SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1017
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) (૨) (૩) કોઈ જીવને એક કાર્ય કરવાનો શુદ્ધભાવ થયો, અને તેના ભાવ અનુસાર બહારનું કાર્ય થયું, તથા જીવને સંતોષ ભાવથયો આમાં સુક્ષ્મભાવ બહારનું કાર્ય અને સંતોષભાવ-એ ત્રણે સ્વતંત્ર છે. ઈંભભાવ થયો તેના કારણે બહારનું કાર્ય થયું નથી, બહારનું કાર્ય થયું તેના કારણે સંતોષ થયો નથી, તેમજ જે શુભારાગ થયો તેને લીધે પણ સંતોષ થયો નથી. પહેલાં કાર્ય કરવાની આકુળતારૂપ જે ભવ હોત ત ભાવ ટળી જવાથી ખેતાને સંતોષ થયો માને છે. બહારનું કાર્ય થયું તે તો પરદ્રવ્યના કારણે સ્વમાં થયું છે. એટલે ખરેખર બહારનાં કોઈ કાર્ય જીવને સંતોષનું કારણ નથી. જીવને પોતાના સ્વભાવની દૃષ્ટિ નહિ હોવાથી, એક આકુળતા ભાવથી ખસીને તરત જ બીજો શુભ કે અશુભ ભાવ કરીને આકુળતાનું જ તે વદન કર્યા કરે છે. તેથી સાચો અનાકુળ સંતોષ તેના અનુભવમાં આવતો નથી. શુભ અને અશુભ બંને ભાવો આકુળતારૂપે હોવાથી દુઃખનું કારણ છે. અને તે શુભશુભ ભાવો ખસી જતાં તેનાથી રહિત જે સ્વભાવ છેતે જ આનુકુળતા સ્વરૂપ હોવાથી તેના લો અનાકુળ સંતોષનું વેદન થાય છે. જેને પોતાના અનાકુળ સ્વભાવનું લક્ષ નથી ને જીવ એક આકુળતાભાવને બદલીને તત્ક્ષણ ૫૩ લો નવો આકુળતા ભાવ કરે છે અને દુઃખને જ અનુભવે છે, ક્યારેક સકુળતા થાય ત્યારે તેમાં તો સખિ કલ્પે છે, પણ ખરેખર તે દુઃખ જ છે. પોતાના સ્વભાવના લો જો શુભાશુભ ભાવ લક્ષથી (શ્રદ્ધાથી) ખસી જશે તો તેને સ્વભાવની પ્રતીત અને સમ્યજ્ઞાન થાય તથા સ્વભાવના અનુાકુળ સુખનું અંગોવેદન થાય; ત્યારે તે અનાકુળતા અને આકુળતા વચ્ચેના ભેદને જાણે અને મંદ આકુળતામાં (શુભભાવમાં) પણ તે સુખ ન માને. શરૂઆતમાં જે ત્રણ પ્રકાર જણાવે છે તેમાં (૧) જે શુભ ભાવ છે તે વિકાર છે અને તેનું વેદન દુઃખરૂપ છે. (૨) જે બહારનું કાર્ય છે તેની સાથે જીવનો સંબંધ નથી, અને તેનું વેદન પણ જીવને નથી. ૧૯૧૭ (૩) જે સંતોષભાવ છે તે જો પરલો હોય તો મંદ આકુળતા છે અને ખરેખર તે દુઃખ છે અને જો આત્મસ્વભાવના લો સંતોષભાવ હોય તો તે આકુળતાભાવ છે અને તે જ સાચું સુખ છે. માટે આત્મ સ્વભાવની ઓળખાણ તે જ સુખનો ઉપાય છે. સુખરૂપ :પુણ્ય-પાપના ભાવોથી નિરાળો આત્મસ્વભાવ તે જ સુખરૂપ છે - શાંતિરૂપ છે. શરણરૂપ છે. સુખક્તિ અનાકુળતા જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી સુખશક્તિ. સુખ સંવિત્તિ જ્ઞાન સુખસાધનાભાસ જુઓ સુખના સાધન નથી પણ સુખનાં સાધન હોવાનો આભાસમાત્ર જેમાં થાય છે એવા.) સુખામૃત આત્મસુખ. સુખોચિત સુખ ભોગવવાને યોગ્ય સુગત ઃબુદ્ધને સુગત કહેવામાં આવે છે. સુગત એટલે (૧) શોભનીકતાને પ્રાપ્ત. અથવા (૨) સંપૂર્ણતાને પ્રાપ્ત, શ્રી જિનભગવાન. (૧) મોહ રાગદ્વેષના અભાવને લીધે શોભનીકતાને પ્રાપ્ત થાય છે અને કેવળજ્ઞાનાદિકને પામ્યા હોવાને લીધે સંપૂર્ણતાને પ્રાપ્ત થાય છે. તેથી તેમને અહીં સુગત કહ્યા છે. (૨) સુગતિ :મોક્ષ (૨) મોક્ષગતિ. (૩) સિધ્ધ દશા સુગમ સરળ; સરળતાથી સમજાય તવો; સુલભ; સરળતાથી પ્રાપ્ત થાય તેવો. (૨) સરલ. (૩) સહેલું; સહજ; આસાન; સરળ. સુગુરુ :નિગ્રંથ ગુરુ સુગુરૂ અને ગુરૂ સુગુરૂમાં મિથ્યાત્વાદિ દોષો હોતા નથી પરંતુ ગુરૂમાં હોય છે, વિદ્યાગુરૂ તે સુગુરૂ અને કુગુરૂથી જુદી વ્યક્તિ છે. મોક્ષમાર્ગના પ્રસંગમાં મુક્તિમાર્ગના પ્રદર્શક સુગુરૂથી તાત્પર્ય છે. સુગ્રાદ્ધ ઃસરળતાથી પકડી શકાય તેવું; સરળતાથી સમજી લેવાય તેવું; સુગમ. સુચિરકાળ પર્યંત :ઘણા લાંબાકાળ સુધી
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy