SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -કલ્પમ : ૧૩૩ : શરૂઆતે કડવા લાગે, પણ સુન્દરતા પરિણામે, બન્ને પ્રકારના તપો કરવામાં, કાયમ દિલ રમે, વિનાશ કરે કુકર્મ ઢગલાને, ભાવવડે આદરે, જિમ રસાયણે દુષ્ટ રેગ જઈ, આરોગ્ય શરીર કરે. ૨ શરૂઆતમાં કડવાં લાગે તેવાં પણ પરિણામે સુંદર બન્ને પ્રકારના તપે હમેશાં કરવાં. તે કુકર્મના ઢગલાને તુરત વિનાશ કરે છે, જેવી રીતે રસાયણ દુષ્ટ રોગોને દૂર કરે છે તેમ.” ૨. ઉપજાતિ. શીલાંગ-ગ-ઉપસર્ગ-સમિતિ-ગુપ્તિ. विशुद्धशीलांगसहस्रधारी, भवानिशं निर्मितयोगसिद्धिः । सहोपसगांस्तनुनिर्ममः सन् , भजस्व गुप्तीः समितीश्च सम्यक् ॥३॥ તું અઢાર હજાર શુદ્ધ, શિલાંગ રથ ધરી થાજે, યેગ સિદ્ધિ નિષ્પાદિત થા, તજી મમતા શરીર કાજે; ઉપસર્ગો સહુ સહન કરીને, શુભ વૃત્તિઓ દિલ સજે, સમિતિ ગુપ્તિએ આદિ પણ, સારી રીતે સદાય ભજે. ૩ તું (અઢાર) હજાર શુદ્ધ શિલાંગને ધારણ કરનારે થા, ગસિદ્ધિ, નિપાદિત થા, શરીર પરની મમતા દર મૂકીને ઉપસર્ગોને સહન કર, સમિતિ અને ગુપ્તને સારી રીતે ભજ.” ૩. ઈદ્રવજા. સ્વાધ્યાય-આગમા–ભિક્ષા વિગેરે. स्वाध्याययोगेषु दधस्व यत्नं, मध्यस्थवत्यानुसरागमार्थान् । अगारवो भैक्षमटा विषादी, हेतौ विशुद्ध वशितेंद्रियौघः ॥४॥ સજઝાય ધ્યાન વિષે યત્ન કર, માધ્યસ્થ બુદ્ધિ દિલે ઠરે, આગમ અર્થને અનુસરી, ઈન્દ્રિયસમૂહને વશ કરે; અહંકારને મૂકી દઈને, ભિક્ષા કાજ સદાય ફરે શુદ્ધ હેતુમાં વિષવાદ રહિત થતા આત્મનું હિત કરે. ૪ સઝાયધ્યાનમાં યત્ન કર, મધ્યસ્થબુદ્ધિથી આગમના અર્થને અનુસર, અહંકાર મૂકી દઈને ભિક્ષા માટે ફર, તેમજ ઈદ્રયિના સમૂહને વશ કરીને શુદ્ધ હેતુમાં વિષવાદ રહિત થા.” ૪. આ ઉપજાતિ. For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy