SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જડની ક્રિયા આત્મા કરી શકતો નથી કારણ કે સર્વ દ્રવ્યો સ્વતંત્ર છે, તેથી તેની ક્રિયા પણ સ્વતંત્ર છે. સૌની ક્રિયા પોત-પોતાના દ્રવ્યને કારણે થાય છે, પર દ્રવ્યને કારણે થતી નથી. ૨. બીજી કરોતિ ક્રિયા તે ક્રિયા પર સાથે એકત્વ બુદ્ધિથી થાય છે. વિકારી ભાવ સાથે એકત્વરૂપ લીનતા, તે કરોતિ ક્રિયા છે, વિકારના કર્તા થવું તે કરોતિ ક્રિયા છે. ૩. ન્નતિ ક્રિયા- આત્માના જ્ઞાતા દટાપણાની શ્રદ્ધા ને લીનતા કરતાં જે ક્રિયા થાય છે, તે શક્તિ ક્રિયા છે. તે જ્ઞપ્તિ ક્રિયા પરને કરાણે થતી નથી. જેમ દ્રવ્ય સ્વતંત્ર સહજ અહેતુક છે, તેને કોઇ કારણ નથી તેમ તે દ્રવ્યની જ્ઞાતિ ક્રિયા પણ સ્વતંત્ર સહજ અને અહેતુક છે, તેને કોઇનું પરનું કારણ નથી, વિકારી કારણ ને અવિકારી કાર્ય હોય એમ ત્રણ કાળમાં બને નહિ. અવિકારી કારણ અને અવિકારી કાર્ય હોય. તે જ્ઞાતિ ક્રિયા છે. ભગવાન આત્મા સત્ અહેતુક છે, અને એની શક્તિ ક્રિયા પણ સત્ અહેતુક છે. આત્મા સ્વયં અવિનાશી જ્ઞાયક છે, તે અવિનાશી જ્ઞાયકની ક્રિયા તે ન્નતિ ક્રિયા છે. આ ક્ષતિ ક્રિયા થતાં, કરોતિ ક્રિયા છૂટી જાય છે. જડની ક્રિયા હું કરું છું, વિકારની ક્રિયા હું કરું છું-તેવી માન્યતા છૂટીને, ગ્લાયક આત્માની શ્રદ્ધા કરીને તેમાં રહેતાં જે જ્ઞાનની ક્રિયા થવા લાગી, તે જ્ઞાતિક્રિયા છે. નિર્મળ અવિનાશિની ક્રિયા તે જ એક સત્ આત્માની ક્રિયા છે. પરથી જુદા ચૈતન્ય આત્માની શ્રદ્ધા કરીને, તેમાં જ્ઞાયક પણે રહેવાથી કરોતિક્રિયા છૂટીને જ્ઞતિ ક્રિયા થવા લાગી. દ્રવ્ય દ્રષ્ટિથી જુએ તો અનાદિઅનંત જ્ઞાયક દ્રવ્યમાં સતુ અહેતુક અકારણીય જ્ઞતિક્રિયા થઇ જ રહી છે, પરિણમી જ રહી છે. આત્મા પરરૂપે કદી થયો જ નથી, પણ તેનું ભાન નથી, તેથી અજ્ઞાની કરોતિ ક્રિયારૂપે થઇ રહ્યો છે. જે પરિણતિ (અવસ્થાંતર થવું), તે ક્રિયા છે. ક્રિયા પર્યાયકી કેરણી ભેદ દષ્ટિથી કર્તા, કર્મ અને ક્રિયા ત્રણ કહેવામાં આવે છે. પણ અભેદદષ્ટિથી એ ત્રણેય, એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે. દરેક વસ્તુ પોતામાં ક્રિયા કરે છે. ૨૭૧ અને પોતે જ કર્તા-કર્મરૂપ થાય છે. સ્વતંત્રપણે કરે તે કર્તા; કર્તાનું કામ કોઇ સમયે તેનાતી જુદું ન હોય કે, તેનાથી ન બની શકે એવું ન હોય. જે વસ્તુ છે તેની અવસ્થા, કોઇ સમયે ન બદલે એવું હોય નહિ. દેહાદિની અવસ્થા હું કરી શકુ છું, મારી ઇચ્છાથી તે ક્રિયા-પરિણમન થાય છે. તે માન્યતા ત્રિકાળ ખોટી છે. કોઇ પણ આત્મા પરનો કર્તા વ્યવહાર પણ નથી. જડની કોઇ ક્રિયાથી, આત્માને કદી પણ લાભ કે નુકસાન થાય નહિ, તેમ જ પરના સંયોગમાં ફેરફાર થાય, તેથી કોઈને પુણ્ય, પાપ કે ધર્મ થાય નહિ. • ક્રિયાનું લક્ષણ પરિસ્પદ (કંપન) છે. ક્યિા અને કર્તાનું અભિજ્ઞાપણું સદાય તપી રહ્યું છે એટલે કે સદાય પ્રગટ છે. યિા ત્રણ પ્રકારે છે :(૧) જડની ક્રિયા - જડનું પરિણમવું, બદલવું તે. (૨) વિકારની ક્રિયા દયા,દાન,વ્રતાદિનાં પરિણામ તથા હિંસા, જૂઠ, ચોરી આદિ તથા ક્રોધાદિનાં પરિણામ છે. (૩) જ્ઞાનની ક્રિયા - આ જે આત્મા છે તે જ્ઞાનસ્વરૂપ છે એમ તાદામ્યપણે એમાં એકાગ્ર થવું તે જ્ઞાનની કિયા, ધાર્મિક ક્રિયા. ક્યિા વિશેષો :ક્રિયાના પ્રકારો. યિાકાંડ:બાહ્ય વ્રત-તપ. યિાયેકિતપણું :વૃત્તિમાં જે સત્ વર્તે છે તે વર્તન અને ચેષ્ટામાં પ્રગટ દર્શન થઇ ક્યાયેતિપણે આચરણમાં તારવા ક્રિયારૂપ છે. ક્લિાહ કાય કલેશ; કાય કષ્ટ. (૨) શરીર-ઇંદ્રિયોનું દમન કરવું; ઉપવાસ આયંબિલ-શારીરિક વ્રત-તપ વગેરે કરવાં; અંતભેદ પામ્યા વિના ક્રિયા કરવી; જ્ઞાનમાર્ગને નિષેધવો તેને ક્રિયાજડ કહે છે. જે જીવો ક્રિયાજડ છે તેને એવો ઉપદેશ કાર્ય કે કાયા જ માત્ર રોકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી, વૈરાગ્યાદિ ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, માટે ગમે તે ક્રિયાને અવગાહો, અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી; કેમ કે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતાં નથી માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણોમાં વર્તો; અને કાયકલેશરૂપ પણ કષાયાદિનું
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy