SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૫ પુદગલ સંશ્લેષ પુલનો સંબંધ (૨) પુદ્ગલના બંધ; પુલનો સંબંધ; પુગલનું જોડાણ (૩) પુદ્ગલ સાથેનો સંયોગ-જોડાણ-સંયુકત પુદ્ગલ સાથેનો સંબંધ. પગલનો પ્રદેશ :પુદ્ગલ જો કે દ્રવ્ય પ્રદેશમાત્ર (એક પ્રદેશી) હોવાથી, અપ્રદેશી છુ તો પણ. બે પ્રદેશોથી માંડીને, સંખ્યાત; અસંખ્યાત અટને અનંત પ્રદેશોવાળા, પર્યાયની અપેક્ષાએ અનિશ્ચિત પ્રદેશોવાળું હોવાથી, પ્રદેશવાન એમને જીવ કયાંય બહારથી લાવતો નથી. કાય, વચન તથા મનની ક્રિયારૂપ | યોગનું સંચાલન થતાં જ, આ પદુગલ સ્વયં કર્મરૂપ થઇને આત્મ પ્રવેશ કરે છે. અહીં સૂક્ષ્મતમ (અત્યંત સૂક્ષ્મ) અને સ્થૂળતમ (અત્યંત સ્થળ) પુદ્ગલો વર્ગણાની યોગ્યતા રહિત હોય છે. (૩) જેમાં સ્પર્શ, રસ, ગન્ધ અને વર્ણ હોય, તેને પુદ્ગલ દ્રવ્ય કહે છે. પુદગલ દ્રવ્ય દૃષ્ટિ :રાગ-દ્વેષ, પુણય-પાપના ફળ, શરીર, મન, વાણીની પ્રવૃત્તિ, કંઇ કરવાની ઇચ્છા, દ્રવ્યકર્મ, તે બધું સંયોગનું દળ છે, પર દળ છે, અને તે એક જ જાતનું છે, એનો એક જ પ્રકાર છે, પુદ્ગલના જ ભાવો છે, હું જ્ઞાતા-દ્રષ્ટા જુદો છું, એવું ભાન નહિ કરતા, એ સંયોગ અને સંયોગીભાવ તે હું છું, તે મારાં છે, એવી જે દ્રષ્ટિ તે પુદ્ગલ દ્રવ્યદૃષ્ટિ છે. એવી દષ્ટિવાળો તદ્દન અપ્રતિબદ્ધ અજ્ઞાની છે. પુદગલ દ્રવ્યનાં ગુણો સ્પર્શ, રસ, ગંધ, અને વર્ણ ઇન્દ્રિયગ્રાહ્ય છે, કારણ કે તેઓ ઇન્દ્રિયોના વિષયો છે. તેઓ ઇન્દ્રિય ગ્રાહ્યપણાની વ્યકિત અને શકિતને વિશે, ઇન્દ્રિયો વડે ભલે ગ્રહતા હોય, કે ન ચહાતા હોય, તો પણ તેઓ એકદ્રવ્યાત્મક સૂક્ષ્મપર્યાયરૂપ, પૃથ્વી સ્કંધ સુધીના સર્વ પુદ્ગલોને, અવિશેષપણે વિશેષ ગુણો તરીકે હોય છે, અને તેઓ મૂર્ત હોવાને લીધે (પુદ્ગલ સિવાયનાં) બાકીનાં દ્રવ્યોને, નહિ વર્તતા હોવાથી પુલને જણાવે છે. શબ્દ પણ ઇન્દ્રિયગ્રાહ્ય હોવાથી, ગુણ હશે એમ શંકા ન કરવી, કારણ કે તે (શબ્દ) વિચિત્રતા વડે વિશ્વરૂપપણું (અનેકાનેક પ્રકારપણું) દર્શાવતો હોવા છતાં, તેને અનેક દ્રવ્યાત્મક પુદ્ગલ પર્યાય તરીકે સ્વીકારવામાં આવે છે. પુદગલ દ્રવ્યના ભેદ તેના બે ભેદ છે; પરમાણુ અને સ્કંધ પદગલ દ્રવ્ય કેટલા છે અને તેની સ્થિતિ ક્યાં છે? :પુલદ્રવ્ય અનંતાનંત છે, અને તે સમસ્ત લોકાકાશમાં ભરેલા છે. પુદગલ દ્રવ્યના વિશેષ ગુણ પુદ્ગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ,ગંધ, વર્ણ, ક્રિયાવતી શક્તિ વગેરે, વિશેષ ગુણો છે. પુદ્ગલ દ્રવ્યાત્મક પુદ્ગલ દ્રવ્ય સ્વરૂપ પુદગલકર્મ પ્રદેશ સ્થિત એટલે કર્મના વિપામાં જોડાવું તે. જેમ ચોખા પાકે, ઝાડમાં ફળ આવે, તેમ કર્મ પરમાણુમાં કળ દેવાની શક્તિ, પ્રગટ થાય છે. ત્યારે અજ્ઞાની, તેમાં રાગદ્વેષ ભાવે જોડાય છે, તેને પોતાનું સ્વરૂપ માને છે. અને તેમાં તેનું પ્રવર્તવું-કરવું થાય છે. તેથી તે પરસમય-‘અધર્મી' છે. એમ જાણવું આ વચન કડક લાગે, એવો સંભવ છે પણ, તે ખરી વસ્તુસ્થિતિ દર્શાવે છે. તેથી સત્ય છે. પોતાને સ્વતંત્ર, નિર્મળ ઠીક ન માન્યો, તેણે પરને ઠીક માન્યા, ને તેથી પોતાને ભૂલી, પરના રાગમાં ટકયો છે. (૨) કર્મના વિપાકમાં જોડાવું તે; કર્મ પરમાણુમાં ફળ દેવાની શક્તિ પ્રગટ થવી, તે. પુદગલના વૈચિત્ર્યને જ્ઞાનાવરણ; દર્શનાવરણ ઈત્યાદિ અનેક પ્રકારતાને. પુદગલકાયો પુદ્ગલસ્કંધો યુદગલકાયો સુખદુઃખ આપે છે અને જીવો ભોગવે છે. : (૧) સુખદુઃખ પરિણામોમાં તથા (૨) ઇટાનિક વિષયોના સંયોગમાં શુભાશુભ કર્મો નિમિત્તભૂત હોય છે, તેથી તે કર્મોને તમેના નિમિત્તમાત્રપણાની અપેક્ષાએ જ (૧) સુખદુઃખ પરિણામરૂપ (ફળ) તથા (૨) ઇટાનિષ્ટ વિષયરૂપ ફળ દેનારા (ઉપચાથી) કહી શકાય છે. હવે, (૧) સુખદુઃખ પરિણામ તો જીવના પોતાના જ પર્યાયરૂપ હોવાથી જીવ સુખદુઃખપરિણામને તો “નિશ્ચયથી ભોગવે છે, અને તેથી સુખદુઃખ પરિણામમાં નિમિત્તભૂત
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy