SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1057
Loading...
Download File
Download File
Page Text
________________ તેટલા બધા જ તારામાં પણ છે. જે સિદ્ધમાં નથી તે તારામાં નથી. આવો પરમાર્થ સ્વભાવ વર્તમાન અવસ્થામાં પણ અખંડપણે ભરેલો છે. તે પૂર્ણનો વિશ્વાસ ન બેસે અને ભવની શંકા ન ટળે તો કેવળ જ્ઞાનીને તથા જ્ઞાનીના ઉપદેશને તે માન્યા નથી. બધા આત્મા જાણનાર સ્વરૂપે છે, તું પણ જ્ઞાનસ્વરૂપ આત્મા છો એમ જાણીને કહેવાય છે તું પંચેન્દ્રિય છો કે મનુષ્ય છો એમ કહીને ઉપદેશ દેતા નથી. (૧૦) અખંડ પૂર્ણ સ્વભાવ ઉપર દૃષ્ટિનું જોર આવતાં સ્વભાવ પ્રગટે છે. શ્રદ્ધામાં અખંડ ધ્રુવ એક સ્વભાવ છે અને જ્ઞાન તે ત્રિકાળી પૂર્ણ સ્વભાવને એને વતમાન અવસ્થાને જાણવાનું છે. (૧૧) જ્ઞાન અને શ્રદ્ધા. (૧૨) બાહ્ય પદાર્થના નિમિત્ત વિનાનો નિરૂપાધિક ગુણ, તે સ્વભાવ. વર્તમાન ક્ષણિક અવસ્થા પુરતો પૂણ્ય પાપનો શુભ-અશુભ ભાવ છે, તે કર્મના નિમિત્તાધીન થતો હોવાથી, વિકારી ભાવ છે, પણ સ્વભાવ ભાવ નથી. (૧૩) સ્વનું ભવન તે સ્વભાવ. સ્વ એટલે આત્મા અને ભવન એટલે જ્ઞાનનું પરિણમન. આત્માનું શુદ્ધજ્ઞાન આત્મામાં પરિણમે તેને સ્વભાવ કહે છે. (૧૪) પર નિમિત્તના આશ્રય વિના એકરૂપ ટકી રહે તે. (૧૫) સ્વભાવના ભાવ વડે-નિત્ય અતિ સ્વભાવના ભાન વડે તે પુય-પાપના વિકારીભાવ ટળી શકે છે, માટે પ્રથમ શ્રદ્ધામાં શુદ્ધ સ્વભાવની નિઃસંદેહતા કરવી જોઈએ, પૂર્ણ સ્વભાવી નિત્ય અવિકારી છું એવો નિશ્ચય કરવો જોઈએ. મારો સ્વભાવ ત્રિકાળી પૂર્ણ શુદ્ધ છે, ક્ષણિક વિકારની ઉપાધિ કે કોઈ પર ચીજનો સંયોગ મારૂ સ્વરૂપ નથી. સેવા પરથી નિરાળા સ્વભાવની શ્રદ્ધાના જોરે નિરુપાધિક પૂર્ણ સ્વભાવનો વિવેક કરવો. પરથી યથાર્થપણે જુદો માનવો તે જ પ્રથમ ધર્મ છે, તે જ સમ્યગ્ન જાતિ છે. (૧૬) અકષાયતા, ષડંપતા, વીતરાગતા, સ્થિરતા, આનંદ, જ્ઞાન, દર્શન વગેરે અનંત સ્વભાવથી ભરેલું તત્ત્વ છે. (૧૭) ગુણસ્વરૂપ. (૧૮) સ્વરૂપ. (૧૯) વનું ભવન તે સ્વભાવ; નિશ્ચયથી જ્ઞાનનું થયું - પરિણમવું તે આત્મા છે. પોતાના જ્ઞાન સ્વભાવમાં સ્વતઃ પરિણમવું તે આત્મા છે. સુખ માટે તારે દ્રવ્યની શી જરૂર છે? ૧૦૫૭ નરકમાં અનંત અનંત દુઃખ ભોગવ્યાં, પાણીનો બિંદવો અને દાણાનો કણ ન મળ્યો તે વખતે જીવે આકુળતા કરી દુઃખ ભોગવ્યું પણ ભાઈ ! વિચાર તો ખરો ! સુખને માટે તારે પર દ્રવ્યની શી જરૂર છે ? તારું સુખ તારામાં ભર્યું છે; અત્યારે મોંઘવારીનો સમય છે એટલે લોકો દાણા સંઘરી રાખે છે અને આકુળતા કરે છે પરંતુ ત્રણ લોકના નાથ ચૈતન્ય ભગવાનને કાંઈ અનાજના દાણા શરણરૂપ થાય એમ નથી. ચિદાનંદ ભગવાન આત્માને એક વિકલ્પ કે એક રજકણની જરૂર નથી એવી શ્રદ્ધા કર તો સમાધાન થાય એમ શ્રી ગુરૂનો ઉપદેશ છે. (૧૯) નિત્ય જાણનાર, દેખનાર જ્ઞાન સ્વરૂપ. (૨૦) પોતાનો ભાવ. (૨૧) પર નિમિત્તના આશ્રય વિના એકરૂપ ટકી રહે, તે. (૨૨) પોતાની ત્રિકાળી શક્તિરૂપ અવસ્થા અથવા ગુણ ૨વભાવ અર્થ પર્યાય :૫ર નિમિત્તના સંબંધ રહિત, જે અર્થ પર્યાય થાય છે, તેને સ્વભાવ અર્થ પર્યાય કહે છે; જેમ કે, જીવનો કેવલ જ્ઞાન પર્યાય. (૨) બીજાના નિમિત્ત વિના, જે અર્થ પર્યાય, તેને સ્વભાવ અર્થ પર્યાય કહે છે, જેમ કે જીવનું કેવળ જ્ઞાન સ્વભાવ અર્થ પર્યાય કોને કહે છે ? :બીજાના નિમિત્ત વિના, જે અર્થ પર્યાય હોય, તેને સ્વભાવ અર્થ પર્યાય કહે છે. જેમ કે જીવનું કેવળજ્ઞાન. સ્વભાવ અર્થપર્યાય બીજાના નિમિત્ત વિના જે અર્થપર્યાય હોય. તેને સ્વભાવ અર્થપર્યાય કહે છે. જેમ કે જીવનું કેવળજ્ઞાન. સવભાવગતિ યિા અને વિભાવગતિ ક્યિા ચૌદમાં ગુણસ્થાનના અંતે જીવ ઉર્ધ્વગમન સ્વભાવથી લોકાંતે જાયતે જીવની સ્વભાવગતિ ક્રિયા છે અને સંસારાવસ્થામાં કર્મના નિમિત્તે ગમન કરે તે જીવની વિભાવગતિ ક્રિયા છે. એક છૂટો પરમાણ ગતિ કરે તે પુલની સ્વભાવગતિ ક્રિયા છે અને પુદ્ગલસ્કંધ ગમન કરે તે પુલની(સ્કંધમાના દરેક પરમાણુઓની) વિભાવગતિ ક્રિયા છે. આ સ્વાભાવિક તેમજ વૈભાવિક ગતિક્રિયામાં ધર્મદ્રવ્ય નિમિત્ત માત્ર છે. સ્વભાવસ્થિત યિા અને વિભાવસ્થિત યિા સિદ્ધદશામાં જીવ સ્થિર રહે તે જીવની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે અને સંસારદશામાં સ્થિર રહે તે જીવની
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy