________________
૪૪૫
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૮૭, ઉત્તરાયૂ.પૃ.૫૫, મર. ૪૮૬. ૪. ધણમિત્ત મહાવીરના ચોથા ગણધર વિયત્ત(૧)ના પિતા.'
૧. આવનિ.૬૪૮, વિશેષા.૨૫૦૯. ૫. ધણમિત્ત જુઓ ધણદત(૧).૧
૧. તીર્થો. ૬૦૫. ૧.ધણરખિય (ધનરક્ષિત) રાયગિહનાશેઠ ધણ(૬)ના ચાર પુત્રોમાંનો એક.' તેની પત્નીનું નામ રોહિણિયા હતું.'
૧. જ્ઞાતા. ૬૩. ૨. ધણરખિય ધણ(૧) શેઠના પાંચ દીકરાઓમાંનો એક.'
૧. જ્ઞાતા.૧૩૬. ૧. ધણવઈ (ધનપતિ) કુબેર(૨)નું બીજું નામ.'તે અને વેસમણ(૯) એક છે. જુઓ વિણીયા.
૧. અત્ત.૧, સ્થાઅ.પૃ.૪૩૩. ૨. ધણવઇ વિવાગસુયના બીજા શ્રુતસ્કન્ધનું છઠ્ઠું અધ્યયન."
૧. વિપા.૩૩. ૩. ધણવઈ કણગપુરના રાજા પિયચંદનો પૌત્ર અને રાજકુમારસમણ(૨)નો પુત્ર.'
૧. વિપા.૩૪. ધણવઈ (ધનવતી) ધણ(૭)ની પત્ની. તે રાયમઈનો પૂર્વભવ હતી.'
૧. ઉત્તરાને પૃ.૨૭૮, કલ્પશા.પૃ.૧૬૯, ઉત્તરાક પૃ.૩૮૮. ધણવતિ (ધનપતિ) જુઓ ધણવઇ.'
૧. વિપા.૩૩-૩૪. ધણવસુ (ધનવસુ) ઉજેણી નગરીના શેઠ. તે વેપારધંધાના કામે ચંપા નગરી ગયા
હતા.'
૧. આવયૂ.૨..૧૫૪, આવનિ.૧૨૭૬. ધણવદ (ધનવહ) જુઓ ધણાવહ.
૧. વિશેષા.૧૯૭૭, આવનિ ૫૨૧. ધણસન્મ (ધનશર્મ) ઉજેણી નગરીના શેઠ ધણમિત્ત(૩)નો દીકરો. તેણે પોતાના પિતા સાથે શ્રમણ્ય સ્વીકાર્યું હતું. એક વાર કોઈ સ્થાને જતાં માર્ગમાં તેને ખૂબ તરસ લાગી. પિતૃપ્રેમથી પ્રેરાઈને પિતાએ બાજુમાં વહેતી નદીમાંથી પાણી પી લેવા કહ્યું.' પરંતુ તેણે પાણી પીવાનો ઈન્કાર કરી દીધો અને તે જ સ્થાને તે મરણ પામ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org