SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વભાવસમુખ થઈ, સ્વાનુભવ કરતાં, તે જ્ઞાનક્રિયા કરે છે. આમાં દ્રવ્યગુણ-પર્યાય ત્રણે, સિદ્ધ થઈ ગયાં. આ જાણવું, જાણવું, જાણવું-એવો જેનો સ્વભાવ છે, તે દ્રવ્ય આત્મા; જાણવું જે સ્વભાવ, તે ગુણ. ગુણ અને ગુણી બે, એક અભિન્ન છે - એમ જે, સ્વલો પરિણમન થયું, તે જ્ઞાનક્રિયા-પર્યાય. આ જ્ઞાનક્રિયા તે ધર્મ છે, મોક્ષમાર્ગ છે. જ્ઞાન તે આત્મા-એમ સ્વ તરફ ઢળતાં, જે સ્વાત્મપ્રતીતિ થઈ, તે શ્રદ્ધાન-જ્ઞાનચારિત્રની એકરૂપ પરિણતિ, તે મોક્ષમાર્ગ છે. (૧) શરીર, મન, વાણી, ધનાદિ, જે જડ પદ્રવ્ય છે, તેની ક્રિયા, તે જડની ક્રિયા.(૨) પદ્રવ્યના લક્ષે ઉત્પન્ન રાગની ક્રિયા, તે વિભાવરૂપ ક્રિયા. (૩) સ્વરૂપના લક્ષે ઉત્પન્ન જ્ઞાનની ક્રિયા, તે સ્વભાવભૂત ક્રિયા. ત્રણ પ્રકારની ક્રિયા છે. આત્માના પ્રદેશોના પરિસ્પંદનરૂપ યોગ તે ક્રિયા છે;તેમાં મન, વચન અને કાયા નિમિત્ત હોય છે. આ ક્રિયા, સકાષાય યોગમાં દસામાં ગુણ સ્થાન સુધી હોય છે. પૌલિક મન, વચન કે કાયાની કોઇપણ ક્રિયા, આત્માની નથી અને તે આત્માને લાભકારક કે નુકશાનકારક નથી. આત્મા જ્યારે સકષાય યોગરૂપે પરિણામે, અને નવાં કર્મોનો આસ્રવ થાય, ત્યારે આત્માનો પોતે તે આસવનું પગલ-આસ્રવમાં નિમિત્ત છે, અને પુદ્ગલ પોતે તે આસવનું ઉપાદાન કારણ છે. ભાવાસવનું ઉપાદાન કારણ, આત્માની તે તે અવસ્થાની લાયકાત છે, અને નિમિત્ત જૂના કાર્યોનો ઉદય પોતે તે આસવનું ઉપાદાનકારણ છે, ભાવાસવનું ઉપાદાનકારણ આત્માની તે તે અવસ્થાની લાયકાત છે અને નિમિત્ત જૂના કર્મોનો ઉદય છે. પચ્ચીસ પ્રકારની ક્રિયાનાં નામ તથા તેના અર્થ (નોંધઃ પચ્ચીસ પ્રકારની ક્રિયાના વર્ણનમાં ક્રિયાનો અર્થ, આત્માના પ્રદેશોની પરિસ્પંદનરૂપ ક્રિયા, એમ કરવો. ૧. સર્વ ક્રિયા= ચૈત્ય, ગુરુ, પ્રવચનની પૂજા વગેરે કાર્યોથી સમ્યકત્વની વૃત્તિ થાય છે તેથી તે સમ્યકત્વ ક્રિયા છે. અહીં જે મન, વચન, કાયાની જે ક્રિયા થાય છે તે સમ્યકત્વની જીવને શુભભાવમાં નિમિત્ત છે; તેઓ શુભભાવને ધર્મ માનતા નથી. તેથી તે માન્યતાની દઢતા વડે, તેમને સમ્યકત્વની વૃદ્ધિ થાય છે, માટે તે માન્યતા આસવ નથી, પણ જે સકષાય (શુભભાવસહિત) યોગ છે, તે ભાવ આસવ છે; દ્રવ્યકર્મના આસવમાં તે સકષાય યોગ માત્ર નિમિત્તકારણ છે. ૨. મિથ્યાત્વ ક્રિયા= કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રમાં સ્તવનાદિરૂપ મિથ્યાત્વ કારણવાળી ક્રિયામાં અભિરુચિ, તે મિથ્યાત્વ ક્રિયા છે. ૩. પ્રયોગ ક્રિયા= હાથ, પગ, વગેરે ચલાવવાના ભાવરૂપ ક્રિયા તે ક્રિયા કર્મ : આત્માના પ્રદેશોના પરિસ્પંદન રૂપ યોગ, તે ક્રિયા છે, તેમાં મન; વચન અને કાયા નિમિત્ત હોય છે. આ ક્રિયા સકષાય યોગમાં, દસમાં ગુણ સ્થાન સુધી હોય છે. પૌત્રલિક મન, વચન કે કાયાની કોઇ પણ ક્રિયા આત્માની નથી અને તે આત્માને લાભકારક કે નુકશાનકારક નથી. આત્મા જ્યારે સકષાય યોગરૂપે પરિણમે અને નવા કર્મોનો આસ્રવ થાય, ત્યારે આત્માનો સકષાય યોગ તે પુલ આસવમાં નિમિત્ત છે અને પુલ ૪. સમાદાન ક્રિયા= સંયમી પુરુષનું અસંયમ સન્મુખ થવું તે, સમાદાન ક્રિયા છે. ૫. ઇર્ષાય ક્રિયાનું સમાદાન ક્રિયાથી ઉલટી ક્રિયા એટલે કે સંયમ વધારવા માટે જે ક્રિયા કરે, તે ઇર્યાપથ ક્રિયા છે. ૬. પ્રાદોષિક ક્રિયા= ક્રોધના આવેશથી Àષદિકરૂપ બુદ્ધિ કરવી, તે પ્રાદોષિક ક્રિયા છે. કાવિકી ક્રિયા ઉપર્યુક્ત પ્રદોષ ઉત્પન્ન થતાં હાથથી મારવું, મુખતી ગાળો દેવી ઇત્યાદિ પ્રવૃત્તિનો ભાવ, તે કાયિકી ક્રિયા છે. અધિકારણિકી ક્રિયા હિંસાના સાધનભૂત બંદૂક, છરી વગેરેનું દેવું રાખવું તે સર્વે અધિકારણિકી ક્રિયા છે. ૯. પરિતાપ ક્રિયા= બીજાનાં દુઃખ દેવામાં લાગવું, તે પરિતાપ ક્રિયા છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy