SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૭ નિરીક્ષણ :ઝીણવટથી દેખભાળ રાખવી એ, બારીક તપાસ નિરીહ :નિષ્કામ, ઇચ્છારહિત. (૨) ઇચ્છા રહિત. (૩) નિકામી, ઇચ્છા રહિત (૪) ચેષ્ટા વિનાનું, ચેટાનો અભાવ, ઇચ્છા ન કરનારું, નિરિછ, ઇચ્છાઆકાંક્ષાનો અભાવ (૫) નિષ્કામ (૬) ચેષ્ટા વિનાનું, ચેષ્ટા ન કરનારું, (૨) ઇચ્છા ન કરનારું, નિરિચ્છ. નિરીહતા :સંતોષ (૨) ચેષ્ટાવિનાનું, ઇચ્છા ન કરનાર. નિરોધ નિગ્રહ (૨) અટકાવ; વિલય; નાશ (૩) અવરોધ; ચિત્તવૃત્તિઓનો નિગ્રહ; અટકાયત; મનના વલણ ઉપરનો કાબૂ; ચિત્તની બધી પ્રવૃત્તિઓ ઇષ્ટદેવમાં પરોવી દેવીએ. સંયમ; વિલય; અભાવ (૪) અટકી જવું, વિલય થવો. (૫) રોકાઇ જવું, નાશ કરવો. (૬) અટકવું, ટળવું, દૂરથવું. (૭) રોકવું, અટકાવવું. નિલય ધામ, ઘર. નિવેડો ઉકેલ, ફેંસલો. (૨) નિકાલ, નિરાકરણ, ફેસલો, ચુકાદો, પરિણામ, અંત નિરાવરણશાન જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટયો છે, અને અન્ય પદાર્થને વિષે | અહંતા મમતા વર્તતાં નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે. અર્થાત જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણજ્ઞાન કહેવા યોગ્ય છે. નિરાવરણ :આવરણ વિનાનું; આડચ કે અડચણ વિનાનું; ખુલ્લું (૨) આવરણ રહિત. આવરણ તો પર્યાયમાં હોય, પણ પર્યાય નિરપેક્ષ ત્રિકાળી સ્વભાવને, આવરણ શું? ત્રિકાળી સ્વભાવને આવરણ હોય નહિ. (૩) આવરણ વિનાનું, ખુલ્લું, આડચ કે અડચણ, વિનાનું (૪) અંતરાય વિનાનું, આવરણ રહિત, ખુલ્લું નિરાવરણ શાન જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટયો છે. અને અન્ય પદાર્થને વિષે, અહંતા મમતા વર્તતાં નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન, કહેવા યોગ્ય છે. કેવળજ્ઞાન નિરાવરણ કહેવાય છે, તે પરિપૂર્ણ સત્ય છે. (૨) જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટયો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતા મમતા વર્તતા નથી. તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે. અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન ચચચકકહેવા યોગ્ય છે. નિરાવલંબન :આધાર રહિત (૨) સ્વાવલંબી નિરાશ્રય :આશ્રય વિનાનું (૨) નિરાધાર; આધાર રહિત (૩) જેને આશરો ન રહ્યો હોય તેવું, નિરાધાર નિરાશિત અનાથ નિરાસ :નિરાકરણ; ખંડન (૨) નિરાકરણ; ખુલાસો; સમાધાન નિરાસ :નિરસન, નિરાકરણ, ખુલાસા, સમાધાન. નિરાવ આસ્રવ રહિત. (૨) સંકલ્પ-વિકલ્પ રહિત; આસ્રવ રહિત; શુધ્ધોપયોગી (૩) આસ્રવ રહિત નિરાહાર :આહારવિના નિરિયા :અનિચ્છા (૨) ઇચ્છારહિત. (૩) લાભની નિરિહિ અમન. (અંતઃકરણ (મન)નું વિલીનિકરણ, અમન (નિરિહિ) અવિનાશી-પરમ આત્મતત્ત્વ છે. ઉકેલ. નિવૃત્ત :પાછું કરેલું; ફારક થયેલું; પરવારીને બેઠેલું (૨) દૂર રહેવુ (૩) પાછું ફરેલું; ફારેક થયેલું; પરવારીને બેઠેલું નિવૃત્તિ ત્યાગ (૨) પુણય-પાપના ભાવથી રહિત થવું, તેનું નામ નિવૃત્તિ છે. નિવૃત્ત થવું પાછું વાળવું નિવૃત્ત થવાને અર્થે પાછો વાળવાને અર્થે નિવૃત્તિ :ક્ષય (૨) નિર્વાણ, નિઃશ્રેયસ, મોક્ષ. (૩) નિર્વાણ, નિવૃત્તિ-નિશ્રેયસુ, મોક્ષ. (૪) યોગ (૫) પુણ્ય-પાપના ભાવથી રહિત થવું, તેનું નામ નિવૃત્તિ છે. (૬) સમાપ્તિ, છૂટવું તે, સર્વથા મુકિત નિવૃત્તિ થવી ટળી જવી, બંધ ટળી જવો, વિકારી ભાવ, મટી જવો. નિવર્તવું ત્યાગ કરવો. નિવતાવીને :ટળીને નિવર્સે વૈરાગ્ય પામે નિવર્ચે નિવૃત્ત થવું; પાછા ફરવું
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy