SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) અમૃતસાગર, (તરંગ-- - - - - - - - - - જે બોલતી વખતે મોહેરમાંથી ધુમાડે નીકળે તે જાણવું કે ક્ષયને સ્વરભંગ છે. જે ગળામાનું ગળામાંજ બેલાય-અન્યજનના સાંભળવામાં તેને શબ્દ સમજાય - હી, રહી રહીને બોલે, ગળામાં અવાજ થાય, તૃષા ઘણી લાગે અને કફ કે મેદથી ગળું ખાયેલું રહે તે જાણવું કે શરીમાં મેદ વધી જવાથી સ્વર ભંગ થયો છે. સ્વરભેદનું અસાધ્યપણું. જન્મથી પ્રાપ્ત થયેલ, ક્ષયરોગીને થયેલેવૃદ્ધ, નિબળ-દુર્બળને, અને લાંબા વખતથી થએલ તથા મેદ-શરીર ફલી જવાથી કે ત્રિદેપથી થએલે સ્વરભંગ મટતો જ નથી. ઉપાય. વાયુ વગેરેથી થએલ શ્વાસ અને ઉધરસને મટાડવાના જે જે પાછળ ઉપાય કહેલા છે તે તે ઉપાય દેવાની પદ્ધતિને અનુસરી સ્વરભંગના પણ ઉપાય કરવા. અથવા વાયુથી સાદ બગડેલ હોય તે મીઠું અને તેલથી મિશ્ર કરેલા પદાર્થો ખાવા. પિત્તથી સાદ બગડે છેય તે ધી અને મધ વિષમ પ્રમાણમાં ખાવાં. અથવા ગળાનું, તાળવાનું અને અવાળનું લેહી કઢાવવાથી આરામ થાય છે. અથવા ઉના પાણીના પીવાથી વાયુનો સ્વરભંગ મંટે છે. અથવા ઘી તથા ગેળ મેળવીને ખાવાથી વાયુને સ્વરભેદ મટે છે. અથવા ઉનું દુધ પીવાથી પિત્તને સ્વરભંગ મટે છે. અથવા પીપર, પીપરામૂળ અને મરીનું ચૂર્ણ ગોમૂત્ર સંગાથે પીએ તો કફન સ્વરભંગ મટે છે. અથવા રીંગણ તલા ૪૦૦, પીપરીમૂળ તેલા ૨૦૦, ચિત્રકલા ૧૦૦ અને દશમૂળ તેલા ૧૦૦, એટલા પદાર્થોને ૨૦૪૮ તોલા પાણીમાં નાખી ઉકાળવાં, ઉકળતાં ઉકળતાં જ્યારે આઠમા ભાગનું પાણી બાકી રહે ત્યારે નીચે ઉતારી કપડાથી ગાળી કહાડવું. તે પાણીને અરધા ભાગે જૂનો-ત્રણ વર્ષનો ગોળ નાખી કરી અગ્નિ ઉપર ચઢાવી માવા જેવો થાય ત્યારે નીચે ઉતારી તેમાં બત્રીશ તોલા ત્રિાત, ૪ તેલા મરી, એઓનું ચૂર્ણ અને મધ તેલા ૧૬ નાખી હલાવી એકછવ કરી અવલેહ તૈયાર કરો. તેમાંથી દેશ, કાળ, વય, અગ્નિ અને રોગીના રોગનું બળ નિહાળી ગ્ય માત્રાએ આપે તે ઉધરસ, શ્વાસ, મંદાગ્નિ, ગળો, પ્રમેહ, ગળાના રોગ, ઝાડાના વેગને અટકાવવાથી પેટમાં થએલો આફરો, મૂત્રકૃચ્છ, ગાંઠોના રોગ, અને રસળી વગેરેને નાશ કરે છે. આ નિદિધિકાવલેહ કહેવાય છે. એમ ભાવમિશ્રનું કહેવું છે. અથવા બેડીઅજમે, હળદર, ચિત્રકમૂળ, જવખાર અને આમળાં એટલાં ઔષધો બરાબર ભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક ૨ ભાર ધી મધના સેગે ચાટે તે યંકર સ્વરભંગ પણ નાશ પામે છે. અથવા હરડેની બલ, સુંઠ અને પીપર એઓનું ચૂર્ણ કરી ઉના પાણી સંગાથે સેવન કરે તે ક્ષયનો સ્વરબંગ મટે છે. વૈિદ્યવિદ, અથવા “બેહેડાની છાલ, પીપર, સિંધાલણ અને આમળાં એઓનું ચૂર્ણ ગાયની સુંદર છોશ સંગાથે કે સ્વચ્છ ગૌમૂત્ર સંગાથે પીએ તે સ્વરભેદ મટે છે. વૃદ. અથવા જાયફળ, પીપર, નીલ અને બીજા પુષ્પના કેસરા એને સૂક્ષ્મ વાટી મધમાં ચાટે તે સ્વરભંગ મટે છે અને સ્વર ઘણેજ સુંદર થાય છે. આ જાયફળ અવલેહ કહેવાય છે. સર્વસંગ્રહ, અથવા પાનની જડ (કુલજન) મેહડામાં રાખે છે સ્વરભંગ મટે છે. અથવા ચવક, અમલદ, સુંઠ, મરી, પીપર, કોકમ (તિતડીક), તાલીસપત્ર, જીરું, વંશલોચન, તમાલપત્ર, અને ચિત્રામૂળ એનું વિધોકત ચૂર્ણ કરી તેનાથી તજ, તમાલપત્ર, અને એળી એ ત્રણવસ્તુઓ વિજત સંજ્ઞાથી ઓળખાય છે. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy