SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણ બે પ્રકારે છે - પરોક્ષ અને પ્રત્યક્ષ. જે ઇન્દ્રિયોથી સ્પર્શાઇ (સંબધિત થઇ) પ્રવર્તે તથા જે વગર સ્પર્શ મનથી જ પ્રવર્તે એ પ્રમાણે બે પરદ્વારોથી પ્રવર્તે તે પરોક્ષ છે અને કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. (પ્રમાણજ્ઞાન પાંચ પ્રકાર છેઃ મતિ, ચુત, અવધિ, મનઃપર્યય ને કેવળે તેમાં મતિ ને શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ છે, અવધિ ને મન:પર્યય એ બે વિકલ્પ પ્રત્યક્ષ છે. અને કેવળજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે, તેથી એ બે પ્રકારનાં પ્રમાણ છે. પ્રમાણ કરો નિર્ણય કરજો, માન્ય કરજો પ્રમાણ કરવુ :સ્વીકાર કરવો જીવદ્રવ્ય સ્વતંત્ર છે, તેમાં બંધની અવસ્થા ઋણવર્તી છે, અને નિર્દોષ, સંબંધ, નિર્મળ વસ્તુ-સ્વભાવપણું છે, તે ત્રિકાળી વસ્તુ છે.-એમ યર્થાથ ખ્યાલમાં લેવું, તે પ્રમાણ છે. (૧૬) પ્રમાણ નામ, સમ્યજ્ઞાનનું છે, તે પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદથી, બે પ્રકારે છે. ત્યાં પ્રત્યક્ષના, બે ભેદ છે. જે જ્ઞાન કેવળ આત્માને જ આધીન થઇ, જેટલો પોતાનો વિષય છે, તેને વિષદતાથી સ્પષ્ટ જાણે, તેને પામાર્થિક પ્રત્યક્ષ કહીએ. તેના પણ, બે ભેદ છે. અવધિજ્ઞાન મનઃ૫ર્યાયજ્ઞાન તો, એક દેશ પ્રત્યક્ષ છે, કેવળજ્ઞાન, સર્વપ્રત્યક્ષ છે. વળી જે નેત્રાદિ, ઇન્દ્રિયો દ્વારા, વર્ણાદિકને સાક્ષાત ગ્રહણ કરે, અર્થાત્ જાણે, તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહીએ. પરમાર્થથી આ જાણવું, પરોક્ષ જ છે. કારણ કે, સ્પષ્ટ જાણપણું નથી. તેનું ઉદાહરણ : જેમ આંખ વડે કોઇ વસ્તુને સફેદ જાણી, તેમાં મલિનતાનું પણ મિશ્રણ છે. અમુક અંશ શ્વેત છે, અને અમુક મલિન છે, એમ આને સ્પષ્ટ પ્રતિભાસતું નથી. તેથી એને વ્યવહારમાત્ર પ્રત્યક્ષ છે, પરંતુ આચાર્ય, પરોક્ષ જ કહે છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનથી જે જાણવું થાય, તે બધું પરોક્ષ નામ પામે છે. (૧૭) ભગવાન આત્મા અવિકારી, અનંત જ્ઞાનાનંદમય, પૂર્ણ, અખંડશક્તિનો પિંડ છે. દેહાદિ રૂપી સંયોગોથી જુદો, અરૂપી જ્ઞાન ઘન છે. તેને અખંડ નિર્મળ સ્વભાવના પડખે જાણવો, તે નિશ્ચયનય તેની વર્તમાન અવસ્થાના ભેદને જાણવો, તે વ્યવહારનય અને બેઉ થઇ આખા આત્માનું જ્ઞાન કરવું, તે પ્રમાણ. (૧૮) સાચા જ્ઞાનને નિર્દોષ જ્ઞાનને અર્થાત્ સમ્યજ્ઞાનને પ્રમાણ કહે છે. અનંતગુણ યા ધર્મના સમુદાયરૂપ પોતાનું તથા પરવસ્તુનું સ્વરૂપ પ્રમાણ દ્વારા જાણવામાં આવે છે. પ્રમાણ વસ્તુના સર્વ દેશને (બધાં પડખાંને) ગ્રહણ કરે છે જાણે છે. (૧૯) પ્ર=વિશેષ કરી+માણ=મા૫)=સાચું માપ કરે તે સમ્યક્ જ્ઞાન, તેને પ્રમાણ કહે છે. અહીં પ્રમાણનો વિકલ્પ, અભૂતાર્થ છે, એમ કહ્યું છે. (૨૦) પ્રમાણ તો વસ્તુના બધા ભાગને જાણે છે, પણનેય, વસ્તુના એક ભાગને જાણે છે. (૨૧) મતિ, શ્રુત, અવધિજ્ઞાન, મન પર્યય અને કેવળજ્ઞાનરૂપ, જ્ઞાનગુણની પાંચ અવસ્થા (૨૨) સ્વ-પર વસ્તુને નિશ્ચય કરનાર, સમ્યજ્ઞાન (૨૩). પ્રણેય માપી શકાય તેવું; પ્રમાણ દ્વારા જાણી શકાય તેવું; પ્રમાણ દ્વારા સિદ્ધ કરવા જેવું કે કરી શકાય તેવું; કૂટ પ્રશ્ન. (૨) જાણવાલાયક વસ્તુ (૩). જણાવું (૪) આત્માના જ્ઞાનમાં જણાવા યોગ્ય, એવા સ્વ પર પદાર્થ જ્ઞાન વડે જણાવા યોગ્ય, બધી વસ્તુ જોય હોય છે. (૫) જાણવા લાયક વસ્તુ (૬) કૂટ પ્રશ્ન; સિદ્ધ કરવાની વસ્તુ-જીવ-અજીવ વગેરે (૭) જણાય છે. પ્રમેય થાય છે:જણાય છે. પ્રયત્ન પ્ર+મેય+ત્વ=પ્ર એટલે પ્રકૃષ્ટપણે, વિશેષ કરીને, મેય એટલે માપમાં આવવા યોગ્ય; ત્વ=પણું (ભાવવાચક પ્રત્યય) પ્રકૃઢપણે માપમાં (જ્ઞાનમાં ખ્યાલમાં) આવવા યોગ્યપણું (૨) જણાવાની શકિતનું નામ પ્રમેયત્વ છે. પ્રમેયત્વ=પ્રમેયત્વ. પ્ર=પ્રકૃષ્ટપણે, વિશેષ કરીને. મેય= માપમાં આવવા યોગ્ય (મા ધાતુનું વિધ્યર્થ કૃદંત). ત્વ=પણું (ભાવવાચક પ્રત્યય.). પ્રમેયત્વ=પ્રકૃષ્ટપણે માપમાં (જ્ઞાનમાં-ખ્યાલમાં) આવવા યોગ્યપણું. પ્રયિત્વગુણ દરેક દ્રવ્યમાં જણાવા યોગ્યપણું હોવાથી જ્ઞાનથી કોઈ અજાણ્યું (ગુપ્ત) રહી શકે નહિ. તેથી કોઈ એમ માને કે આપણે અલ્પજ્ઞને નવ તત્ત્વ શાં ? આત્મા શું ? ધર્મ શું ?-એ ન જણાય; તો તેની તે માન્યતા ખોટી છે; કેમ કે જો યથાર્થ સમજવાનો પુરુષાર્થ કરે તો સત્ય અને અસત્યનું સ્વરૂપ (સમ્યમતિ-શ્રુતજ્ઞાનનો વિષય હોવાથી તેના જ્ઞાનમાં હોવાથી તેના
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy