SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દની આવી મહાન તાકાતને માનવી એકવાર પિછાની લે તે તેના સંસારમાં સર્જાતા સંઘર્ષો કાયમ માટે શમી જાય શબ્દમાં રૂક્ષતા અને કઠોરતાને દૂર કરી કમળતા અને મધુરતા લાવવા માટે કેશ ગ્રન્થ ઘણું જ ઉપયોગી બને છે. તેમજ સાહિત્ય સર્જન અને સાહિત્ય વાંચનમાં પણ કેશગ્ર ઘણા જ ઉપયેગી પૂરવાર થયા છે. કેશરચના પદ્ધતિ : કેશની રચના અનેક પ્રકારે થતી હોય છે. તેમાંના કેટલાક પ્રકારે નીચે મુજબના છે. ૧. લિંગાનુસારિશબ્દસંગ્રહ : શબ્દ પ્રયોગ વખતે તેને લિંગનું જ્ઞાન પણ અત્યાવશ્યક છે. હર્ષ વર્ધન, વામન આદિ કેશકારેએ પિતાના કેશમાં પુંલિગ/સ્ત્રીલિંગ(નપુંસકલિંગ અને મિશ્રલિંગ શબ્દોને ક્રમશઃ સંગ્રહ કરેલ છે. સુજાતકૃત શબ્દસિંગાથેચન્દ્રિકામાં ક્રમશ: એકલિંગ હિલિંગ ત્રિલિંગ વાળા શબ્દોને સંગ્રહ કરી છે. ૨. વિષયાનુસારિશબ્દસંગ્રહ : આવા કોશમાં કવિને કાવ્યાદિની રચનામાં સરળતા રહે તે માટે તે તે વિષયક શબ્દોને એકી સાથે સંગ્રહ કરી લેવામાં આવે છે. અમરસિંહકૃત અમરકેશ, આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ મ. કૃત અભિધાનચિંતામણિનામમાલા આના ઉદાહરણ છે. ૩. પ્રથમવર્ણાનુસારિશબ્દસંગ્રહ : કાવ્યરચનામાં ક્યારેક અમુક વિશિષ્ટ વર્ણાત્મક શબ્દ ખૂટતે હોય ત્યારે તે શીઘતયા પ્રાપ્ત થાય તે માટે આ કેશોમાં થી શરૂ થતા દરેક શબ્દોને એકી સાથે સંગ્રહ કરાય છે. તેવી જ રીતે – આદિથી શરૂ થતા શબ્દોને સંગ્રહ હોય છે. આચાર્યશ્રી હેમચંદ્રસૂરિમહારાજકૃતદેશી શબ્દસંગ્રહ તેમજ પ્રસ્તુત અભિધાન વ્યુત્પત્તિપ્રક્રિયાકેશને આ સંગ્રહમાં ગણાવી શકાય. ૪. અત્યવર્ણાનુસારીશબ્દસંગ્રહ : ઉપરોક્ત કારણસર આ કોશમાં જ અંતે હોય, ઘ અંતે હોય તેવા શબ્દોને ક્રમશ: સંગ્રહ કરવામાં આવે છે. દિગમ્બર આચાર્ય ધરસેન કુન વિશ્વલેચનકેશ આદિ ગ્રંથ આના દાત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016100
Book TitleAbhidhan Vyutpatti Prakriya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorPurnachandravijay, Munichandravijay, Divyaratnavijay, Mahabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy