દારૂહળદર, જટામાંસી, સુખડ, ઈંદ્રવરણાં, કણેર, આકડાનું દુધ, અને ગાયના છાણુના રસ પ્રત્યેક્ પાર્થે! એક એક તાલા ભાર લેવા, શુદ્ધ વછનાગ એ તેાલા ભાર લેવા અને સરસીયું તેલ ૧૬૪ તેલા ભારલઇ એને ચારગણા પાણીમાં તથા બમણા ગૈ:મૂત્રમાં પકાવી તૈલ સિદ્ધ કરવું. આ તેલનું મર્દન કરવાથી કાઢને નાશ થાય છે, તથા ચિત્ર કાઢને વર્ણ બદલાઇ જાય છે. જો આ તેલનું નિત્ય સેવન કરે તેા, ચળ, ખસ, સિઘ્ન, વિચર્ચિકા, પુંડરીકે, દાદર તથા ત્વચાના શૂન્યપણાના નાશ કરી દે છે. આ લઘુરિચાદિ તૈલ કહેવાય છે. અથવા મરી, નસોતર, નેપાળનાં મૂળ, આકડાનું દુધ, છાણુના રસ, દેવદાર, દારૂહળદર, હળદર, જટામાંસી, ઉપલેટ, સુખડ, ઇંદ્રવરણાં, કણેર, હરતાલ, મહુશીલ, ચિત્રક, વઢવાડીયું, મેથ, વાવડીંગ, પુમાડ, સરસડી, ઇંદ્રજવ, લીંબડા, સપ્તપણું, ગળા, ઘેર, સામેા, કરકચ, ખેર, બાવચી, વજ્ર અને માલકાંકણી એ સઘળાં ચાર ચાર તાલાભાર લેવાં, શુદ્ધ વછનાગ ૮ તેાલા ભાર્ અને સરસીયું તેલ ૨૫૬ તાલા ભાર તથા ગામૂત્ર એથી ચારગણું લઇ આ સમસ્ત પદાને લોઢાના વાસણમાં અથવા માટીના વાસણમાં નાખી ધીમા તાપથી પકાવી તૈલ તૈયાર કરવું. આ તેલના મર્દનથી કાઢતા ત્રણા, ખસ, વિચર્ચિકા, દાદર, ચળ, વિસ્ફાટક, શરીરની કરચલીઓ, પળીયાં, મ્હાં ઉ પરના ડાઘ, તલ અને મસા એ સર્વને નાશ કરેછે, સુકમાળપણાને આપે છે, જો આ તેલને રજોદર્શન થયા પછી સ્ત્રી નાસ લે તેા તેના સ્તને વૃદ્ઘાવસ્થા થયા છતાં પણ નમી જતા નથી. બળદ ઘેાડા કે હાથી વાયુથી પીડાતા હોય તે! આ તેલનુ ૩ વાર મર્દન કરવું, જેથી તે પવન વેગે ચાલે છે અર્થાત્ વાયુનો નાશ થઇ જાય છે-આ મહામરિચાદ્વિ તેલ કહેવાય છે. ભાવપ્રકાશ, અથવા શુદ્ધ હરતાલ લઇ સાટેાડીના રસમાં ૧ દિવસ ઘુંટી ગાળે વળે તેવી થાય ત્યારે તેની ટીકડીએ કરી તડકામાં સુકવી પછી સાટોડીના પાંચે આંગના ખાર (રાખ)લઇ હાંલ્લામાં ભરી તેના વચમાં તે હરતાલની ટીકડીઓને મુકી કરી તે ઉપર સાટેાડીના પંચાંગને ખાર ભરી ઢાં કણી ઢાંકી મુખે મુદ્રા દઇ સુકવી, તેને ચુલા ઉપર ચઢાવી બહુજ ધીમા તાપથી નિરંતર પાંચ દિવસ સુધી તાપ દેવા તે, તે રસ સિદ્ધ થાય છે. જ્યારે એની મેળેજ હાંલ્લુ ઠંડુ થઇ જાય ત્યારે ચુલા ઉપરથી ઉતારી ટીકડીઓને આસ્તેથી કાહાડી લઇ તેમાંથી ૧ રતિ ગરૢચ્યાદિ કવાથ ના અનુપાન સાથે સેવન કરે તે! અઢાર જાતના કાઢ, ભયંકર વાતરક્ત અને દુસ્તર ફિરંગ રાગ, એટલા રાતે નાશ કરે છે. આ પ્રયોગ સેવનારે મીઠું, ખટાશ, તિખારસ, અગ્નિને તાપ, તડકો એ સર્વને ત્યાગ કરવા. કદાચ મીઠા વિના ન રહેવાય તેા થેાડા સિંધાલૂતુ સેવન કરવું–આ 'તાલુકેશ્વર રસ કહેવાય છે. વૈઘરહસ્ય. અથવા પારે, ગંધક, મારેલું ત્રાંબુ, મારેલું લાટુ, ગુગળ, ચિત્રામૂળ, શિલાત, ઝેરકાચલાં અને ત્રિફળા અને સમાન Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy