SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૧૬ : અધ્યાત્મપોતાની મેળે પ્રાપ્ત થયેલ અત્યંત અલ્પ કષ્ટને પણ તે સાધુ! કેમ સહન કરતો નથી ?” ૪૪ ઉપજાતિ. થતિસ્વરૂપ-ભાવદર્શન,” यो दानमानस्तुतिवंदनाभि ने मोदतेऽन्यैर्न तु दुर्मनायते । अलाभलाभादिपरीषहान् सहन् , यतिः स तत्वादपरो विडंबकः ॥४५॥ જે પ્રાણું દાન માન સ્તુતિ, નમસ્કાર આદિવડે, ખુશી ન થાતે એહથી, વિપરીત થતાં કેઈ નડે; અસત્કાર નિન્દા આદિ અસહ્ય, પરિસહ કઈ કરે, યતિ સહેતા પરમાર્થવૃત્તિ, અવર વેશવિડંબક કરે. ૪૫ “જે પ્રાણી દાન, માન (સત્કાર), સ્તુતિ અને નમસ્કારથી ખુશી થઈ જતો નથી અને તેથી વિપરીતથી (અસત્કાર, નિદા વિગેરેથી) નાખુશ થતો નથી અને અલાભ વિગેરે પરીષહને સહન કરે છે તે પરમાર્થથી યતિ છે, બાકી બીજાઓ તે વેશવિડંબક છે.” ૪૫ ઈંદ્રવંશા પતિએ ગૃહસ્થની ચિન્તા ન કરવી.” दधद्गृहस्थेषु ममत्वबुद्धिं, तदीयतप्त्या परितप्यमानः । अनिवृतांतःकरणः सदा स्वैस्तेषां च पापेभ्रमिता भवेऽसि ।४६। મમત્વ બુદ્ધિ ગૃહસ્થ પર, સુખ દુખ તેને આવતા, ચિન્તાવડે તપતા હૃદય પર, વ્યાકૂળતા દિલ લાવતા તારા તેઓના પાપથી, એ મોહના સાધન વડે, અનાદિકાળથી રખડતા, એહિ સંસારે આથડે. ૪૬ ગૃહસ્થ ઉપર મમત્વબુદ્ધિ રાખવાથી અને તેઓનાં સુખદુઃખની ચિંતાવડે તપવાથી તારું અંત:કરણ સર્વદા વ્યાકુળ રહેશે, અને તારાં અને તેનાં પાપથી તું સંસારમાં રખડ્યા કરીશ.” ૪૬ ઉપજાતિ For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy