SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ વિકારમાં સ્થિત હોવાથી પ્રાપ્ત થયું છે. આ પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ અનાદિથી છે. પાંચ પાપ હિંસા, જુઠ્ઠું બોલવું. ચોરી કરવી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ કરવો આ પાંચ પાપ છે. (૨) મિથ્યાત્વ, ચાર કષાય, ક્રોધ, માન, માયા અને લોભ, હિંસા, જુઠું, ચારી,વિષય સેવન અને દિલમાંથી બહાર ફેંકી દેવા જોઇએ. તો મળીને પાંચ પાપ કહેવાય છે. (૩) પરિગ્રહ, આ પાંચે પાપોને પોતાના જ, તે અબંધ બની શકે છે. પાંચ ભાવો : પાંચ ભાવોમાં ઔપશમિક, જ્ઞાયિક, હ્રાયોપશમિક અને ઔદિયક એ ચાર ભાવો પર્યાયરૂપ (વર્તમાન વધતી દશારૂપ) છે અને પાંચમો શુદ્ધ પારિણામિકભાવ છે તે ત્રિકાળી એકરૂપ ધ્રુવ છે. તેથી તે દ્રવ્યરૂપ છે; આ રીતે આત્મપદાર્થ દ્રવ્ય અને પર્યાય સહિત (જે વખતે જે પર્યાય હોય તે અપહ્યત) છે. (૨) (*) અબદ્ધ સ્પષ્ટ = કર્મનો સંયોગ છે, છતાં નિશ્ચયથી અબંધ અસ્પર્શી છું. (*) અનન્ય = શરીરના આકારનો સંયોગ, છે છતાં નિશ્ચયથી દરેક સમયે એકરૂપ છું (•) નિયત = હીનાયિક અવસ્થારૂપ પરિણમન થાય છે, છતાં નિશ્ચયથી દરેક સમયે એક રૂપ છું. (*) અવિશેષ = અનંત ગુણો જુદી -જુદી શકિત સહિછે. પણ સ્વભાવ ભેદરૂપ નથી, હું નિત્ય એકરૂપ અભેદ છું. (*) અસંયુકત = રાગદ્વેષ, હર્ષ-શોકના ભાવ નિમિત્તાધી થાય છે, પણ હું તે રૂપે થઇ જતો નથી. ઉપર્યુકત પાંચ ભાવોથી સ્વતંત્ર પૂર્ણ નિર્મળ સ્વભાવપણે, આત્માને પર્યાય માને ત્યારે નિર્મળ શ્રદ્ધારૂપ શરૂઆતનો ધર્મ એટલે કે, સમ્યગ્દર્શન થાય છે. આવ્યું જાણ્યું તેણે જ, ખરું જિનશાસન જાણ્યું છે. (૩) ઔદિયક, ઔપશિમક, હ્રાયોપશમિક, ક્ષાયિક અને પારિણામિક આ પાંચ ભાવો નીચેની છ બાબતો સિધ્ધ કરે છેઃ (૧) જીવનો અનાદિ અનંત શુધ્ધ ચૈતન્ય સ્વભાવ છે એમ પારિણામિક ભાવ સાબિત કરે છે. (૨) જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ હોવા છતાં તેની અવસ્થામાં વિકાર છે એમ ઔદયિકભાવ સાબિત કરે છે. ૬૧૬ (૩) જડ કર્મની સાથે જીવનો અનાદિનો સંબંધ છે અને જીવ તેને વશ થાય છે તેથી વિકાર થાય છે પણ કર્મના કારણે વિકાર ભાવ થતો નથી એમ પણ ઔદિયકભાવ સાબિત કરે છે. (૪) જીવ અનાદિથી વિકાર કરતો હોવા છતાં તે જડ થઇ જતો નથી અને તેનાં જ્ઞાન, દર્શન, અને વીર્યનો અંશે ઉઘાડ તો સદા રહે છે એમ ક્ષાયોપશમિક ભાવ સાબિત કરે છે. (૫) આત્માનું સ્વરૂપ યથાર્થ પણે સમજીને જયારે પોતાના પારિણામિક ભાવનો જીવ આશ્રય કરે છે ત્યારે ઔયિક ભાવ ટળવાની શરૂઆત થાય છે અને પ્રથમ શ્રધ્ધાગુણનો ઔદયિકભાવ ટળે છે એમ ઔપશમિકભાવ સાબિત કરે છે. (૬) આથી સમજણ પછી જીવ જેમ જેમ સત્ય પુરુષાર્થ વધારે છે તેમ તેમ મોહ અંશે ટળતો જાય છે એમ ક્ષાયોપશમિકભાવ સાબિત કરે છે. (૭) જીવ જો પ્રતિહતભાવે પુરુષાર્થમાં આગળ વધે તો ચારિત્ર મોહ સ્વયં દબાઇ જાય છે. (-ઉપશમ પામે છે) એમ ઔપશમિકભાવ સાબિત કરે છે. (૮) અપ્રતિહત પુરુષાર્થ વડે પારિણામિકભાવનો આશ્રય વધતાં વિકારનો નાશ થઇ શકે છે એમ જ્ઞાયિકભાવ સાબિત કરે છે. (૯) જો કે કર્મનો સંબંધ પ્રવાહથી અનાદિનો છે તો પણ સમયે સમયે જૂનાં કર્મ જાય છે અને નવાં કર્મનો સંબંધ થતો રહે છે તે અપેક્ષાએ તેમાં શરૂઆતપણું રહેતું હોવાથી (-સાદિ હોવાથી) તે કર્મ સાથેનો સંબધ સર્વથા ટળી જાય છે એમ જ્ઞાયિકભાવ સાબિત કરે છે. (૧૦) કોઇ નિમિત્ત વિકાર કરાવતું નથી પણ જીવ પોતે નિમિત્તાધીન થઇને વિકાર કરે છે; જીવ જયારે પારિણામિક ભાવરૂપ પોતાના સ્વભાવ તરફનું લક્ષ કરી સ્વાધીનપણું પ્રગટ કરે છે ત્યારે નિમિત્તાધીનપણું ટળી શુદ્ધતા પ્રગટે છે. એમ ઔપમિકભાવ, સાધક દશાનો હ્રાયોપમિક ભાવ અને ક્ષાયિકભાવ એ ત્રણે સાબિત કરે છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy