SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાતમે ) ઉન્માદ પ્રકરણ, ઉન્માદાનાં નિદાનસહ લક્ષા. લુખાં તથા ઠંડાં અન્નાના ખાવાથી, ઉપરા ઉપર વા, આકરા બુલાખ–રેચ લેવાથી, ધાતુઓના ક્ષીણપણાથી, અને ઉપવાસના કરવાથી વાયુ વિશેષ વૃદ્ધિ પામી ચિંતાદિથી ખરાબ થએલા હૃદયને અતિ દૂષિત કરી બુદ્ધિ તથા યાદશક્તિને તુરત નાશ કરે છે, તેથી વિના કારણે હસવું, નાચવું, ગાવું, ખેલવું અને રેવું આદરે છે, ગાળા દે વાંદરની પેઠે મુખની કુચેષ્ટા કરે, શરીર કઠોર, દુર્બળ, કાળુ તથા રાતું થાય અને ભેજન પચ્યા પછી રોગ વધે તા જાણવું કે વાયુના ઉન્માદ છે. અજીર્ણમાં ભાજન કરવાથી, તીખાં, ખાટાં તથા ગરમ અને વિદાહી ભોજનાથી, અથિર બુદ્ધિવાળા મનુષ્યનું સંચિત થએલું પિત્ત વૃદ્ધિ પામી હૃદયને દૂષિત કરી ઉગ્ર ઉન્મા ને ઉત્પન્ન કરે છે. તેથી કાઇનું કહેવું સહન ન કરતાં મરજી પ્રમાણે કામ કરે, ખાટા ભારે આડંબર રાખે, નાગા થઇ જાય, ખીજાને ત્રાસ આપે, મારે, ડાલવા લાગે, નાસી જાય, શરીરમાં બળતરા, ઠંડા પદાર્થેાની ઇચ્છા કરે, છાંયડા ગમે, અને શરીર પીળુ પડે તાજાણવું કે પિત્તના ઉન્માદ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૭ ) થેડી ભૂખ છતાં વિશેષ ભાજન કરે તથા કસરત કરે નહીં તેથી વૃદ્ધિ પામેલે પિત્ત સહિત ક અત્યંત વધ્યા પછી બુદ્ધિ તથા યાદશક્તિનો નાશ કરી નાખે છે અને ચિત્તને માદ્ધયુક્ત કરી ઉન્મત્ત બનાવી દેછે. તે કારણથી ઘેાડુ ખેલે, સ્ત્રીઓ ઉપર વ્હાલ લાવે, એકાંત રહેવું ગમે, નિદ્રા વિશેષ આવે, ઉલટી થાય, બળ જતું રહે, લાળ ઝરે, અને નખ નેત્રાદિ ધોળાં થઇ જાય તથા જમ્યા પછી વ્યાધિ વધે તે જાણવું કે કા ઉન્માદ છે. જેનામાં સર્વ દેવનાં લક્ષણ હોય તે સન્નિપાતના ઉન્માદ જાણવા. આ ઉન્માદમાં ઔષધેા જરાપણ ગુણુ આપી શકતાં નથી; કારણ કે અન્ય ત્રિદોષજન્ય વ્યાધિમાં ત્રશું દોષો ઓછાવત્તાપણામાં હોય છે તેથી સામાવડીઆપણું ધરાવનારી ચિકિત્સા કરવામાં આવે છે તેથી એક ખીજા દાષાથી વિરૂદ્ધ ચિકિત્સા થાય છે, પણ ત્રિદોષ ઉન્માદમાં તે ત્રણે દોષો સમાન પ્રમળતાવાળા હોય છે જેથી એક બીજા દોષોથી વિરૂદ્ધ ચિકિત્સા ક્રામ કરતી નથી. જોકે આમળાં વગેરે યાગવાહી ઔષધે એકદરે સર્વ રોગને મટાડે છે, પણ આ રોગમાં તેવાં આબળાદિ પદાથો પણ ઉપયોગી થનાં નથી માટે આ ઉન્માદની ચિકિત્સા કરવીજ નહીં. ચારા, રાજાના તથા બળવાન શત્રુના ભય-ત્રાસથી અને ભયંકર કર્મના કરવાના છઠ્ઠીવાર્થ, ધનને! નાશ થવાથી. પુત્ર યાત્રાદિ કે, મિત્ર --આદિ વ્હાલા જનાના ભસ્મુથી અને ન પ્રાપ્ત થઇ શકે તેવી તારૂણીના તાનમાં તલ્લીન થવાથી મનમાં કારી બા થાય છે. તેથી મન બગડી ઉન્માદને ઉત્પન્ન કરે છે તેને લીધે મનમાં આવે તેમ લવારા કર્યા કરે, છાની વાતા પ્રકટ કરી દે, સનાના નાશ થાય અને ગાય હસે વે તથા વિચિત્ર ચાળા કરે તે જાણવું કે મનના દુઃખથી ઉન્માદ થયા છે. For Private And Personal Use Only જેની આંખ રાતી થઈ જાય, શરીરનુ ખળ જતું રહે, સર્વ ઈંદ્રિયાની કાંતિ નાસ પામે, મેડ્ડ ુ કાળુ થઇ જાય અને ગરીબ થઇ જાય તે જાણુવું કે વિષના કારણથી ઉન્માદ થયેા છે.
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy