SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1040
Loading...
Download File
Download File
Page Text
________________ એની દષ્ટિ એ નિર્વિકલ્પ સમ્યગ્દર્શનનું એનું સ્વસંવેદન જ્ઞાન, એ સમ્યજ્ઞાન અને એમાં રમણતા, લીનતા આચરણરૂપ અનુકાન, એ સમ્યક ચારિત્ર. આ નિશ્ચયરત્નત્રયનું સેવન કરે, તે સાધુ છે. (૪) સાધુ આગમ ચક્ષુ-આગમરૂપ ચક્ષવાળા છે. (૫) શુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવવાળી શુદ્ધ સહજાત્મતત્ત્વની આરાધનારૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિને જે સાધે છે તે સાધુ છે. (૬) ભગવાન આત્મા અનંત જ્ઞાન અને આનંદના સામર્થ્યવાળો પરમેશ્વર છે. તેને જાણીને, તેનું શ્રધ્ધાન કરીને તેમાં રમણતા કરવી તેનું આચરણ-ચારિત્ર છે. બહારમાં વસ્ત્રનો ત્યાગ કરે, નગ્નપણું ધારણ કરે અને પંચમહાવ્રત લે તેથી કાંઇ ચારિત્ર પ્રાપ્ત થઇ જતું નથી. અંદર ભગવાન આનંદનો નાથ જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપે બિરાજે છે તેમાં ઉગ્રપણે લીનતા કરી દરવું એનું નામ ચારિત્ર છે. અને ત્યાં વસ્ત્રનો ત્યાગ અને નગ્નપણું સહજપણે હોય જ છે. વસ્ત્ર રાખીને સાધુપણું માને એ તો મિથ્યાત્વ છે. જૈનદર્શનમાં વસ્ત્ર સહિત સાધુપણું ત્રણ કાળમાં કદીય હોતું નથી. તથા વસ્ત્ર છોડીને નગ્ન થાય પરંતુ આત્માના શ્રધ્ધા-જ્ઞાન ચારિત્ર રહિત હોય તો એ પણ મિથ્યાદ્રષ્ટિ છે. ભલે પંચ મહાવ્રતને પાળે, પણ એ મહાવ્રતના વિકલ્પને ધર્મ માને તો એ મિથ્યાદ્રષ્ટિ છે. પંચમહાવ્રતનો વિકલ્પ એ તો રાગ છે. આગમાં રમે એ ચારિત્ર કેમ કહેવાય ? આત્માના આનંદમાં રમણતા કરે એ ચારિત્ર છે, ધર્મ છે. (૭) રત્નત્રયને સાધનારા તે સાધુ સાધુ સાધવું; સિદ્ધ કરે; પાર પાડે; જાણે. સાંધતડ સાધુ (નિ-શ્રમણ)ના ૨૮મળ ગુણ : ૫ મહાવ્રત=હિંસા, અસત્ય, ચોરી, આદાન, નિક્ષેપણ અને પ્રતિષ્ઠાપન ૫ સમિતિ=ઈર્યા, ભાષા, એષણા, આદાન, નિક્ષેપણ અને પ્રતિકાપન ૫ ઇન્દ્રિય નિરોધઃપાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ઇષ્ટ-અસ્નિપણું ન માનવું ૬ આવશ્યક= સામાયિક, વંદના, ૨૪ તીર્થકરની અથવા પંચપરમેષ્ટીની સ્તુતિ; પ્રતિક્રમણ; સ્વાધ્યાય અને કાર્યોત્સર્ગ ૧૦૪૦ ૨૨ કેશ લોચ, ૨૩ અચેલપણું (વસ્ત્રરહિત-દિગંબરપણું) ૨૪ અસ્નાનતા, ૨૫ ભૂમિશયન, ૨૬ દાતણ ન કરવું, ૨૭ ઊભા ઊભા ભોજન કરવું અને ૨૮ એક વખત આહાર. (આચાર્ય, ઉપાધયાય અને સાધુ એ ત્રણે નિશ્ચય રત્નત્રય અર્થાત શુધ્ધોપયોગરૂપ મુનિધર્મરૂપ જે આત્મસ્વરૂપનું સાધન છે તે વડે પોતાના આત્મામાં સદા તત્પર (સાવધાન-જાગૃત) રહે છે. બાહ્યમાં ૨૮ મૂળગુણોના ધારક હોય છે. તેમની પાસે દયાનું ઉપકરણ પછી, શૌચનું ઉપકરણ કમંડળ અને જ્ઞાનનું ઉપકરણ સુશાસ્ત્ર હોય છે. તેઓ શાસ્ત્રકથિત ૪૬ દોષ (૩૨ અંતરાય અને ૧૪ આહાર સંબંધી દોષ) થી બચાવીને શુધ્ધ આહાર લે છે. તે જ મોક્ષમાર્ગના સાધક સાચા સાધુ છે અને તે ગુરુ કહેવાય છે.) સાધુએ પાળવાના અફાવીસ મુળ ગુણ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઈન્દ્રિય નિરોધ, છ પરમ આવશ્યક, કેશલોચ, અસ્નાન, અચલપણું (નગ્નપણું), અદંતધાવન, ભૂમિશયન, ઉભા રહીને ભોજન કરવું, અને એક વખત ભોજન : આ યોગીના અઠ્ઠાવીસ મૂળ ગુણ છે જે સદા પાળવા યોગ્ય છે. સાધુઓ :નિશ્ચય ચતુર્વિધ -આરાધના વડે જેઓ શુદ્ધ આત્મસ્વરૂને સાધે છે, તેઓ સાધુઓ છે. સાધક :નિમિત્ત. (૨) અધુરી નિર્મળ પર્યાયરૂપ દર્શન, જ્ઞાન, ચારિત્ર સાધકતમ :ઉત્કૃષ્ટ સાધન તે કરણ (૨) ઉત્કૃષ્ટ હેતુ (૩) ઉત્કૃષ્ટ સાધક (૪) ઉત્કૃષ્ટ સાધન તે કરણ (૫) પૂર્ણ સાધક, સર્વ સાધક સાધક ભાવ જે સંતોને અંતર્મુહર્તમાં કેવળ લેવા છે તે સંતોને પણ ઝાલીને મેરુપર્વત ઉપર પૂર્વના વેરી દેવોએ પછાડ્યા તોપણ સંતોએ જરાય ખેદ નહિ કરતાં વિચાર્યું કે એના ભાવ એને જે કરવું હોય તે કરવા દે, તારા ભાવે તું કર. એમ વિચારી સ્વરૂપમાં કર્યા અને અનંતર્મુહૂર્ત કેવળ લઈ મોક્ષ પધાર્યા. બહારની પ્રતિકૂળતા સાધકને ક્યાં બોધક થાય તેમ છે ? મેરૂ પર્વતથી અનંતામુનિઓ મોક્ષ પધાર્યા. શાસ્ત્રોમાં લેખ છે કે અઢી દ્વીપમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાંથી અનંતા સિદ્ધ ન થયા હોય, બધા સ્થાનેથી મુનિઓ સિદ્ધ થયા છે. સાધકનો મુખ્યપણે એવો સહજ સ્વભાવ છે કે જેમ ભીંસ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy