SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજી પ્રકરણ નને ક્ષણવારમાં ભસ્મ કરી નાખે છે, તે કારણને લીધે અગ્નિરૂપ રાગ બસ્મક કહેવાય છે. તે જ ભૂખને રોકે તો તે અગ્નિ ધાતુઓને વધવા લાગે છે. જે ભાગ્નિ અત્યંત જેર ઉપર આવે તે તરશ, પરસેવો, બળતરા, મૂછા, ઈદિકને ઉત્પન્ન કરી અને તુરત પકાવી તાકાળ ધાતુઓને નાશ કરે છે. અજીગની ઉત્પત્તિ વિશેષ પાણી પીવાથી, વિષમ બેજન કરવાથી, મૂત્ર-મળના વેગને રોકવાથી, દિવસે સુવાથી, રાત્રે જાગવાથી, અને ઉજાગર કરવાથી પ્રાસને કરેલાં હિતકારી અજાદિ સમય પ્રમાણે ઉપભોગમાં લીધા છતાં પણ પાચન થતાં નથી. તથા નિરંતર તૃષ્ણ, ભય, ક્રોધ, ચિન્તા, ભ, રોગ, દીનતા અને દેપથી ઘેરાએલાજનોનું વખતસર ખાધેલું, પય, હલકું અને સ્નિગ્ધ ઉષ્ણ ભજન પણ પૂર્ણરીતે પચતું નથી, અર્થાત્ એવા મનુષ્યને અપચો થાય છે અને અજીણના વ્યાધિઓ ઉત્પન્ન થાય છે, જે મનુષ્ય પ્રમાણ વગર પશુઓની પેઠે અન્ન જમે છે તેઓને કોલેરાદિ રોગોના સમૂહના મૂળ કારણ રૂ૫ અજીર્ણ થાય છે અથવા તે આહારની વિષમતાથી અજીર્ણ થાય છે અને તે અoથી રોગોને સમન થાય છે કે જે રોગ સમૂહ અજીર્ણ નાશક ઉપાય થીજ મટે છે. અજીર્ણનાં સામાન્ય લક્ષણ સ્થા સંખ્યા. ગ્લાનિ, ભારેપણું, સજડપણું, ભ્રમ, વાયુને અવરોધ, ઝાડાને કબજે થાય અથવા બહુ ઝાડા લાગ્યા કરે તે જાણવું કે અજીર્ણ થયું છે. તે અજીર્ણ રોગ જ પ્રકારનો છે. આમાજીર્ણ ૧, વિદગ્ધાજીર્ણ ૨, વિષ્ટબ્ધાજીર્ણ ૩, રસશેષાજીર્ણ ૪, અજીર્ણ ૫, અને પ્રતિવાસર , એ ક પ્રકાર છે. તે પૈકી કફથી આમાજીર્ણ થાય છે, અને પિત્તથી વિદગ્ધાજીર્ણ થાય છે. ખાધા પછી પાકેલા કવરૂપમાંથી કાંઈક કા ભાગ રહી જાય તે રસશેષાજીર્ણ, ખાઘેલું અન્ન તેજ દિવસે ન પચતાં બીજે દિવસે પચે તે અજીર્ણ, અને વિરેને ન ઉત્પન્ન કરના જે અા પ્રત્યે દિવસે થાય છે એટલે જ્યાં સુધી પચ્યું ત્યાં સુધી અજીર્ણ કહેવાય તે પ્રતિવાસર અજીર્ણ કહેવાય છે. આ અજીર્ણમાં જમવાને નિષેધ નથી; કારણ કે, સવારનું જમેલું અજીર્ણ છતાં પણ સાંઝે જમવામાં હરકત નથી. પ્રત્યેક અજીર્ણનાં લક્ષણે. આમાણમાં પેટ તથા શરીર ભારે રહે, વમનની શંકા રહે, ગાલ તથા . ખના ડોળા ઉપર થર જણાય અને ખાધેલું ન પચ્યા જેવાજ ઓડકાર આવ્યા કરે તથા મળ કાચો ઉતરે. - વિદગ્ધાજીર્ણમાં ભ્રમ, તૃશા, મૂચ્છ, પિત્તને લીધે સંતાપ, શેષ, બળતરાદિ વિવિધ પ્રકારની ગરમીના વ્યાધિઓ થાય અને ધમાડાવાળા ખાટા ઓડકાર આવે તથા પરસેવો વળે છે. વિષ્ટબ્ધાજીર્ણમાં શૂળ, આફરે, વાયુની અનેક પ્રકારની પીડાઓ થાય, મળ તથા દાનો પવન રોકાય, અંગે સજડ થઈ જાય અને મૂછ તથા સોય ભોંકાયા જેવી અંગમાં પીડા થાય છે રસશેષાજીર્ણમાં અન્ન ઉપર અરૂચિ, છાતીમાં દુખાવો, શરીર ભારે અને બેચેન રહે છે For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy