SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચયથી સ્વશકિતરૂપ નિજ ઉપાદાનથી કાર્ય થાય છે. જે વાતને લક્ષમાં રાખીને નિમિત્તને કારણનો આરોપ કરીને બેકારણથી કાર્ય થાય છે. એમ પ્રમાણજ્ઞાન દર્શાવ્યું છે. નિશ્ચય કારણની વાત રાખીને પ્રમાણજ્ઞાન બીજા નિમિત્ત કારણને ભેળવે છે. નિશ્ચય કારણને ઉડાડીને નહી. જો નિશ્ચય કારણનો લોપ કરે તો પ્રમાણજ્ઞાન જ ન થાય, બે કારણ જ સિદ્ધ ન થાય. અહીં કહે છે કે કાયર્વણા, વચનવર્ગણા અને મનોવર્ઘણાના કંપનના નિમિત્તથી આત્મામાં જે કંપન થાય છે તે પુદ્ગલના પરિણામ છે. આ જે કંપનની વાત છે તે જડ વર્ગણાના કંપનની વાત નથી. મન-વચન-કાયાનાપરમાણુઓ તો જડ છે જ. પરંતુ અહીં તો તેમના નિમિત્તે આત્મામાં થતા કંપનના પરિણામને જડ કહ્યા છે. યોગનું જે કંપની છે તે જીવની પર્યાય છે અને તે પોતાથી તે કાળે થયેલી સ્વયંની જ જન્મશ્રણ છે. જે જડ વર્ગણાથી થઈ છે એમ નથી. પરંતુ જીવના સ્વભાવમાં કંપન થાય એવો સ્વભાવ નથી. તેથી સ્વભાવની અપેક્ષાએ નિમિત્ત હોતાં જીવમાં થતા કંપનને પુલના પરિણામ કહ્યા છે. આ રીતે ત્રણ પ્રકારે કથન કર્યું. (૧) વિકારી ભાવ જે જીવમાં થાય છે તે નિશ્ચયથી જીવની પોતાની પર્યાય છે. (૨) વિકારી ભાવમાં કર્મ નિમિત્ત છે એવું ઉપાદાન-નિમિત્તનું સાથે) જ્ઞાન કરવું તે પ્રમાણજ્ઞાન છે. વિજ્ઞારીભાવ નિશ્ચયથી જીવની પર્યાય છે અમ નિશ્ચય રાખીને સાથે નિમિત્તનું જ્ઞાન કરવું તે પ્રમાણજ્ઞાન છે. જે સભૂત ઉપચાર-વ્યવહાર છે. (૩) હવે ભગવાન આત્મા જે અનંત-અનંત ગુણનું પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્યદળ, ચૈતન્યરસનું આખું ત્રિકાળી સત્વ છે તે કદીય વિકારપણે પરિણમે નહિ. માટે નિમિત્તથી થયેલા વિકારને નિમિત્તમાં નાખીને પુદ્ગલના પરિણામ કહ્યા છે. ભાઈ! આ કાંઈ ખાલી પંડિતાઈનો વિષય નથી. ભગવાન વીતરાગ દેવનો માર્ગ જેવો છે તેવો અંદર અંતરમાં બેસવો જોઈએ. શ્રીવાસુપૂજય ભગવાનની સ્તુતિ કરતાં “સ્વયંભૂસ્તોત્ર'માં શ્રી સમતભદ્રસ્વામીએ કહ્યું છે કે-કાર્યોમાં બાહ્ય અને અભ્યાંતર, નિમિત્ત અને ઉપાદન એમ બન્ને કારણોની સમગ્રતા હોવી તે આપના મતમાં દ્રવ્યગત સ્વભાવ છે. શ્રીઅકલંકદેવે પણ કહ્યું છે કે બે કારણથી કાર્ય થાય છે. એ તો બે (ઉપદાન-નિમિત્ત) સિદ્ધ કરવા છે. અને પ્રમાણજ્ઞાન કરાવવું છે તેથી એમ કહ્યું છે. ખરેખર તો કાર્ય થાય છે. પોતાથી, પોતાના કારણે, અને ત્યારે નિમિત્ત હોય છે. પરંતુ નિમિત્તની અપેક્ષા છે એમ નથી. શ્રી પંચાસ્તિકાયની ૬૨મી ગાથામાં આવે છે કે પર્યાયમાં જે વિકાર થાય છે તે પોતાના ષટ્કારકથી થાય છે. દ્રવ્ય-ગુણથી તો નહિ પણ પરકારકથી નિમિત્તથી પણ વિકાર ઉત્પન્ન થતો નથી. અહીં અસ્તિકાય સિદ્ધ કરવું છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનું અસ્તિત્વ છે એમ સિદ્ધ કરવું છે. જ્હી વિકાર છે તે પર્યાયના ષકારકનું પરિણમન છે. એમ કહ્યું છે. અહાહા! વિકારનાં કર્તા, કર્મ, કરણ,સપ્રદાન, અપાદાન અને અધિકરણ સ્વયં વિકાર છે. એક સમયની પર્યાયમાં પકારનું પરિણમન દ્રવ્ય-ગુણની કે પર નિમિત્તની અપેક્ષા વિના જ થાય છે. આ પ્રમાણે ત્યાં નિશ્ચયથી વિકારના પરિણામમાં પરકારકની અપેક્ષા નથી એમ કહ્યું છે. જયારે અહીં સ્વભાવની દષ્ટિ કરાવવી છે તેથી એમ કહ્યું કે વિકારના પરિણામ પુલના છે. તથા જયાં બે કારણ કહ્યાં ત્યાં નિશ્ચયથી તો પર્યાય પોતાથી જ પોતાના પકારકથી જ થાય છે. પરંતુ સાથે નિમિત્ત છે તેને ભેળવીને પ્રમાણજ્ઞાન કરાવ્યું છે. ભાઈ! ખરેખર તો કારણ એક જ છે. જેમકે - મોક્ષમાર્ગ એક જ છે. માર્ગ કહો કે કારણ કહો તે એક જ અર્થ છે. મોક્ષનું કારણ જેમ એક જ છે તેમ પર્યાયનું કારણ નિશ્ચયથી એક જ છે. પ્રભુ! સત્ય તો આવું છે, હોં. જો કાંઈ આડું
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy