SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) અમૃતસાગર, (તરંગ આ અરૂચિના અંતર્ભત ભકતદ્વેષ અને ભકતાછંદ એ બે ભેદ રહેલા છે તેને ચરક તથા સુશ્રુતે તે અરેચક રોગનાજ પેટામાં ગણેલ છે પણ વૃદ્ધજનો મત તે એ બેથી જૂજ છે. કહે છે કે-“મેહડામાં નાખેલા ભોજન પદ મીઠા ન લાગે તેનેજ અરૂચિ જાણવી, પણ મનથી ભજનનું ચિંતવન કરી, ભજનને નિહાળી કિંવા તેને સ્પર્શ કરી ભોજન પ્રત્યે દ્વેષ ઉપજે છે તે ભક્તષ કહેવાય અને ધથી, વ્હીકથી, પ્રેમના રોધથી, ભક્તિના રોકાણથી જે અન્ન ઉપર અશ્રદ્ધા ઉપજે છે તે ભકતા કહેવાય છે.” ઉપાય. ભજન કરતાં પહેલા નિરંતર આદાને સિંધાલુણ લગાડી તેનું સેવન કરવું તે તે અરૂચિ, મંદાગ્નિ તથા જીભના વિરસપણાનો નાશ કરે છે અને જીભને તથા કઠને સાફ રાખે છે. અથવા મધની સંગાથે આદાનો રસ પીવો જેથી અરૂચિ, ઉધરસ અને શ્વાસ નાશ થાય છે. તથા સલીખમ–કફ મટે છે. અથવા પાકેલી મીઠી આંબલીનું સાકર સહિત સરબત, બરફ કે ઠંડા પાણી સાથે બનાવી કપડાથી ગાળી તેમાં એલચી, લવીંગ, મરી અને બરસને પ્રતિવાસ દઇ તે સરબત પીએ તે કિંવા તે સરબતના કેગળા જે વારંવાર મોડામાં રાખે તે અરૂચિનો નાશ કરે છે અને પિત્તનું શમન કરે છે. આ અશ્લીકાપાનક કહેવાય છે. અથવા શેકેલી રાઈ, શેકેલું જીરું, શેકેલી હિંગ, શેકેલી સુંઠ, સિંધાલૂણ અને ગાયનું દહિં એ સર્વને મિશ્રિત કરી એટલે દહિં વિના બીજી ઔષધીઓનું ઝીણું ચૂર્ણ કરી દહીમાં નાખી વસ્ત્રથી ગાળી લઇ તેમાંગાયની જાડી સુંદર છોશ જોઈએ તેટલી નાખી પીએ તે અરૂચિ મટે છે અને જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. અથવા સારી પેઠે કહેલું દુધ અને લુગડામાં બાંધીને પાણી વગરનું કરેલું ભેશનું દહિં એ બન્નેને એકઠાં કરી તેમાં જોઈએ તેટલી સાકર નાખી છણી કહાડી, એળગી, લવીંગ, બરાસ અને મરી એઓનું ઝીણું ચૂર્ણ કરી તેમાં નાખી પીએ તે તાત્કાળ રૂચિ થાય છે. આ ઉત્તમ શીખરણ-શીખંડ કહેવાય છે. અથવા દાડિમના દાણ તોલા ૮, સાકર તલા ૧ર, અને ત્રિસુગંધી (તજ, તમાલ અને એલચી) એક તેલ લઈ ઝીણું ચૂર્ણ કરી યોગ્ય માત્રાથી સેવન કરે તો અરૂચિ મટે છે, અગ્નિને પ્રદિપ્ત કરે છે, જ્યર, સળીખમ તથા ઉધરસને મટાડે છે અને પાચન ગુણવાળું છે. આ દાડિમાદિ ચૂર્ણ કહેવાય છે. અથવા લવીંગ, મરીચયંકળ, વાળ, ચંદન, તગર, કમળકાકડીના ગેળા, કાળીજીરી, વીરણવાળો, અગર, નાગકેસર, પીપર, સુંઠ, એલચી, તજ, ચિત્રો, બરાસ, જાયફળ અને વંશલોચન એ સમાન ભાગે તથા તેઓનાથી અધ ભાગે સાકર એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક ૧ ભાર પાણી સાથે સેવન કરે તે અરૂચિ, મં ગ્નિ, ક્ષીણતા, બંધકોષ, ઉધરસ, હેડકી, ક્ષય–શેષ, સંગ્રહણી, અતિસાર, પ્રમેહ, તમકનામને શ્વાસ, તથા ગળગ્રહ, સળીખમ અને ઉરઃક્ષત-છાતીમાંની ચાંદી એટલા ગેનો નાશ કરે છે તથા રૂચિ કરનાર, તૃપ્તિ કરનાર, અગ્નિને દિપાવનાર, બળ આપનાર, મૈથુન શક્તિને વધારનાર અને વિદેપને જીતનાર છે. આ લવંગાદિ ચૂર્ણ કહેવાય છે. ભાવપ્રકાશ, અથવા વરીઆલી, જીરું, મરી, કોકમ, અમલદ, સંચળ, ગોળ, મધ, બીજેરાના કેસરા, તજ, તમાલપત્ર, વંશલોચન, એળચી, દાડિમના દાણા અને જીરૂં એટલાં ઔષધે અધેલા અધેલા ભાર લઈ અથવા પંચકેલ, મરી, અજમોદ, કોકમ, અશ્લસ, આસગધ, અજમે અને જેઠવડી એ સઘળાં અધેલા અધેલા ભાર અને સાકર ટાંક ૪ લઈ For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy