SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૦ ) અમૃતસાગર (તરંગ ચામડીની અંદર આવેલી રગો અથવા નસોને અર્થાત સાતે ચામડી અને નસોને કાપી-ભેદી કે આધી પાછી કરી નાંખી જે શલ્ય કોઠામાં પેસે છે તેનાથી નીચે વર્ણવેલા ઉપદ્રવ થાય છે–એટલે આફરે, તથા ત્રણના મુખમાં અન્ન, મળ-મૂત્રને લઈ બહાર નીકળે છે, જાણવું કે કોઠમાં શલ્ય છે. જે વહુના રોગીનું લેહ અંદરથી એકઠું થઈ રહ્યું છે અર્થાત બહાર વહી ગયું નથી તે વ્રણરોગી પાંડુ રંગવાળો-પીળો થઈ ગયો હોય, જેના હાથ પગ હિમ જેવા ટાઢા હોય, નાથી નીકળત ધાસ ટાઢ, આંખે લાલ અને પેટ વખતો વખત ચઢી આવે તે તેવા વ્રણ રેગીની જીવવાની આશા છોડી દેવી. માંસ, નસ, સ્નાયુ, હાડ અને સાંધાઓ ઉપર થતાં કે ત્રણેની અસર પહોંચતાં થતાં સામાન્ય લક્ષણે, ફેર, બકવા, તમર ખાઈ નીચે પડવું, મન, ઇદ્રિ શુદ્ધિ રહિત વા મોહવત થઈ જાય, ચેત જતું રહે, ગ્લાનિ, ઉષ્ણતા–બળતરા, અંગમાં શિથિલતા, અત્યંત પીડા, શ્વાસ, મૂછ, ઉદ્ધવાત વા વાતજનિત આકરી પીડા થવી, માંસના ધાવણ જેવું શરીરમાંથી લેહીનું વહેવું, સર્વ ઇધિના સ્વાભાવિક ધર્મ-વ્યવહાર બંધ પડી જવાથી આકુલવ્યાકુલતા થવી વગેરે વગેરે ઉપદ્રવ માંસ, નસે, સ્નાયુ, હાડ અને સાંધાઓ ઉપર કોઈપણ પ્રકારનો ઘા વાગવાથી થાય છે. મર્મ રહિત નસોને ક્ષત થતાં કે વિધાતાં તેમાંથી ઇંદ્રધનુષ જેવું કે મોલા ( ચોમાસામાં લાલ મુખમલના રંગ જેવા નાના જીવ થાય છે તે મોલા-મામાની ગાય, સાવકીકરી, બીરઅબોટી, ઇંદ્રગેપ, ઇદ્રવધુ વગેરે વગેરે નામથી ઓળખાય છે. દેશ પ્રસિદ્ધ છે તે) જંતુના રંગ જેવું લાલ લહી ઘણુંજ વહે છે અને આ પ્રકારે પુષ્કળ લોહીને નાશ થવાથી વાયુ કોપ પામી આક્ષે પાદિ અનેક જાતના રોગોને ઉત્પન્ન કરે છે તેને મર્મ રહિત શિરાદિ વિહ્નિકા કહે છે. સ્નાયુ વિદ્ધનાં લક્ષણ–શરીરની સ્નાયુ વિધાતાં વાત સંબંધી કુબજ-કુબડાપને રોગ થાય છે. શરીરમાંના અવયવો પાતળા થઈ જાય છે, રોગી કામ કરવામાં અશકત થાય છે, અત્યંત વેદનાયુક્ત અને લાંબી મુદતે ભરનારે જખમ હોય છે. આ લક્ષણો જણાય ત્યારે જાણવું કે સ્નાયુ ક્ષત થએલ છે. સંધિ વિદ્ધનાં લક્ષણ–શરીરના અણુઓળા-મજાગરાની પેઠે ફરતા, વળતા અને થવા સ્થિર હાડકાઓના સાંધા કપાતાં કે વિધાતાં તે જખમ ઉપર સેજો આવે છે તેમાં ન સહન થઈ શકે તેવી આકરી પીડા થાય છે, શક્તિનો નાશ થાય છે. સાંધાઓમાં સોય ભેંકાયા જેવી વ્યથા થાય છે, તેમાં સોજો હોય અને કોઈપણ કામ કરી શકાય નહીં તે જાણવું કે સાંધે વિધાયો છે તેથી ક્ષત થએલ છે. અસ્થિ વિદ્ધનાં લક્ષણ–જેના શરીરમાં અહર્નિશ અતિ ભયંકર બેસુમાર પીડા થાય તથા જાગતાં, સુતાં, બેસતાં કે હરતાં ફરતાં જરાપણ કળવળે નહીં તે જાણવું કે હાકયું વિધાયેલું છે. શિરાદિ મર્મસ્થાન વિદ્ધનાં લક્ષણ-મર્મ એટલે હાડ વા સંધિસ્થાન ઉપર પ્ર For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy