SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૪) અમૃતસાગર, ( તરંગ - ફોલ્લાવાળે, સ્પર્શ શહન ન કરી શકે તે અને ચામડીને ચીરી નાખનાર હેય તે ચર્મદળ કોઢ કહેવાય છે. જે ચળવાળી, કાળાશવાળી અને ઘણું પરૂવેહેવાવાળી નાની ફોલ્લી એ થાય તે વિચર્ચિકા કાઢ કહેવાય છે. જેનાથો હાથ તથા પગ ફાટે અને તેમાં આકરી પીડાથાય તે વિપાદિક કોઢ કહેવાય છે. જે ફેલીઓ પરૂવાળી બહુબળતરાવાળી, ઝીણી ઝીણી, મીઠી ચળવાળી શરીર ફેલ્લિીઓ થાય છે તેને પામ-લુખસ કોઢ કહે છે. જેનામાં તીવ્ર પીડા, બળતરા અને મોટા ફોલ્લાઓ હોય તથા હાથે અને કુલા-કછટાના ભાગમાં ફેલાયેલી હોય અને ઉગ્ર હેય તેને કછુપારસખસ કોઢ કહે છે. જે ચળવાળું, લાલ ફોલ્લીઓવાળું અને પ્રકટ થાય ત્યારથી જ ઉપસેલું જે ચકરડું છે તે દ-દાદર-દરાજ-રીંગ-મજદાર તે છે - ળાશ સહિત રતાશવાળા અને પાતળી ચામડીવાળા ફોલ્લા થાય તે વિસ્ફોટક કહેવાય છે. જે કાળી સુકાયેલી ત્રણના ઠેકાણું જેવી ખરસઠ અને લુખી કીટીઓ થાય છે તેને કિટિભ કોઢ કહે છે. જે ચળવાળા તથા લાલાશવાળા મોટા ફોલ્લાઓથી વીંટાયલ હોય તે અલસક કહેવાય છે. અને જે લલાશ યુક્ત કાળાશવાળું, બળતરાની પીડાવાળું અને ઘણા વણવાળું જણાય તે શતારૂ કોઢ કહેવાય છે. સાત ધાતુઓમાં રહેલા કાઢનાં લક્ષણો. રસ નામના ધાતુમાં પડેલો કોઢ હોય તે, શરીરનો વર્ણ ખરાબ અને લુખાસ યુક્ત થાય છે. ચામડી બેહેરી થાય છે, પરસે ઘણાજ આવે છે અને રોમાંચ (રૂંવાડાં ઉફાં) થઈ આવે છે. - લાહી નામના ધાતુમાં કેઢ પેઠે હોય તે, ચળ આવે અને પરૂ વિશેષ નીકળે છે. માંસ નામની ધાતુમાં કેન્દ્ર પ્રાપ્ત થયો હોય તે, કેન્દ્રનું પુટપણું, હાંમાં શોષ, ખરસઠતા, ફોલ્લીઓનું ઉપડવું, ખેંચાયા કે ભેંકાયા જેવી વ્યથા, મોટા દેલ્લાઓ થાય અને એકજ ઠેકાણે કોઢની સ્થિરતા થાય છે. - મેદમાં પડેલ કે હોય તે, હાથ હુંઠા, ગતિને નાશ, અંગનું ભાંગવું, ક્ષત–ચાંદાનું ફેલાવું અને લેહી તથા માંસમાં પડેલા કઢના લક્ષણ યુકત હોય છે. - હાડકાં કે મજજામાં કોઢ પેઠેલ હોય તે, નાક ચીજું થઈ જાય છે, આંખે રાતી. ક્ષતામાં છવાત,–ઘાંટાનું ખોખરાપણું અને પીડા થાય છે. વીર્યમાં પડેલો કોઢ હોય તો, તેથી સ્ત્રી તથા પુરૂષનાં લેહી અને વીર્ય દેવવંત થઈ જાય છે અને તેથી જે સંતતી પેદા થાય છે . પણ કેવાળી હોય છે. કઢના સાધ્યા સાધ્યપણા વિષે. રસમાં, રૂધિરમાં કે માંસમાં પેલે અને વાયુના તથા કફની પ્રબળતાવાળો કોઢ સીધ્ય છે. મેદમાં પડેલે અથવા બે દેશની પ્રબળતાવાળે કોઢ યાપ્ય–કષ્ટસાધ્ય છે અને માજ્જામાં અસ્થિ-હાડમાં કે વીર્યમાં પડેલે કઢ, બળતરાવાળે, મંદ અગ્નિવાળે, કે ત્રિદો ષની પ્રબળતાવાળો કોઢ અસાધ્ય છે માટે ચિકિત્સા કરવા ગ્ય નથી. બાહારના કેઢિમાં પણ છવાત પડી હોય તો તે અસાધ્ય છે. કઢનું અરિષ્ટ. જે કહના રોગીનું અંગ ચીરાઈ–વીખરાઈ ગયું હોય, પરૂ વગેરે બહુ વહેતાં હેય, આ ખો રાતી રહ્યા કરતી હોય અને કંઠ ખરે થઈ ગયો હોય તથા ઉલટી રેચ વગેરે પાંચ કર્મોના ગુણે લાગુ ન પડતા હોય છે તે કોઢગી યમલેકનો વાસી છે એમ સમજવું. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy