SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૮) અમૃતસાગર, (તરંગ પગ પૃથ્વી ઉપર મૂકતાં વેદના થાય છે, માંડમાંડ ચલાય છે, પિડી તથા સાથળોમાં ગ્લાનિ, ટાહાડા સ્પર્શની ખબર પડે નહીં, સાથળ જાણે લાકડીની કે ભાગેલી હોય તેમ જણાય છે અને અન્યના ઉચકવાથી ઉચકાય છે. ઊરૂસ્તંભનાં સાધ્ય અસાધ્ય લક્ષણ. જે ઊરૂસ્તંભ રોગીને બળતરા, સણકા, સોય ઘચાય તેવી વેદના અને પ્રજારી છૂટે તે, તે મરી જાય છે, પણ જો આ ઉપદ્રએ કરી રહિત અને તેજ રોગ હેય. તે સાધ્ય સમજ. ઊરૂસ્તંભના ઉપાય. - ઊરૂસ્તંભ રોગમાં સ્નેહન, લોહી કઢાવવું, ઉલટી, રેચ અને પિચકારી એઓને ત્યાગ કરવો નહીં તે ઊરૂસ્તભ રોગ ઉલટ વધે છે માટે સ્વેદન, લંધન અને રૂક્ષતા કરનારી દિન યાઓ કરવી. તથા આ રોગમાં આમ, કફ અને મેદની અધિક્યતા હોય છે માટે કફને શમાવનાર અને વાયુને કુપિત નહિ કરનારાં ઔષધ ઉપયોગમાં લેવાં. (વિશેષ ખુલાસે ભાવપ્રકાશ મધ્યખંડના બીજા ભાગમાં જુ.) અથવા ત્રિફળા, પીપર, મેથ, ચવક અને કડુ એએનું ચૂર્ણ મધમાં કાલવી ચાટે તે, ઊરૂસ્તંભ મટે છે. અથવા ગોમૂત્રની સાથે અથવા દશમૂળના કવાથ સાથે શુદ્ધ શિલાજીત, પીપર, સુંઠ કે ગુગળ પીવામાં આવે તે જરૂસ્તભ મટે છે. એમ ભાવમિશ્ર કહે છે. અથવા ભીલામા, ગળો, સુંઠ, દેવદાર, હરડે, સાથે ડી અને દશમૂળ એઓ સમાન લઇ એનો કવાથ કરી સેવન કરે તે જરૂસ્તંભ મટે છે, અથવા રાફડાની માટીને સરસવ મધ સાથે ઝીણી વાટી સાથળે મર્દન કરે તો ઊરતંબ મટે છે. અથવા ઘોડાવજનું ચૂર્ણ ટાંક 3 ઉના પાણી સાથે ફાકે તે ઊરૂસ્તંભ મટે છે. વૈદ્યરહસ્ય. અથવા “ખસન કે લિંબુનો રસ ગેળ સંગાથે કે મધ સંગાથે સેવન કરે તો ઊરૂસ્તંભ મટે છે, કાશિનાથપદ્ધતિ. અથવા ચવક, હરડેની છાલ, ચિત્રમૂળ, દેવદાર, કરકરાનાં ફૂલ અને સરસવ એઓનું ચૂર્ણ કરી ટાંક ૨ મધ સંગાથે ચાટે તે ઊરૂસ્તભ મટે છે. સર્વસંગ્રહ. * પથ્યાપથ્ય. તાજું ભોજન, સાધારણ ઘી, તેલનું મર્દન, પવન ન આવે તેવી જગ્યામાં રહેવું, ભેય સુવું અને જીર્ણમાં ભેજન વગેરે વગેરે પથ્ય છે અને રક્તસ્ત્રાવ, રેચ, ઉલટી, બસ્તિકર્મ, વાયડી વસ્તુ, ઠંડું પાણી, હવામાં ફરવું, ચોખા, મઠ, ચણા, ઘણો મેવો, ઘણું ઘી અને ભારે અજ કુપથ્ય છે માટે ત્યાગન કરવાં. ઊરૂસ્તંભને અધિકાર સંપૂર્ણ - - --: : આમવાતનો અધિકાર આમવાતની નિદાન પૂર્વક સંપ્રાપ્તિ. વિરોધી ભોજનના કરવાથી, વિરૂદ્ધ ચેષ્ટાઓ કરવાથી, તથા મા થયા છે For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy