SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અહંત ભગવાન ૧૮ દોષ રહિત છે તે દોષનાં નામ : શ્રુધા, તૃષા, ભય, રોષ, (ક્રોધ), રાગ, મોહ, ચિંતા, જાર , રોગ, મૃત્યુ, સ્વેદ (પરસેવો), ખેદ, મદ, રતિ, વિસ્મય, નિદ્રા, જન્મ અને ઉદ્વેગ. (આ અઢાર દોષ છે તે અહંતને કદી હોતા નથી.) (૨) પાંચ ઈન્દ્રિયનો નિગ્રહ, બ્રહ્મચર્યની નવ ગુપ્તિ, ચાર કષાયની મક, પાંચ મહાવ્રત, ૫ જ્ઞાન દર્શન ચારિત્ર, તપ, વીર્ય એ પંચાચાર પાલન, ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ એમ એકંદર છત્રીશ ગુણ આચાર્યના આચાર્યપણું કરવું :બીજાને કહી, તે પ્રમાણે અંગીકાર કરાવવું. આચાર્યો વિશુદ્ધ જ્ઞાન દર્શન જેનો સ્વભાવ છે, એવા આત્મત્વની નિશ્ચયરુચિ, તેવી જ જ્ઞપ્તિ, તેવી જ નિશ્ચળ-અનુભૂતિ, પર દ્રવ્યની ઈચ્છાના પારિહારપૂર્વક, તે જ આત્મ દ્રવ્યમાં પ્રતપન, અર્થાત્ તપશ્ચરણ અને સ્વશકિતને ગોપવ્યા વિના તેવું જ અનુષ્ઠાન,-આવા નિશ્ચયપંચાચારનેતથા તેના સાધક વ્યવહાર પંચાચારને- કે જેની વિધિ આચારાદિ શાસ્ત્રોમાં કહી છે, તેને -એટલે કે ઉભય આચારને જેઓ પોતે આચરે છે, અને બીજાઓને અચરાવે છે, તેઓ આચાર્યો છે. અચિંત્ય જેનું ચિંતન ન થઈ શકે તેવો વિશાળ, જેનેં મનન ન થઈ શકે એવો વિશાળ.માહાભ્યના ભાન વિના દષ્ટિ અને દોર વિના; વીતરાગી સ્વભાવના આશ્રય વિના, કષાય ટળી શકતા નથી, આત્મ સ્વભાવના આશ્રય વિના, અસ્તિના આશ્રય વિના કષાયની નાસ્તિ થતી નથી. આ જન્મકવિ :જન્મથી યોગી. આશા આદેશ; હકમ; આણ. (૨) આ = મર્યાદા, જ્ઞા = જ્ઞાન. જેવો સ્વતંત્ર સ્વભાવ છે તેનું જ્ઞાન. (૩) આ વિશ્વમાં જડ ચૈતન્યાત્મક જે જે પદાર્થો છે તે સર્વનું સર્વ પ્રકારે યથાતથ્ય જ્ઞાન જેથી થાય તે આજ્ઞા. (૪) સપુરુષના વચનનું શ્રવણ, તેની પ્રતીતિ અને તેની આજ્ઞા-એટલે ઉપદેશ-આદેશ મુજબ પ્રવર્તતાં જીવ સાચા ચારિત્રને પામે છે, હુકમ; આણ. (૫) આદેશ; આણ; હુકમ. (૬) આ એટલે સમૃતાત ચારે તરફથી, સમસ્ત પ્રકારે, અને જ્ઞા એટલે જ્ઞાપતિ પદાર્થોનું પદાર્થોને જણાવે તો આજ્ઞા. અથવા આ એટલે ૧૫૪ મર્યાદા, વસ્તુની જેવી મર્યાદા, સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂ૫ છે તેમ જાણવું જેથી થાય તે આજ્ઞા. આ વિશ્વમાં જડ ચેતન્યાત્મક જે જે પદાર્થો છે તે સર્વનું સર્વ પ્રકારે યથાતથ્ય જ્ઞાન જેથી થાય તે આજ્ઞા. આશા આરાધક :આજ્ઞા પ્રમાણે ચાલનાર. આશાવિશય :આગમની પ્રમાણતાથી અર્થનો વિચાર કરવો તે. આશાધાર :આજ્ઞાંકિતપણે આશ્ચાવિચય (આણાવિજય) આજ્ઞા એટલે સર્વજ્ઞ ભગવંતે ધર્મતત્ત્વ સંબંધી જે જે કહ્યું છે તે તે સત્ય છે, એમાં શંકા કરવા જેવું નથી; કાળની હીનતાથી ઉત્તમ જ્ઞાનના વિચ્છેદ જવાથી, બુદ્ધિની મંદતાથી કે એવા અન્ય કોઈ કારણથી મારા સમજવામાં તે તત્ત્વ આવતું નથી. પરંતુ અહંત ભગવંતે અંશ માત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી જ, કારણ એઓ નીરાગી, ત્યાગી અને નિઃસ્પૃહી હતા. મૃષા કહેવાનું કાંઈ કારણ એમને હતું નહીં, તેમ તેઓ સર્વજ્ઞ અને સર્વદર્શ હોવાથી અજ્ઞાનથી પણ મૃષા રહે નહીં. જ્યાં આજ્ઞાન જ નથી ત્યાં એ સંબંધી મૃષા કયાંથી હોય ? એવું જે ચિંતન કરવું તે આજ્ઞાવિચય નામે પ્રથમ ભેદ છે. આજન્મ:જન્મથી માંડીને આજીવ તત્ત્વની ભૂ૭ :મિથ્યાષ્ટિ જીવ એમ માને છે કે શરીરના ઉત્પત્તિ (સંયોગ) થતાં હું જભ્યો અને શરીરનો નાશ (વિયોગ) થવાથી હું મરી જઈશ (આત્માનું મરણ માને છે.) ધન, શરીરાદિ જડ પદાર્થોમાં પરિવર્તન થતાં પોતાનામાં ઈષ્ટ-અનિષ્ટ પરિવર્તન માનવું, શરીરની ઉષ્ણ અવસ્થા થતાં મને તાવ આવ્યો, શરીરમાં સુધા, તૃષારૂપ અવસ્થા થતાં મને સુધા-તૃષાદિ થાય છે, શરીર કપાતાં હું છેદાઈ ગયો, ઈત્યાદિ જે અજીવની અવસ્થાઓ છે તેને પોતાની માને છે તે અજીવ તત્ત્વની ભૂલ છે. (આત્મા અમર છે, તે વિષ, અગ્નિ, શસ્ત્ર, અસ્ત્ર કે બીજા કોઈથી મરતો નથી કે નવો ઉત્પન્ન થતો નથી. મરણ (વિયોગ) તો માત્ર શરીરનું જ થાય છે.) આદત પુરુષ :રાગ દ્વેષ મોહાદિ દોષ અને જ્ઞાન-દર્શન આવરણ રાખ્યા છે તે જ પુરુષ આપ્ત (વિશ્વાસપાત્ર) હોવા યોગ્ય છે; કારણકે જ્ઞાનને આવરણ હોય
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy