SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ ૬ મ : ૪૧ : પરિપુ પર ક્રોધ-ઉપસર્ગ કરનાર સાથે મૈત્રી. धत्से कृतिन् ! यद्यपकारकेषु, क्रोधं ततो धेह्यरिषट्क एव । अथोपकारिष्वपि तद्भवार्तिकृत्कर्महन्मित्रबहिर्द्विषत्सु ॥१०॥ હે પંડિત! અહિત કરનારા, ઉપર ક્રોધ ન આવતે, કામ ક્રોધ લેભ માન મદ હર્ષ, ષરિપુ નિભાવતે; અહિત કરનારા ઓળખતા, તુજ કર્મ રીપુ નાસશે, પરિસહ હિતેચ્છના થતા, તે જ દિલમાં ભાસશે. ૧૦ - “હે પંડિત ! જે તારું અહિત કરનાર ઉપર તું ક્રોધ કરતે હૈ તે પરિપુ (છ શત્રુ-કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ) ઉપર ક્રોધ કર, અને જે તું તારા હિત કરનારા ઉપર પણ ક્રોધ કરતો હોય તો સંસારમાં થતી સર્વ પીડા કરનારાં જે કર્મો છે તેઓને હરી જનાર (ઉપસર્ગો કરનારા વિગેરે) જે ખરેખર તારા હિતેચ્છુ છે અને બાહ્ય દૃષ્ટિથી જે તારા શત્રુ જેવા લાગે છે તેના ઉપર ક્રોધ કર.” ૧૦ ઉપજાતિ. માયનિગ્રહ ઉપદેશ. अधीत्यनुष्ठानतपःशमाद्यान् , धर्मान् विचित्रान् विदधत्समायान् । न लप्स्यसे तत्फलमात्मदेहक्लेशाधिकं तांश्च भवांतरेषु ॥ ११ ॥ શાસ્ત્રાભ્યાસ ધમનુષ્ઠાન, તપસ્યા આદિ જે કરે, શમ આદિ બહુ ધર્મકાર્યો, માયા સહિત તે આદરેક એ તારા શરીરને કલેશ, ઉપરાંત બીજું શું કરે? બીજું ભવાંતરે ફળ નહિં, પણ એ જ ધર્મ વિમુખ ઠરે. ૧૧ શાસ્ત્રાભ્યાસ, ધર્માનુષ્ઠાન, તપસ્યા, શમ વિગેરે વિગેરે અનેક ધર્મો અથવા ધર્મકાર્યો માયા સાથે આચરે છે, તેથી તારા શરીરને કલેશ થવા ઉપરાંત ભવાંતરને વિષે બીજું કાંઈ પણ ફળ મેળવવાનો નથી, અને તે ધર્મો પણ ભવાંતરમાં મળવાના નથી.” ૧૧ ઉપજાતિ. ૧ વરિપુ-છ આંતરશત્રુઓ. For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy