SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૨૯:: પૃ. ૫૦ પત્રાંક ૯૪૦ કોને ? તા.૨૮-૧૦-૧૯૦૦ ૧૧૮૦૧ વઢવાણ કેમ્પ હાલનું સુરેન્દ્રનગર, તે સમયે વઢવાણ ગામથી દૂર એકાંતમાં છાવણી ૧૧૮૦૨ કેનો, કેની કોનો, કોની ૧૧૮૦૩ કેટલા ચિત્ ! થોડું કે વધુ એવો અનિશ્ચિત ખ્યાલ આપતું ૧૧૮૦૪ કાયે વ્યવહાર કામકાજ, કામગીરી ૧૧૮૦૫ વખત સમય, કાળ, અવસર ૧૧૮૦૬ હાનિકર્તા નુકસાન કરનાર, ગેરલાભ કરનાર ૧૧૮૦૭ શાંતિ શમન, નિરાંત, નિવૃત્તિ, નીરવતા આ પત્રાંક ૯૪૮ કોને ? તા.૧૪-૧૨-૧૯૦૦ ૧૧૮૦૮ શિવ, મુંબઈ મુંબઇનું એક પરું, સાયન ૧૧૮૦૯ મદનરેખાનો અધિકાર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૯, નમિરાજ ઋષિનાં ચારિત્રની ટીકામાં માલવ પ્રાંતમાં સુદર્શનપુર નગરના રાજા મણિરથ અને નાના ભાઇ યુગબાહુ વચ્ચે એટલી પ્રીતિ કે રાજગાદી પણ નાના ભાઇને સોંપી દીધી. પણ નાના ભાઇની અતિ સૌંદર્યવતી મદનરેખા-મયણરેહામેળવવાની ઇચ્છા ખરી. જંગલમાં નાના ભાઈની તરવારથી હત્યા કરીને અંધારામાં પાછા ફરતા મણિરથનું સર્પદંશથી મરણ થયું. મદનરેખાનો પુત્ર ચંદ્રયશ રાજા થયો. મદનરેખાએ મરતા પતિને ધર્મ સંભળાવીને જંગલમાં આગળ વાટ પકડી. પુત્રજન્મ થયો કે વિદ્યાધર તેને એકલીને વિમાનમાં લઈ ગયો. મોહિત હતો, સંસ્કારી પણ હતો. તરત જ મુનિ થયેલા પિતાના દર્શનાર્થે ગયાં. ૪ જ્ઞાનના ધણી તે મુનિના બોધથી મદનરેખા સાધ્વી બન્યાં. વિદ્યાધરે પણ સમજીને ક્ષમા માગી. પેલી બાજુ નવજાત બાળકનું પાલન મિથિલા નરેશનિઃસંતાન હોઇ પૂરા પ્રેમ કરતા હતા અને રાજા બનાવ્યો. મિથિલાપુરી અને સુદર્શનપુરના રાજા સત્તા માટે યુદ્ધમેદાનમાં આવ્યા ત્યારે સાધ્વી મદનરેખાએ બન્નેને પોતાની ઓળખાણ આપી, સઘળી હકીકત કહી, બન્ને ભાઈ જ છો તેમ જણાવ્યું. બન્ને ભાઇઓ બોધ પામ્યા, પ્રેમથી મળ્યા, મોટા ચંદ્રશે ત્યારે જ દીક્ષા લીધી અને નાના તે નમિ રાજર્ષિ ‘ભાવનાબોધ માં આવે છે તે જ. .સ.૧૭૫૩ માં કવિ હરસેવકે “મયણરેહા રાસ રચ્યો છે. ૧૧૮૧૦ ઋષિભદ્રપુત્રનો “શ્રી ભગવતી સૂત્ર” શતક ૧૧,ઉદ્દેશ ૧૨ માં છે. મહાવીર સ્વામીના સમયમાં અધિકાર આલંભિકા નગરીમાં ઋષિભદ્રપુત્ર નામે મુખ્ય શ્રમણોપાસક થયા. ધર્મચર્ચામાં દેવોનાં જઘન્ય ૧૦ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનાં આયુષ્યની વાત કહી. શ્રાવકોને શંકા થતાં, મહાવીર સ્વામીને પૂછતાં, જવાબ ખરો છે તેમ કહ્યું. દીક્ષા લેવા અસમર્થ પણ શ્રાવકપણું પૂરું કરી દેવલોકગમન થયું. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રે જઈ તે જ ભવે મોક્ષે જશે. પૃ.૫૮ ૧૧૮૧૧ મંડળ વર્તુળ, જૂથ, સમૂહ, સમુદાય ૧૧૮૧૨ શાસ્ત્ર પ્રમાણ શાસ્ત્રજ્ઞાન, શાસ્ત્રની સાબિતી ૧૧૮૧૩ ઉદ્વેગ +વિન્ ખેદ, ખિન્નતા, ગભરાટ, શોક, ક્ષોભ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy