SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ પ્રકારે છે :-સામાયિક, ચોવીસથ્થો, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. સામાયિક એટલે સાવદ્યયોગની નિવૃત્તિ. સામાયિક શાસ્ત્રકારે વિચાર કર્યો કે કાયાને સ્થિર રાખવાની હશે, તો પછી વિચાર કરશે, બંધ નહીં બાંધ્યો હોય તો બીજા કામે વળગશે એમ જાણી તેવા પ્રકારનો બંધ બાંધ્યો. જેવાં મન પરિણામ રહે તેવું સામાયિક થાય. મનના ઘોડા દોડતા હોય તો કર્મબંધ થાય. મનના ઘોડા દોડતા હોય, અને સામાયિક થાય-કર્યું હોય તો તેનું ફળ તે કેવું થાય ? (૩) સામાયિક, ચોવિસ જિનના સ્તવન, વંદના, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચખાણ . આ છયે આવશ્યક જીવને હિતકારી ૮ અસંયમ સાતેય સંયમ હોઇ શકે ચહ્યું અને અચક્ષુ દર્શન ચારેય દર્શન હોઈ શકે કૃષ્ણ,નીલ,કયાષ વેશ્યા છએ લશ્યાઓ હોઇ શકે છે. ભવ્ય કે અભવ્ય હોઇ ભવ્ય કે અભવ્ય હોઇ મિથ્યાત્વ છે એ સમાત્વ હોઇ શકે ૧૩ અસંજ્ઞી સંજ્ઞી ૧૪ આહાર કે અનાહાર આહાર કે અનાહાર ચૌદ વ્રત શ્રાવકને ચૌદ વ્રત હોય છે. તેના નામ આ પ્રમાણે છે : પાંચ અણુવ્રત, ત્રણ ગુણ વ્રત, ચાર શિક્ષા વ્રત, એક સંલેખના અને એક સમ્યકત્વ. આ રીતે શ્રાવકને ચૌદ વ્રત હોય છે. ચૌદમાં ગુણસ્થાન :હજી ચાર અઘાતિકર્મ બળેલા દોરડી જેવાં વિદ્યમાન છે, પણ તે બાધક નથી. અને આયુષ્ય પૂર્ણ થતાં સુધી, તેની સ્થિતિ છે. આયુષ્ય પૂરું થતાં દેહમાં રહેવાની જીવની સ્થિતિ પૂરી થાય છે. અને મુક્તિ પામે છે; કરી અવતાર થતો નથી. ચૌદમા ગુણસ્થાને બાકીના ચાર અઘાતી આવરણ છૂટવાનો કાળ પાંચ હૃસ્વ સ્વર (અ,ઈ,ઉ.૨, ૭) કહીએ તેટલો છે. તેટલો વખત ચૌદમું અયોગી ગુણસ્થાન છે. ત્યાં આત્મપ્રદેશોનું કંપન નથી, તથા કોઈ પણ કર્મ પરમાણુંનો આસ્રવ નથી. ઉપર કહ્યા તે પાંચ હસ્વ સ્વરો કહેવા જેટલો કાળ પૂરો થતાં આયુ, નામ, ગોત્ર અને વેદનીય એ ચારે કર્મોની સ્થિતિ પૂરી થઈ આત્મા અવિનાશી મૂક્ત સિદ્ધદશાને પામે છે. થીવ્યાહાર :ચો વિહાર =સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં અન્ન, પાણી, સુખડી કે મુખવાસ ન લેવાનું વ્રત, એ ચૌવિહાર. ચૌવિહાર ચાર પ્રકારનાં ભોજન-અન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય આહારને, રાત્રિ વિષે ભોગવાતો નથી. તેને ચૌવિહાર-રાત્રિ ભોજન ત્યાગ કહેવાય છે. યુત થવું સ્થાનથી છૂટવું. છ આવશ્યક :૧.સામાયિક, ૨.વંદન, ૩.ચોવીશ તીર્થકરોની અથવા પંચપરમેષ્ટીની સ્તુતિ, ૪.પ્રતિક્રમણ, ૫.સ્વાધ્યાય, ૬.કાયોત્સર્ગ. (૨) આવશ્યકના છે છ આવશ્યક ક્યિા સામાયિક, સ્તુતિ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન, આ છયે ક્રિયા આત્માની ઓળખાણ પૂર્વકની આ એક નિચિત્ત સ્તુતિમાં સમાઈ જાય છે.. (૧) સામાયિક :- પોતાના જ્ઞાન સ્વભાવની એકાગ્રતા થતાં, પુણ્ય સારા અને પાપ ખરાબ, એવો નિયમભાવ છૂટી ગયો અને પુણ્ય થાય બન્ને મારુ સ્વરૂપ નહિ, એમ સમભાવ તેનો જ્ઞાતા રહી ગયો, તે જ સાચી સામાયિક છે. (૨) સ્તુતિ = પહેલાં પરમાં એકાગ્રતા કરીને, જ્ઞાન સ્વભાવને ભૂલી જતો, હવે જ્ઞાન સ્વભાવની એકાગ્રતા કરી, તે જ સાચી સ્તુતિ, તેમાં અનંતા કેવળી સિદ્ધ ભગવંતોની સ્તુતિ આવી જાય છે. (૩) વંદન = પહેલાં વિકારથી લાભ માનીને, વિકારમાં ઢળી જતો તેને બદલે હવે વિકારથી, જુદુ સ્વરૂપ જાણીને સ્વમાં ઢળ્યો, તે જ સાચું વંદન, તેમાં અનંત તીર્થકર ભગવાનોને વંદન આવી જાય છે. (૪) પ્રતિક્રમણ = પહેલાં શુભરાગથી આત્માને લાભ માનતો, અનાદર અને મિથ્યાત્વના મહાન પાપનું સેવન હતું, પણ હવે સાચી ઓળખાણ કરી કે મારું જ્ઞાન પરને લીધે થતું નથી. અને શુભરાગથી મને ધર્મ થતો નથી. એટલે સાચી સમજણ વડે મિથ્યાત્વ મહાન પાપથી પાછો ફર્યો, તે જ સાચું પ્રતિક્રમણ છે, સાચી સમજણ થતાં ક્ષણે ક્ષણે અસત્ ના અનંત પાપથી પાછો ફરી ગયો છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy