SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ સમત્વપ્રકૃતિરૂપે થાય છે. અને એક સમ્યકત્વમિથ્યાત્વ | પ્રકૃત્તિરૂપે થાય છે. ચારિત્ર મોહનીયના પચીસ ભેદ છે. નવ નો કષાય અને સોળ ભેદકષાય વેદનીયના મળીને પચીસ ભેદ ચારિત્ર મોહનીયના છે અને દર્શન મોહનીયના ત્રણ ભેદ મળીને બધાં થઈને ૨૮ ભેદ મોહનીય કર્મના છે. (૨ અહીં હાસ્યાદિક નવનોકષાયને અકષાય વેદનીય કહેલ છે તેને નોકષાય વેદનીય પણ કહેવાય છે. અનંતાનુ બંધીને અર્થ = અનંત મિથ્યાત્વ, સંસાર; અનુબંધી તેને અનુસરીને બંધાય તે. મિથ્યાત્વને અનુસરીને જે કષાય બંધાય છે. તેને અનંતાનુબંધી કષાય કહેવામાં આવે છે. અનંતાનુબંધી ક્રોધ-માન-માયા લોભની વ્યાખ્યા નીચે મુજબ છે :- (૧) આત્માના શદ્ધ સ્વરૂપની અરૂચિ તે અનંતાનુબંધી ક્રોધ છે. (૨) હું પરનું કરી શકું એવી માન્યતાપૂર્વક જે અહંકાર તે અનંતાનુબંધી માન -અભિમાન છે. (૩) પોતાનું સ્વાધીન સ્વરૂપ ન સમજાય એવી આડ મારીને વિકારી દશા વડે આત્માને ઠગવો તે અનંતાનુબંધી માયા છે. (૪) પુયાદિ વિકારથી લાભ મળીને પોતાની વિકારી દશાને વધાર્યા કરવી તે અનંતાનુબંધી લોભ છે. અનંતાનુબંધી કષાય આત્માના સ્વરૂપાચરણ ચારિત્રને રોકે છે, શુધ્ધાત્માના અનુભવને સ્વરૂપાચરણ ચારિત્ર કહેવાય છે. તેની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે, અને ચૌદમાં ગુણસ્થાને તેની પૂર્ણતા થઈને સિદ્ધદશા પ્રગટે છે. બંધનો પ્રતિકૂળતા; અનુકૂળ નહિ તેવું ; મુશ્કેલીઓ બંધભાવ અનંત દુઃખના સંયોગનું કારણ; મિથ્યા અભિપ્રાય. (૨) તે સહજ નથી; કૃત્રિમ ભાવ છે; અનિત્યભાવ છે; ક્ષણિક ભાવ છે; ઉપાધિ ભાવ છે; અશુભ રાગ-દ્વેષની ક્રિયા તે કૃત્રિમભાવ છે. બંધમાર્ગ અહીં ખરેખર શુભરૂપ વિકારી ભાવ તે પુણ્યાસવ છે અને અશુભરૂપ વિકારી ભાવ પાપાસવ છે. ત્યાં, પુણ્ય અથવા પાપ જે ભાવથી આસૂવે છે. તે ભાવ જ્યારે જે જીવને હોય ત્યારે તે જીવ તે ભાવ વડે પરચારિત્ર છે-એમ (જિનેન્દ્રો દ્વારા) પ્રરૂપવામાં આવે છે. તેથી (એમ નકકી થાય છે કે) પરચારિત્રમાં પ્રવૃત્તિ તે બંધમાર્ગ જ છે. મોક્ષમાર્ગ નથી. બંધ પર્યાય કર્મના સંબંધની અવસ્થા બંધુવર્ણ સગાંસંબંધી (૨) સગાં સંબંધીઓ બંધાય છે:લેપાય છે. બધાયકાળ :સદાય. બંધાવ્યવસાયસ્થાન :બાધક નિર્ધારક સ્થાન બો કર્મ ભાવકર્મ અને દ્રવ્યકર્મ. બો નયો જિન ભગવાનના ઉપદેશમાં બે નયો દ્વારા નિરૂપણ હોય છે ત્યાં નિશ્ચયનય દ્વારા તો સત્યાર્થ નિરૂપણ કરવામાં આવે છે. અને વ્યવહારનય દ્વારા અભૂતાર્થ ઉપચરિત નિરૂપણ કરવામાં આવે છે. બે ઈન્દ્રિય જીવ :સ્પર્શ અને રસ એ બે ઇન્દ્રિયવાળા જીવ-ઇયળ વગેરે. બે નયો જિન ભગવાનના ઉપદેશમાં બે નયો દ્વારા નિરૂપણ હોય છે. ત્યાં નિશ્ચયનય દ્વારા તો સત્યાર્થ નિરૂપણ કરવામાં આવે અને વ્યવહાર દ્વારા અભૂતાર્થ ઉપચરિત નિરૂપણ કરવામાં આવે છે. પ્રશ્ન :- સત્યાર્થ નિરૂપણ જ કરવું જોઈએ; અભૂતાર્થ ઉપચરિત નિરૂપણ શા માટે કરવામાં આવે છે ? ઉત્તર :- જેને સિંહનું યથાર્થ સ્વરૂપના ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે, તેમ જેને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ની ન હોય તેને વસ્તુ સ્વરૂપના ઉપચરિત નિરૂપણ દ્વારા વસ્તુસ્વરૂ૫ના યથાર્થ ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે. વળી લાંબા કથનને બદલે સંક્ષિપ્ત કથન કરવા માટે પણ વ્યવહારનય દ્વારા ઉપચરિત નિરૂપણ કરવામાં આવે છે. અહીં એટલું લક્ષમાં રાખવામાં યોગ્ય છે કે ... જે પુરુષ બિલાડીના નિરૂપણને જ સિંહનું નિરૂપણ માની બિલાડી ને જ સિંહ સમજી બેસે તે તો ઉપદેશને જ યોગ્ય નથી, તેમ જ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy