SearchBrowseAboutContactDonate
Page Preview
Page 880
Loading...
Download File
Download File
Page Text
________________ વિશુદ્ધિસ્થાન એટલે કષાયની મંદતા, કષાયની મંદતા એટલે શુભપરિણામ, દયા, દાન, પૂજા, ભકિત વગેરે તે બધા શુભ પરિણામ છે. તે બધાંય આત્માને નથી. કારણ કે તે વિકાર છે અને વિકાર છે તે આત્માનો સ્વભાવ નથી માટે શુભપરિણામ તે બધાય આત્માને નથી. અશુભ પરિણામ ટાળવા માટે શુભ પરિણામ આવે ખરાં પણ તે વિકાર છે. તેનાથી આત્માને લાભ નથી. શુભ પરિણામનો આશ્રય તે વિકારનો આશ્રય છે. તેનાથી આત્માને હિત નથી. આત્માના સ્વરૂપનો આશ્રય કરવાથી આત્માને લાભ છે. શુભભાવની પર્યાય થાય છે આત્મામાં પણ તે આત્માનો સ્વભાવ નથી માટે તે પુલના પરિણામ છે. વિશદમ્ :નિર્મળ, કષાયોથી રહિત વિશદમતિ તીક્ષણ બુદ્ધિ વિશુદ્ધ દર્શન શાન પ્રધાન વિશુદ્ધ દર્શન અને જ્ઞાન જેમાં પ્રધાન(મુખ્ય) છે. એવા. વિશુદ્ધદર્શન શાન માત્ર આત્મતત્વનો સ્વભાવ વિશુદ્ધદર્શન જ્ઞાનમાત્ર છે. વિશદ્ધદર્શનશાન પ્રધાન વિશુદ્ધ દર્શન અને જ્ઞાન જેમાં પ્રધાન છે એવું. (સામ્ય નામના શ્રમણ્યમાં વિશુદ્ધ દર્શન અને જ્ઞાન પ્રધાન છે.) વિશુદ્ધદર્શન શાનપ્રધાન આશ્રમ :પરમ શુદ્ધ દર્શન અને જ્ઞાન જેમાં પ્રધાન(મુખ્ય) છે એવી ઉપયોગ ભૂમિકા વિશુદ્ધ દર્શન શાનમાત્ર આત્મ તત્વોનો સ્વભાવ વિશુદ્ધ દર્શન જ્ઞાન માત્ર છે. વિધિ :સર્વતઃ વિશુદ્ધિની વિશેષોથી વિશિષ્ટ :ભેટવાળા વિશ્ચમપણું દુઃખમપણું વિશેષ્યઃખાસિયતોનો ધરનાર પદાર્થ, લક્ષ્ય, ભેદ્ય પદાર્થ- ધર્મી. (જેમ ગળપણ, સફેદપણું, સુવાળપ વગેરે સાકરના વિશેષણો છે અને સાકર તે વિશેષણોથી વિશેષિત થતો. (તે તે ખાસિયતોથી ઓળખાતો, તે તે ભેદોથી ભેદતો) પદાર્થ છે. ઇંળી જેમ જ્ઞાન, દર્શન,ચારિત્ર,વીર્ય વગેરે આત્માના વિશેષણો છે અને આત્મા તે વિશેષણોથી વિશેષિત થતો(ઓળખાતો, લક્ષિત થતો, ૮૮૦ ભેદતો) પદાર્થ છે. તેમ સત્તા વિશેષણ છે અને દ્રવ્ય વિશેષ્ય છે. (વિશેષ્ય અને વિશેષણોને પ્રદેશભેદ નથી એ ખ્યાલ ન ચૂકવો. વિન્રાંત :આધાર રાખતું વિશ્લેષ સંબંધનો અભાવ, પૃથક થવું, વિપ્રમોક્ષ (૨) વિયોગ, નિવૃત્તિ.(અત્યંત વિશ્લેષ= અત્યંત વિયોગ, આત્યંતિક નિવૃત્તિ. (૩) વિયોગ (૪) સર્વથા જુદાપણું. (૫) સંબંધનો સભાવ થવો, પૃથક થવું, છૂટા પડવું, જુદું પડવું. (૬) સંબંધનો અભાવ : પૃથક થવું, વિપ્રમોક્ષ, પૂર્ણપણે સંબંધનો અભાવ. (૭) સર્વથા જુદાપણું, સર્વથા ગૃકત્વ. (૮) સર્વથા જુદાપણું (૯) સંબંધનો અભાવ થવો, પૃથક થવું તે, તેને વિપ્રમોક્ષ પણ કહે છે. વિશ્વ સમસ્ત પદાર્થો-દ્રવ્ય ગુણપર્યાય (પદાર્થોમાં સ્વને પર એવા બે વિભાગ છે. જે જાણનાર આત્માનું પોતાનું હાથ તે સ્વ છે અને બીજું બધું પર છે. (૨) સમસ્ત પદાર્થો (૩) સમસ્ત પદાર્થો-દ્રવ્ય-ગુણ-પર્યાય, છ દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. (૪) છ દ્રવ્યોનો સમૂહ જેમાં રહે છે તે વિશ્વ છે. વિશ્વ-સમસ્ત પદાર્થો-દ્રવ્ય, ગુણ, પર્યાયો, (૫) સમસ્ત દ્રવ્યો, સમસ્ત પદાર્થો, રાગ-દ્વેષ, શરીર આદિ સર્વ પદાર્થોને વિશ્વમાં સમાડે છે. (૬) છ દ્રવ્યોનો સમૂહ, જીવ, પુલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. (૭) સમસ્ત વસ્તુઓ (૮) લોક, ચૈતન્ય લક્ષણ જીવ છે. વર્મ, ગંધ, રસ, સ્પર્શમાન પરમાણુઓ છે. તે સંબંધ સ્વરૂપથી નથી. વિભાવરૂપ છે. (૯) વિશ્વ એટલે અનંતા દ્રવ્યો-તેના પ્રત્યેકના અનંત-અનંત ગુણો અને તેની અનંત અનંત પર્યાયો- આ બધું પોતપોતાના કારણે છે. બધું સેવતંત્ર છે, અને ભગવાન આત્મા એ બધાનો પ્રકાશક જાણનારો છે. જાણનાર માત્ર છે, કરનારો-કર્તા નહિ આવો જ્ઞાનાનંદ રૂપ લક્ષ્મીનો ભંડાર પ્રભુ આત્મા વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે. વિશ્વ વ્યવસ્થા વિશ્વ અનાદિ છે. જીવ અનાદિ છે. પરમાણુ પુલો અનાદિ છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. સંયોગી ભાવમાં તાદાત્મય અધ્યાસ હોવાથી જીવ જન્મમરણાદિ દુઃખે તે અનુભવે છે. વિશ્વ વ્યાપારરૂપે સમસ્ત પદાર્થની પ્રવૃત્તિરૂપે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy