SearchBrowseAboutContactDonate
Page Preview
Page 930
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૦ યોગ્ય છે. એ જ કેવલજ્ઞાન પ્રાપ્તિનો ઉપાય છે. (૪) શ્રતને અનાદિનિધન પ્રવાહરૂપ આગમ-શબ્દબ્રહ્મ કહ્યું અને કેવળી શબ્દના બે અર્થ કર્યા () સર્વજ્ઞ, (૯) પરમાગમને જાણનાર શ્રુતકેવળી. (૫) જેમાં ચૈતન્યના કેટલાક વિશેષો ક્રમે પરિણમે છે એવા શ્રુતજ્ઞાન વડે કેવળ આત્માને અનુભવે છે. શ્રુતકેવળી દીવાસમાન શ્રુતજ્ઞાન વડે આત્માને ઈંખ-અનુભવે છે. (૬) આગમ શાસ્ત્રોનું પ્રબળ જ્ઞાન ધરાવનાર, તીર્થકર કોટિનો તે પુરુષ. (૭) જે બાવ શ્રુતજ્ઞાનદ્વરા આત્માના કેવળ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે તેમને શ્રુતકેવળી કહેવામાં આવે છે. (૮) જે ભાવ શ્રુતજ્ઞાન દ્વારા આત્માના કેવળ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે તેમને શ્રુતકેવળી કહેવામાં આવે છે. જિનેન્દ્ર ભગવાનના જે શ્રુતનો-સૂત્રરૂપ આગમનો-અહીં નિર્વેશ કર્યો છે તે પૌદ્ગલિક વચનો દ્વારા નિર્દિષ્ટ હોવાથી દ્રવ્યશ્રત છે.-સ્વતઃ જ્ઞાનરૂપ ન હોતાં પુલનાં રૂપમાં છે. તેની જ ક્ષતિ-જાણકારી તે ભાવ-શ્રુતજ્ઞાન કહેવાય છે. ભાવ-શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ થવાથી તે દ્રવ્ય-શ્રતને પણ ઉપચારથી-વ્યવહારનયથી શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. સૂત્ર તો ઉપાધિરૂપ હોવાથી છૂટી જાય છે. જ્ઞાતિ-જાણકારી જ બાકી રહી જાય છે. તે ક્ષતિ કેવળજ્ઞાનીની અને શ્રુતજ્ઞાની ની આત્માના સમ્યક અનુભવમાં સમાન જ હોય છે. વાસ્તવમાં જ્ઞાનનો શ્રત-ઉપાધિરૂપ ભેદ નથી. સ્યાદ્વાદરૂપ શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન બન્નેમાં સર્વ તત્તપ્રકાશનમાં સાક્ષાત્ -અસાક્ષાનો પ્રત્યક્ષ-પરોક્ષનો ભેદ છે. જીવાજીવાદિ તત્ત્વોને યથાર્થરૂપે જાણવામાં કોઈ અંતર નથી. (૯) ભાવશ્રુત દ્વારા અંતર આત્માને જાણે એ તો પરમાર્થ શ્રુતકેવળી છે. પરંતુ જ્ઞાનની પર્યાય બીજું બધું જાણે, સર્વ શ્રુત જાણે, બાર અંગ જાણે, છ દ્રવ્ય અને તેમના (૧૦) સર્વજ્ઞ ભગવાનના શ્રીમુખેથી નીકળેલી વાણી(સમસ્ત બંદશાંગ) ના જાણનારા ગણધરદેવ આદિ શ્રુતકેવળી છે. (૧૧) અંદરના ભાવજ્ઞાનમાં પૂરા, સર્વ અર્થ સહિત આગમને જાણનારા (૧૨) જે મૃતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે તે તો પરમાર્થ છે. પ્રથમ શ્રુતથી એટલે ભાવ મૃતથી કે જે ભાવશ્રુત રાગ વિનાનું નિમિત્ત વિનાનું, મનના સંબંધ વિનાનું છે તેનાથી કેવળ અખંડ એક શુદ્ધ આત્માને જાણે તે શ્રુતકેવળી છે એ તો પરમાર્થ છે, નિશ્ચય છે. યથાર્થ છે. અને જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે. - તે વ્યવહાર છે. સર્વ શ્રુતજ્ઞાનને જાણે એટલે પર પદાર્થનું બધું જ્ઞાન પોતાની પર્યાયમાં જાણે તે શ્રુતકેવળી છે. એ વ્યવહાર છે. ભાવકૃતથી જે પ્રત્યક્ષ એક શુધ્ધાત્માને જાણે તે શ્રુતકેવળી એ નિશ્ચય અને જે સર્વશ્રુતજ્ઞાનને જાણે તે શ્રુતકેવળી એ વ્યવહાર છે. આ તો જન્મ મરણ મટાડવાની, ભવનાં અંતની વાત છે. જે જ્ઞાનની પર્યાયમાં બીજું બધું જણાયું એ જ્ઞાન પર્યાય શેયની છે કે આત્માની ? એ જ્ઞાન શેયનું નથી પણ એ જ્ઞાન આત્મા સાથે સંબંધ ધરાવે છે. એટલે સર્વને જાણનારું એ પાન આત્મા જ છે. આમ જ્ઞાન તે આત્મા એમ ભેદ પડતો હોવાથી વ્યવહાર છે. (૧૩) ચૌદ પૂર્વ અને બાર અંગ આગમોના ધરનાર તે શ્રુતકેવળી. (૧૪) અંદરના ભાવજ્ઞાનમાં પૂરા, સર્વ અર્થ સહિત આગમને જાણનાર. (૧૫) શ્રત એટલે અનાદિ અનંત પ્રવાહરૂપ આગામ-શ્રુતકેવળી એટલે સર્વજ્ઞ ભગવાનના શ્રીમુખેથી નીકળેલી વાણી (સમસ્ત દ્વાદશાંગ)ના જાણનારા. ગણધરદેવ આદિ શ્રુતકેવળી છે. (૧૬) સકળ દ્રવ્યકૃતના ધરનારા, ચૌદ પૂર્વ અને બાર અંગના ધરનારા એવા શ્રુતકેવળીઓ. (૧૭) સકળ દ્રવ્યશ્રુતના ધરનારા, ચૌદ પૂર્વ અને બાર અંગના ધરનારા એવા શ્રુતકેવળીઓ. શ્રતગતરો મોહનો અભાવ કરી સ્વરૂપમાં સાવધાન રહો, નિત્ય સ્વાધ્યાય કરો. થતાન :શ્રુત એટલે સૂત્ર અને સૂત્ર એટલે ભગવાન અહંત. સર્વ સ્વયં જાણીને ઉપદેશેલું, ચાત્કાર જેનું ચિહ્ન છે એવું. પૌદ્ગલિક શબ્દબ્રહ્મ. જેની શક્તિ (શબ્દબ્રહ્મને જાણનારી જાણનક્રિયા) તે જ્ઞાન છે. શ્રુત (સૂત્ર) તો તેનું (જ્ઞાનનું) કારણ હોવાથી જ્ઞાન તરીકે ઉપચારથી જ કહેવાય છે. (જેમ અન્નને પ્રાણ કહેવાય છે તેમ) આમ હોવાથી અમ ફલિત થાય છે કે “સૂત્રની ક્ષતિ' તે શ્રુતજ્ઞાન છે. હવે જો સૂત્ર તો ઉપાધિ હોવાથી તેનો આદર ન કરવામાં આવે તો “ક્ષતિજ બાકી કહે છે. (સૂત્રની શક્તિ કહીએ છીએ ત્યાં નિશ્ચયથી ક્ષતિ કાંઈ પૌદ્ગલિક સૂત્રની નથી, આત્માની છે, સૂત્ર જ્ઞતિના સ્વરૂપભૂત
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy