SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ ભેદશાન એટલે શું? આત્મા ઉપયોગસ્વરૂપ છે. રાગાદિ પર ભાવોથી તે ભિન્ન છે, એમ ઉપયોગ અને રાગાદિને સર્વ પ્રકારે અત્યંત જુદા જાણીને રાગથી ભિન્નપણે અને ઉપયોગમાં એકતાપણે જ્ઞાન પરિણમે તે ભેદ વિજ્ઞાન છે. ભેદાન જયોતિ :બોધીબીજરૂપ શક્તિ; જ્ઞાતા-દ્રષ્ટાપણારૂપ શકિત ભેદજ્ઞાન પ્રગટ કરવાની રીત :આઅવો-પુણ્ય-પાપના ભાવો અશુચિ છે, ભગવાન આત્મા અશ્વયંત શુચિ છે એ પહેલો બોલ થયો. આઅવો-પુણ્યપાપના ભાવો જડ,અચેતન છે, અને ભગવાન આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ હોવાથી ચેતક છે, શુદ્ધ ચૈતન્યમય છે. આ બીજો બોલકહ્યો. આઅવો-પુણ્યપાપના ભાવો આકુળતા ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણ છે, અને ભગવાન આત્મા સદાય અનાકુળ સ્વભાવ હોવાથી દુઃખનું અકારણ જ છે. આ ત્રીજો બોલ કહ્યો. ત્રણ બોલથી આત્મા અને આઅવોની ભિન્નતા કહી. આ પ્રમાણે આસ્ત્રવોથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવા આત્માની સન્મુખ થઈને ભેદજ્ઞાન પ્રગટ કરવું, અર્થાત્ પર્યાયને ત્રિકાળીમાં અભેદ કરવી તે ધર્મ છે-મોક્ષમાર્ગ છે. પર્યાયને અભંદ કરવી એટલે દ્રવ્ય સન્મુખ કરવી એવો અનો અર્થ છે. કાંઈ દ્રવ્ય અને પર્યાય એક થઈ જાય એમ અર્થ નથી. પર્યાય દ્રવ્યસન્મુખ થતાં સ્વભાવની જાતની પર્યાય થઈ અને રાગથી ભિન્ન પડી ગઈ. એટલે તે દ્રવ્યથી અભિન્ન થઈ એમ કહેવામાં આવે છે. ભેદશાનીઓ :સમ્યગ્દર્શન પામેલા જીવો; ચોથા ગુણસ્થાનવાળા ગૃહસ્થાશ્રમમાં રહેલા જીવો ભદંત :સર્વ કલ્યાણ પ્રાપ્ત ભદ્ધ કલ્યાણકારી, ઉમદા સાલસ સ્વભાવનું, કક્ષા-હોદ વગેરેની દષ્ટિએ મોભાદાર, શ્રીમંત, કલ્યામ, ભલું, શ્રેય, મંગલ, સુખ, આબાદી ભક્તા:સરલતા, ભલાઈ, સત્યતા, ગૃહસ્થાઈ ભેદનાર :નાશ કરનાર ભેદપણું : વ્યવહાર દ્રષ્ટિથી આત્મામાં ભેદપણું છે. નામ, સંખ્યા, લક્ષણ અને પ્રયોજનથી ભેદ પાડવામાં આવે છે. (૨) દરેક વસ્તુમાં ભેદપણું છે. વસ્તુ અનંતગુણ સ્વરૂપે અભેદ છે, તો પણ ગુણ-ગુણીના ભેદથી નામ, સંખ્યા, ૭૩૦ લક્ષણ, પ્રયોજન ભેદે ભેદ છે, જેમ-ગોળ પદાર્થ છે, તેમાં ગળપણ, ગંધ, વર્ણ વગેરે ગુણ અનેક છે; તેમ આત્મા એક વસ્તુ છે, તેમાં જ્ઞાન, દર્શન, વગેરે ગુણ અનંતગુણ છે, ગુણ-ગુણીનામથી ભેદ તે સંજ્ઞા ભેદ છે. ગુણની સંખ્યા અનંત અને આત્મા એક સંખ્યાભેદ છે. લક્ષણભેદ-આત્માનું લક્ષણચૈતન્ય આદિ ગુણ ધારણ કરવા તે. જ્ઞાનનું લક્ષણ-સ્વ અને પરને જાણવું તે ચારિત્રગુણનું લ ઠરવું તે. શ્રદ્ધાગુણનું લક્ષણ પ્રતીતિ કરવી તે. એમ ગુણ-ગુણીમાં લક્ષણભેદ છે. ભેદ-પ્રભેદ :પ્રકાર અને પેટા પ્રકાર, જાત અને પેટા જાત, ભેદમાં :વ્યવહારમાં ભેદરૂપ ભિન્ન (૨) અંશરૂપ ભેદરહિત વિશેષતા રહિત; સામાન્ય ગ્રહણ આત્માનો દર્શનોપયોગ (૨) વિકલ્પ રહિત; એકરૂપ; અખંડ ભેદા સાકરનો ગાંગડો હોય તેનો ભુકો થાય તેને ભેદવું કહે છે. ભેદવું :ફાડ પાડવી; ટૂકડા કરવા; જુદું કરવું; તોડવું; કાણું પાડવું (૨) તોડવું (૩) જુદુ કરવું; ભિન્ન કરવું ભેદવાસના ભેદરૂપ વલણ, વિકલ્પ-પરિણામ ભેદવિજ્ઞાન :પરથી ભિન્ન પડવું (૨) જીવ અને જડ જુદા જુદા જ છે તે પ્રકારની સમજ. (૩) નિજ અને પરનો વિવેક (૪) આત્માથી શરીરાદિ અન્ય પદાર્થો ભિન્ન છે તે પ્રકારના જ્ઞાનનું નામ ભેદવિજ્ઞાન છે. મન વશ થવાથી પાંચ ઇન્દ્રિયો સહેજે વશ થાય છે. ભેદવિજ્ઞાન પ્રતિબદ્ધ થવાનું મુળ ઉત્પત્તિકારણ છે. કોઈ એમ કહે કે રાગની ઘણી મંદતા કરતાં કરતાં (એટલે શુભભાવ કરતાં કરતાં) અનુભૂતિ થાય તો, એ વાત બરાબર નથી. પરંતુ રાગ અને આત્માનાં ભિન્ન ભિન્ન લક્ષણો જાણીને, રાગનું લક્ષ છોડી પ્રજ્ઞા-છીણી એટલે જ્ઞાનની પરિણતિ વડે આત્મા અને રાગાદિ બંધને છેદી નાખવા-જુદા પાડવા. જેને આવું ભેદજ્ઞાન થાય તે આવી અવિચળ પોતાના આત્માની અનુભૂતિ પામે છે. ભગવાન આત્માની
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy