SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1002
Loading...
Download File
Download File
Page Text
________________ નિમિત્ત પામીને પગલો કર્મપણે સ્વયં પરિણમી જાય છે, એકબીજા માંહોમાંહે એક જગ્યાએ વ્યાપીને રહે છે તેને પરસ્પર અવગાહ લક્ષણ સંબંધ કહેવાય છે. જીવના પરિણામનું બાહ્ય નિમિત્ત પામીને કર્મના પુગલો એક જગ્યાએ અવગાહીને રહે છે તો પણ ભાવથી જુદા છે, એક જગ્યાએ રહે છે તેને પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવો સંબંધરૂપ બંધ કહેવાય છે. રજકણો પોતાના સ્વતંત્ર પરિણમનથી એકઠાં થાય છે. (૯) સંસારમાં સંબંધ ત્રણ પ્રકારના છે ૧. બાહ્ય સંબંધ - શરીર, ધન. કુટુમ્બ, ઘર આદિ સાથેનો સંબંધ. ૨. અત્યંતર સંબંધ - મન-વચન,ક્રોધ, માન,માયા,લોભ, રતિ, અરતિ આદિ કષાય, નોકષયા, વેદ વગેરેનો સંબંધ છે, ૩. સૂક્ષ્મ સંબંધ-રાગ, દ્વેષ, અજ્ઞાન એ ભાવકર્મ કે સૂક્ષ્મ સંબંધ છે. (૧૦) શાસ્ત્રમાં ત્રણ પ્રકારના સંબંધ આવે છે એક તાદાભ્ય સિદ્ધ સંબંધ, બીજો સંયોગ સિદ્ધ સંબંધ, ત્રીજો પરસ્પર અવગાહ લક્ષણસિદ્ધ સંબંધ. (૧) જ્ઞાન અને આત્માને તાદાભ્યાસિદ્ધ સંબંધ છે, જેમ અગ્નિ અને ઉષ્ણતાને સંબંધ છે તેમ જ્ઞાન એ આત્માને તાદાભ્ય સિદ્ધ સંબંધ હોવાથી જ્ઞાનક્રિયા નિષેધવામાં આવી નથી. જ્ઞાનક્રિયા જ્ઞાનીઓને સાધક સ્વભાવમાં આવ્યા વિના રહેતી નથી માટે તેની નિષેધી નથી. ક્રોધ, માન, માયા, લોભ વગેરે જે શુભાશુભ પરિણામ થાય છે તે આત્મા સાથે સંયોગસિદ્ધ સંબંધ છે જેનો વિયોગ થાય તેને સંયોગસિદ્ધ સંબંધ કહેવાય છે. જેનો સંયોગ હોય તેનો વિયોગ થાય, ક્રોધાદિ એક સમયમાં નાશ થઈ જાય છે. માટે ક્રોધાદિ આત્મા સાથે ઉત્પાદ-વ્યય સંબંધે છે પણ ધ્રુવ સંબંધ નથી. ધ્રુવ સંબંધ નથી માટે સંયોગ સંબંધ છે પણ સ્વભાવ સંબંધ નથી. જીવના પરિણામનું નિમિત્ત પામીને પુદ્ગલો કર્મપણે સ્વયં પરિણમી જાય છે. એકબીજાની અવસ્થાની યોગ્યતા એવી થાય છે ૧૦૦૨ કે એક બીજા માંહોમાંહે એક જગ્યાએ વ્યાપીને રહે છે તેને પરસ્પર અવગાહ લક્ષણ સંબંધ કહેવાય છે. સંબંધુ સંયુકત સંબંધનું અનુષ્ઠાન :સક્રિય જીવને સંબંધનું અનુષ્ઠાન હોય એમ બને જ નહીં. ક્રિયા છતાં અબંધ ગુણસ્થાનક હોતું નથી. રાગાદિ દોષોનો ક્ષય થવાથી તેમાં સહાયકારી કારણોનો ક્ષય થાય છે. જ્યાં સુધી ક્ષય સંપૂર્ણપણે થતો નથી, ત્યાં સુધી મુમુક્ષુ જીવ સંતોષ માની બેસતા નથી. રાગાદિ દોષ અને તેનાં સહાયકારી કારણોના અભાવે બંધ થતો નથી. રાગાદિના પ્રયોગ કરી કર્મ હોય છે. તેના અભાવે કર્મનો અભાવ સર્વ સ્થળે જાણવો. સંબંધિત :તદાકાર. સંબાધન સંબોહણ સંમતિ સેવા સંધુણાણ સંધૂકણ; સળગાવનાર; અગ્નિ સળગાવનાર પદાર્થ, અગ્નિ ચેતાવનારી વસ્તુ સંયગી વિકારી સંયત ઇન્દ્રિયો અને કષાયોને રોકનારા તે સંયત (૨) સંયમી; શ્રમણ. (૩) આત્મસ્વભાવમાં સ્થિત. (૪) ત્યાગનારો. સંયતન્વરૂપ શ્રમયરૂપ સંયતિ મુનિ. સંયમ દેહ, મન, વાણીનું લક્ષ છોડી આત્મામાં એકાગ્ર થવું તે સંયમ છે. (૨) જિનાગમમાં સંયમના બે ભેદ કરવામાં આવ્યા છે - એક ઈન્દ્રિય સંયમ અને બીજો પ્રાણિયમ સ્પર્શનાદિ ઈન્દ્રિયોની અશુભ પ્રવૃત્તિઓને રોકવી તે ઈન્દ્રિય સંયમ છે અને પ્રાણધારી જીવો પ્રત્યે ઘાતક રૂપે પ્રવૃત્ત ન થવું તેનું નામ પ્રાણિસંયમ છે. આ બન્ને પ્રકારના સંયમ નિર્જરાના હેતુ છે. સંયમના અધિકારીનું અહીં એકજ વિશેષણ આપ્યું અને તે છે આત્મતત્ત્વમાં સ્થિત
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy