SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાતમા ) મદાત્યય પ્રકરણ (૧૧૩) છે અથવા ચવક, સંચળ, શેકેલી હિંગ, સુંઠ, બીજોરું અને અજમે, એઓનું ચૂર્ણ કરી મદિ રામાં નાખી પીવું. અથવા લાવાં, તેતર, કુકડાં અને જળપ્રાયદેશમાં થએલામૃગો-હરણ તથા માછલાં એના માંસને ભાત સાથે ખાવે. અથવા રૂ૫, જાત, યવન, લાવણ્યતાયુક્ત અને કામ કળામાં અતિ નિપુણ નવયવના ઉર્વર્સિના માનને ઉતારનારી સોળ વર્ષની શ્યામા-સ્ત્રી સંગાથે રતિવિલાસ કરે તે વાયુને મદાત્મય મટે છે. અથવા વૈવન મદમાં મસ્ત બનેલી મન મેહના માનુનીના દયારહિત આલિંગનોથી તથા નિતંબ, સાથળ અને સ્તન એના ગરમીનું સુખ પ્રાપ્ત કરનાર દબાણથી, ગરમ શયાથી, ગરમ ઓઢણથી અને સુખ આપનાર ઘરમાં રહેવાથી પ્રબળ વાયુને મદાત્યય પણ તાકાળ નાશ પામે છે. એમ ભાવમિશ્રનું કહેવું છે. અથવા ધાખ, દાડિમ, ખારેક અને મહુડા એઓનો દારૂ સાકરના સંગથી પી. અથવા ગાયના દહિંનું ઘોળવું સાકર મેળવીને પીવું તે વાયુનો મદાત્યય મટે છે. સારસંહ પિત્તના મદાત્યય ઉપર ઠંડા ઉપાયો જવા. અથવા ઠંડા પાણીમાં અરધો અરધ દારૂ મેળવી તેમાં સાકર અને મધ મેળવી પીએ તે પિત્તનો મદાત્યય મટે છે. અથવા સસલાં, હરણ, તેતર, લાવાં અને કાળપું છાનું માંસ ખાવાથી અથવા બકરાના સેરવામાં સાઠીચોખા ખાવાથી અથવા મીઠા ખાસ ખા ખાવાથી પિત્તને મદાત્મય મટે છે. અથવા પરવળના વૃષથી પણ પિત્તને મદાત્યય મટે છે. કફનો ભદત્યય હેય તે ચંદન તથા વરણવાળાનો લેપ કરવો. અથવા જવ, ઘઉં, કળથી એઓના ખાવાથી અથવા લંઘન અને વમનથી કફને મદાત્યય મટે છે. અથવા કડવી, ખાટી, ખારી, વા લૂણ સહિત વસ્તુના ખાવાથી અથવા સંચળ, જીરું અમ્યુવેતસ, કોકમ એ સઘળાં બરોબર તથા તજ, એળચી, મરી એઓ અરધભાગે અને સાકર સર્વના સમાન લઈ ચૂર્ણ કરી પાણી સંગાથે ફાકે તે કફનો ભદાયેય મટે છે. સનિપાતને મદત્યય હોય તે આમળાના રસમાં શુદ્ધપારે તથા શુદ્ધ ગંધક એ બેની કાજળ ટાંક ૧ નાખી પીવી. તથા વાયુ પિત્ત અને કફના મદત્યયમાં બતાવેલા ઉપાય ઉપયોગમાં લેવા જેથી ત્રિદોષજનિત મદાત્યય નાશ પામે છે. પાનાવિભ્રમ હોય તે ધાખના સરબતમાં તથા કઠાના સરબતમાં કે દાડિમના સરબતમાં મધ અને સાકર મેળવી પીએ તો પાનાવિભ્રમ મટી જાય છે એમ છંદમાં કહેલું છે. ધંતુરાનાં ફળ ખાવામાં આવવાથી મદ થયો હોય તે ભૂરાકેળાના રસમાં ગોળ નાખી પીવાથી અથવા દુધમાં સાકર નાખી પીવાથી વંતુરાને તથા ભાંગ પીવાથી થએલે મદ દૂર થાય છે. ભાગ પીવાથી મદ થયો હોય તે કપાસની જડને રસ પીવે. અથવા વૃત્રાકની જાનો રસ પીવે. અથવા પાતળી છાશ પીવી. અથવા ધી પીવું. અથવા લીંબુના રસમાં સાકર નાખી સરબત કરી પીવાથી ભાંગ અને ધંતુરને મદ મટે છે. અથવા દુધ સાકર પીવાથી ભાંગનો મદ દૂર થાય છે. ઝેર ખાવામાં આવવાથી થએલા મદ માટે લીંબોળીની મીંજ અને મોરથુથું બે માસા ભાર વાટી કાંજીના પાણી સાથે પીવાથી સર્વ પ્રકારના વિષનો મદ નાશ થાય છે. આ ઉપાયો વિવોપચાર ગ્રન્થમાં લખેલા છે. અન્ય વિના મદ માટેનું વિષ પ્રકરણમાં વિવેચન કરવામાં આવશે.) ૧૫ For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy