SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ તે તપ નથી પણ શુભ-અશુભ ઈચ્છા મટતાં ઉપયોગ શુદ્ધ થાય છે. તે સમ્યક્તપ છે. (૭) અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત શય્યાસન અને કાયક્લેશ એ છ પ્રકારના બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ત, વ્યુત્સર્ગ, સ્વાધ્યાય અને ધ્યાન એ છ પ્રકારના અંતરંગ તપો ચિત્તને વશ કરવા અર્થે છે. તેર વ્રતોને દોષરહિત પાળવા માટે તેને પાંચ પાંચ અતિચાર પ્રસિદ્ધ છે. તેને દૂર કરવા એ શ્રાવકનું કર્તવ્ય છે. (૧) અહિંસા અણુવ્રતનાં પાંચ અતિચાર= (૧) બંધ-કષાયપૂર્વક કોઈને બાંધવો કે બંધનમાં નાખવો, (૨) વધ-કષાયથી કોઈને મારવો, ઘાયલ કરવો, (૩) છેદ-કષાયથી કરી કોઈના અંગ કે ઉપાંગ છેદી સ્વાર્થ સાધવો, (૪) અતિભાસરોપણ-હદ ઉપરાંત ભાર ભરવો, (૫) અન્નપાનનિરોધ-પોતાને આધીન મનુષ્ય કે પશુઓના ખાનપાન રોકી દેવાં. (૨) સત્યઅણુવ્રતના પાંચ અતિચાર= (૧) મિથ્યાઉપદેશ બીજાને મિથ્યા કહેવાનો ઉપદેશ દઈ દેવો, (૨) રહોડભ્યાખ્યાન=સ્ત્રીપુરુષની એકાંત ગુપ્તવાતોને પ્રગટ કરી દેવી, (૩) ફૂટ લેખક્રિયા-કપટથી અસત્ય લેખ લખવા. (૪) ન્યાસાપહાર-બીજાની થાપણને જૂઠું બોલી ઓળવવી; પાછું કાંઈ આપવું નહિ. (૫) સાકારમંત્રભેદ-કોઈના ગુપ્ત અભિપ્રાયને અંગોના હલનચલનથી જાણી લઈ પ્રગટ કરી દેવો. આ બધામાં કષાયભાવ હેતુરૂપ છે. (૩) અચૌર્ય અણુવ્રતના પાંચ અતિચાર (૧) સ્પેનપ્રયોગ-બીજાને ચોરી કરવાનો માર્ગ બતાવી દેવો, (૨) તદાહ્યતાદાન-ચોરીને આણેલો માલ જાણીને કે શંકા છતાં લેવો, (૩) વિરુદ્ધરાજ્યાતિક્રમ-રાજ્યની મનાઈ હોવા છતાં મર્યાદાને ઓળંગીને અન્યાયપૂર્વક લેવું-દેવું, ૪૦૪ (૪) હીનાધિકમાનોન્માન-ઓછા તોલમાપથી આપવું, અને વધારે તોલમાપથી લેવું, (૫) પ્રતિરૂપક વ્યવહાર-ખોટા સિક્કા ચલાવવા, અથવા ખરી વસ્તુમાં ખોટી ભેળવી ખરી કહી વેચવું. (૪) બ્રહ્મચર્ય અણુવ્રતના પાંચ અતિચાર (૧) પરિવવાહકરણ=પોતાના પુત્રપૌત્રાદિક સિવાય બીજાના સંબંધ જોડવા. (૨) પરિગ્રહીતાઈત્વરિકાગમન-વિવાહિત વ્યભિચારિણી સ્ત્રી પાસે જવું આવવું, (૩) અપરિગ્રહિતા ઈત્યારિકા ગમન-વિવાહિત નહિ એવી વેશ્યાદિકની પાસે જવું આવવું. (૪) અનંગક્રીડા-કામસેવનનાં અંગ સિવાય અન્ય અંગોથી કામસેવન કરવું. (૫) કામતીવ્રાભિનિવેશ-કામસેવનની તીવ્ર લાલસા સ્વસ્રીમાં પણ રાખવી. (૫) પરિગ્રહ પ્રમાણ વ્રતના પાંચ અતિચાર=દસ પ્રકારના પરિગ્રહની પાંચ જોડી થાય છે. ક્ષેત્ર-મકાન, ચાંદી-સોનું, ધન-ધાન્ય, દાસી-દાસ, કપડાંવાસણ એમાંથી કોઈ એક જોડીમાં એકને ઘટાડી બીજાની મર્યાદા વધારી લેવી તેવા પાંચ દોષ છે. (૬) દિગ્વિરતિના પાંચ અતિચાર= (૧) ઊર્ધ્વ વ્યતિક્રમ-ઊંચે જેટલું દૂર જવાનું પ્રમાણ કર્યું હોય તેને કોઈ કષાયને વશ થઈ ઓળંગી આગળ ચાલ્યા જવું. (૨) અધઃવ્યતિક્રમ-નીચેના પ્રમાણને ઓળંગી આગળ ચાલ્યા જવું. (૩) તિર્થંક વ્યતિક્રમ-બાકીની આઠ દિશાઓના પ્રમાણને ઓળંગી આગળ ચાલ્યા જવું. (૪) ક્ષેત્રવૃદ્ધિ-ક્ષેત્રની મર્યાદા એક તરફ ઘટાડી બીજી તરફ વધારી દેવી. (૫) સ્મૃત્યન્તરાધાને મર્યાદાને ભૂલી જવી.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy