SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણામ નિર્મળ થતા જાય છે. જેમ કોઈને શિક્ષાનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને શિક્ષાની પ્રતીતિ તુરત જ થઈ જશે. તેમ તત્ત્વ ઉપદેશનો વિચાર એનો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેનું શ્રદ્ધાન થઈ જાય. વળી એ પરિણામોનું તારતમ્ય કેવળ જ્ઞાન વડે દેખ્યું તે વડે કરણાનુ યોગમાં તેનું નિરૂપણ કર્યું છે એ કરણલબ્ધિના ત્રણ ભેદ છે.(૧) અધઃ કરણ , (૨) અપૂર્વકરણ (૩) અનિવૃત્તિ કરણ. (૧) અધઃકરણ જયાં પહેલા અને પાછલા સમયોના પરિણામ સમાન હોય તે અધઃકરણ છે. જેમ કોઈ જીવના પરિણામ તે કરણના પહેલા સમયે અલ્પવશુદ્ધતા સહિત થયા, પછી સમયે સમયે અનંતગુણી વિશુદ્ધાતાથી વધતા થયા, વળી તેને જેમ બીજા-ત્રીજા આદિ સમયોમાં પરિણામ થાય તેવા કોઈ અન્ય જીવોને પ્રથમ સમયમાં જ થાય તેને તેનાથી સમયે સમયે અનંત ગુણી વિશુદ્ધતા વડે વધતા હોય એ પ્રમાણે અધ:પ્રવૃત્તકરણ જાણવું. અપૂર્વ કરણ જેમાં પહેલા અને પાછલા સમયોના પરિણામ સમના ન હોય, અપૂર્વ જ હોય તે અપૂર્વ કરણ ચે. જેમ કે તે કરણના પરિણામ જેવા પ્રથમ સમયમાં હોય તેવાં કોઈ પણ જીવને દ્વિતયાદિ સમયમાં ન હોય પણ વધતા જ હોય, તથા અહીં અધ:કરણવત્ જે જીવોને કરણનો પ્રથમ સમય જ હોય તે અનેક જીવોના પરિણામ પરસ્પર સમાન પણ હોય છે તથા અધિક હીન વિશુદ્ધતા સહિત પણ હોય છે. પરંતુ અહીં એટલું વિશેષ થયું કે-તેની ઉત્કટતાથી પણ દ્વિતયાદિ સમયવાળાના જ ધન્ય પરિણામ પણ અનંતગુણી વિશુદ્ધતા સહિત જ હોય છે. એ જ પ્રમાણે જેને કરણ ૮૧૯ માંડયે દ્વિતીયાદિ સમય થયા હોય, તેને તે સમયવાળાઓના પરિણામ તો પરસ્પર સમાન યા અસમાન હોય છે, પરંતુ ઉપરના સમયવાળાના પરિણામ તે સમયે સર્વથા સમાન હોય નહિ પણ અપૂર્વ જ હોય છે. એ અપૂર્વ કરણ જાણવું. અનિવૃત્તિકરણ વળી જેમાં સમાન સમયવતી જીવોના પરિણામ સમાન જ હોય, નિવૃત્તિ અર્થાત્ પરસ્પર ભેદ તેનાથી રહિત હોય છે. જેમ તે કરણના પહેલા સમયમાં સર્વ જીવોના પરિણામ પરસ્પર સમાન જ હોય છે એ જ પ્રમાણે દ્વિતીયાદિ સમયોમાં પરસ્પર સમાનતા જાણવી તથા પ્રથમાદિ સમયવાળાઓથી દ્વિતીયાદિ સમયવાળાઓને અનંતગુણઈ વિશુદ્ધતા સહિત હોય છે. એ પ્રમાણે અનિવૃત્તિકરણ જાણવું. એ પ્રમાણે એ ત્રણ કરણ જાણવાં. તેમાં પહેલા અંતર્મુહર્ત કાળપવૅત અધઃકરણ થાય છે. ત્યાં ચાર આવશ્યક થાય છે. (૯) સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતા થાય (૯) નવીન બંધની સ્થિતિ એક એક અંતર્મુહર્તથી ઘટતી જાય છે તે સ્થિતિબંધાપસરણ છો. (૯) સમયે સમયે પ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ અનંતગુણો વધે. (૯) સમયે સમયે અપ્રશસ્ત પકૃતિઓનો અનુભાગબંધ અનંતમાં ભાગે થાય એ પ્રમાણે ચાર આવશ્યક થાય છે. તે પછી અપુર્વકરણ થાય છે, તેનો કાળ અધઃકરણના કાળના સંખ્યામાં ભાગ છે. તેમાં આ આવશ્યક બીજા થાય છે. (૯) સત્તાભૂત પૂર્વકર્મની સ્થિતિને એક એક અંતર્મુહર્તથી ઘટાડે તેવી સ્થિતિકાંડઘાત થાય, (૯) તેનાથી
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy