SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1103
Loading...
Download File
Download File
Page Text
________________ છે, તેમ ભગવાન આત્મા નિજ સ્વભાવમ એકાગ્ર થઈને રમે પ્રવર્તે ત્યારે | પર્યાયમં જ્ઞાન અને આનંદની કળા ખીલી નીકળે છે. જ્ઞાનચેતના ખીલી નીકળે છે, અને તે વૃદ્ધિગત થઈ જેમ પૂનમનો ચંદ્ર સર્વ કળાએ ખીલી નીકળે તેમ જ્ઞાનચેતના કેવળજ્ઞાનપણે ખીલી ઊઠે છે. આવી વાર્તા સ્વસ્વરૂપમં લીન થઈને ત્યાં જ રમે તેને કેવળજ્ઞાન ખીલી ઊઠે છે; અને ત્યારે સંપૂર્ણ જ્ઞાન ચેતના કહેવાય છે. (૮) આત્મા વસ્તુ ત્રિકાળ છે, તેનો જ્ઞાનાનંદસ્વભાવ પણ ત્રિકાળ છે. આવા નિજ સ્વભાવનું ભાન કરી અંતર એકાગ્રતાથી આનંદની રમતમાં જોડાવું તેનું નામ જ્ઞાનચેતના છે. શાનયેતના કેવી છે ? :સદા આનંદરૂપ પોતાના સ્વભાવના અનુભવરૂપ છે. જ્ઞાન ચેતના નિજ સ્વભાવના અનુભવરૂપ સદા આનંદરૂપ છે એ અસ્તિની વાત કરી, નાસ્તિથી કહીએ તો તે શુભાશુભને કરવા ભોગવવાની ભાવના અભાવરૂપ છે. અહાહા ! આત્મા ચૈતન્ય રત્નાકર પ્રભુ છે. તે પુણ્ય-પાપરૂપ વિભાવને કેમ કરે ? જ્ઞાનાનંદના અનુભવરૂપ જ્ઞાનચેતનાને છોડી તે વિભાવને -શુભાશુભને કેમ કરે ? આચાર્ય કહે છે - જ્ઞાનીજનો ! જ્ઞાનચેતનાને સદા ભોગવો, આનંદરસને સદા પીઓ. શાનયેતનાના ભેદ :જ્ઞાન ચેતનાના પાંચ ભેદ છે. (*) મતિજ્ઞાન, (૯) શ્રુતજ્ઞાન, (*) અવધિજ્ઞાન, (*) મન:પર્યયજ્ઞાન અને (૯) કેવળજ્ઞાન. પાનાચાર :કાળ, વિનય, ઉપધાન, બુહમાન, અનિદ્ભવ, અર્થ, વ્યંજન અને તદુભય સંપન્ન જ્ઞાનાચાર, ! શું આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું તો પણ ત્યાં સુધી તેને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. ધન જાતિ :જ્ઞાન ગુણ. ૧૧૦૩ શાનથી અથાંતરભૂત જ્ઞાનથી અજવસ્તુભૂતઃ જ્ઞાનથી અન્ય અર્થાત્ જડ (અજીવનો સ્વભાવ અચૈતન્ય હોવાને લીધે જ્ઞાનથી અન્ય એવાં જડ ચિહ્નો વડે તે જણાય છે. શાનથી અર્થાન્તરત :જ્ઞાનથી અન્ય વસ્તુભૂત; જ્ઞાનથી અન્ય અર્થાત્ જડ (અજીવનો સ્વભાવ અચૈતન્ય હોવાને લીધે જ્ઞાનથી અન્ય એવાં જડ ચિહ્નો વડે તે જણાય છે.) શાનદર્પણ દર્પણમાં મયૂર, મંદિર, સૂયૅ, વૃક્ષ વગેરેના પ્રતિબંબ પડે છે. ત્યાં નિશ્ચયથી તો પ્રતિબિંધો દર્પણની જ અવસ્થા છે; છતાં દર્પણમાં પ્રતિબિંબો દેખીને કાર્યમાં કારણનો ઉપચાર કરીને મથુરાદિ દર્પણમાં છે એમ વ્યવહારથી કહેવાય છે. (પ્રતિબિંબો નૈમિત્તિક કાર્ય છે અને મથુરાદિ નિમિત્ત કારણ છે.) એવી રીતે જ્ઞાનદર્પણમાં પણ સર્વ પદાર્થોના સમસ્ત જોયાકારોનાં પ્રતિબિંબ પડે છે. અર્થાત પદાર્થોના સેવાકારોના નિમિત્તે જ્ઞાનમાં જ્ઞાનની અવસ્થારૂપ શેયાકારો થાય છે. (કારણ કે જો એમ ન થાય તો જ્ઞાન સર્વપદાર્થોને જાણી શકે જ નહિ) શાનદર્શન :જ્ઞાનદર્શનનું ફળ યથાખ્યાત ચારિત્ર, અને તેનું ફળ નિર્વાણ; તેનું ફળ અવ્યાબાધ સુખ. (૨) જાણવું-દેખવું. શાન-દર્શન-ચારિત્રનિયમ :આ જ્ઞાનદર્શન ચારિત્ર સ્વરૂપ નિયમ નિર્વાણ કારણ છે. શાન-દર્શનથી પૂર્ણ જાણવું અને દેખવું તેનાથી ભરેલો છું. શાનધન આત્મા અજ્ઞાન અને રાગદ્વેષના વિકલ્પો અંતર પેસે નહિ એવો નિબિક જ્ઞાનનો ધન આત્મા છે. શાનધામ :જ્ઞાનમંદિર; જ્ઞાન પ્રકાશ શાનધારા જ્ઞાનનો પ્રવાહ. શાનનું માર્ગ ચરે છે જ્ઞાનને અનુસરનારા ર્માર્ગ પ્રર્વર્ત છે. શાનનું સત્કાર્ય હું મારારૂપે થનાર છું પણ પર રૂપે થનાર નથી એવી શ્રદ્ધાને જ્ઞાન કરીને જ્ઞાનમાં સ્થિર રહેવું તે જ્ઞાનનું કાર્ય છે. પરના કાર્યરૂપે ન થવું પણ પોતાના કાર્યરૂપ થવું તે જ્ઞાનનું સત્કાર્ય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy