SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૨) અમૃતસાગર, (તરંગ રતિ ભાર ચૂર્ણ તથા સુંઠનું ચૂર્ણ પણ ૧૨ રતિ ભાર લઈ એ બન્નેને મિશ્ર કરી પાણી સાથે સેવન કરવાથી અસાધ્ય શળ પણ શાંત થાય છે. મહાશથી વ્યાકુળ થએલા જનોએ આ ઉપાય અવશ્ય કરો. આ કુષ્માંડફાર કહેવાય છે. ભાવપ્રકાશ અથવા અજમો, સિંધાલૂણ, શેકેલીહિંગ, જવખાર, સંચળ અને હરડેની છાલ એનું ચૂર્ણ કરી લેગ્ય માત્રાએ (૬ માસા) ઉના પાણીથી લે તે વાયુનું શુળ મટે છે. અથવા સંચળ ટાંક ૧. આમલી ટાંક ૨, જીરું ટાંક ૩, અને કાળાં મરી ટાંક ૪ એઓને ઝીણું વાટી બીજેરાના રસની ભાવના દઈ ઘુંટી ગળી ૪ માસા ભારની કરી તેમાંથી ગોળી ૧ નિરંતર (ઉના પાણી સાથે સેવન કરે છે, વાયુનું શુળ મટે છે. આ સવર્ચલાદિ ગુટિકા કહેવાય છે. અથવા સુંઠ, હરડે, પીપર, નસેતર અને સંચળ એ એ સઘળાં સમાન લઈ ચૂર્ણ કરી યોગ્ય માત્રાએ ઉના પાણી સાથે સેવન કરે છે, સર્વ જાતનાં શળ, આફરે, પેટના રોગ, મસા-અરશ અને આમવાયુ એટલા ગે નાશ પામે છે. આ પંચસમ ચૂર્ણ કહેવાય છે. અથવા સુંઠના કવાથમાં એરંડીયું નાખી શેકેલી હિંગ તથા સંચળનું ચૂર્ણ નાખી પીવાથી તે જ વખતે શુળ મટે છે. અથવા શુદ્ધ વછનાગ, ચિત્રો, સુંઠ, જીરું, વજ, મરી અને શેકેલી હિંગ એ સઘળાં સમાન લઈ તેઓનું વસ્ત્ર ગાળ ચૂર્ણ કરી જળભાંગરના રસની ભાવના દઈ ઘુંટી ચણા જેવડી ગોળીઓ વાળી ૧ ગોળી ઉના પાણી સાથે ખાય તે, તુરત પવનનું રોકાણ, અને જમ્યા પછી ઉપડતું જે શળ તે મટે છે. આ ભાસ્વદ્વટી કહેવાય છે. અથવા શંખને ચૂને, કરકરા, શેકેલી હિંગ, ત્રિકટુ અને સિંધાલૂણ એ સઘળાને બરાબર લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક ૩ ઉના પાણી સાથે લે તે, શળ રોગનો નાશ કરે છે. આ શ્રી નાશન ચૂર્ણ કહેવાય છે. અથવા ચિત્રામૂળ, શેકેલી હિંગ, કાળીપાડ, ત્રિકટુ, પાંચજાતનાં લુણ, જીરું, ધાણા, છડ, અજમો અને પીપરામૂળ એઓને સમાન લઈ વાટી બીરીના રસની ભાવના દઈ ખૂબ ઝીણાં ઘુંટી ગોળી કરી ગોળી ૧ એગ્ય માત્રાએ ઉના પાણી સાથે સેવવાથી, છાતીનું, પડખાંઓનું, આમનું કે પેટનું શૂળ તથા અરૂચિ, અને ૮૦ જાતના વાયુ એટલા રોગ નાશ પામે છે. આ ચિત્રકાદિ ગુટિકા કહેવાય છે. અથવા હરડેદળ, ત્રિકટુ, શુદ્ધ ઝેરકોચલાં, શુદ્ધ ગંધક, શેકેલી હિંગ અને સિંધાલૂણ એ સર્વ સમાન ભાગે લઈ ચૂર્ણ કરી કપડેથી ચાળી પાણી સાથે ચણીબોર પ્રમાણે ગોળીઓ વાળી નિત્ય ૧ ગોળી પ્રભાતે ઉના પાણીથી સેવન કરે તે જન્મનું શળ, સંગ્રહણી, અતિસાર, અજીર્ણ અને અગ્નિમંદતા એ સર્વ રેગેનો નાશ કરે છે. આ શળનાશિની ગુટિકા કહેવાય છે અથવા કોચલા ભાગ ૧, સુંઠ ભાગ ૧, સંચળ ભાગ , અને શેકેલી હિંગ ભાગ લઈ એઓને ઝીણું વાટી કપડેથી ચાળી કાહાડી સરગવાના રસમાં કે લસણના રસમાં ઘુંટી ટીકડીઓ બાંધી અગ્નિ ઉપર શેકી ૧ ટીકડી ઉના પાણીથી ૧ વછનાગને ગાયના મૂત્રમાં પાંચ દિવસ પલાળી મૂકવો, પણ ગોમૂત્ર નિત્ય બદલતા રહેવું. પાંચ દિવસ પછી નાના નાના કકડા કરી છાંઅડામાં સુકવી સુકાયા પછી યત્નપૂર્વક કાચની શીશીમાં ભરી રાખી ઉપગ વખતે એ શુદ્ધ વછનાગ વાપરો. ૨ છાણમાં પાણી મેળવી તેમાં ઝેરકેચલા ૩ દિવસ રાખી પછી ચૂલ્લા ઉપર ચઢાવી અગ્નિ આપવો અને ત્યાર પછી કહાડી લઈ છોલી બે ફાડે કરી વચમાંની ઊભી કહાડી કકડા કરી ખાંડી શીશીમાં ભરી રાખવાં. અથવા તેજ પ્રમાણે માટીમાં પલાળી રાખી સાફ કરવાં. અથવા જરા ધી ચેપડી અંગારા ઉપર શેકી કે તેલમાં તળી નાખી સાફ કરવાં તે શુદ્ધ ઝેરોચલાં કહેવાય છે. ભા, કર્ત. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy