SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૭૯ તિગિચ્છિદહ અથવા તિગિછિદ્દહ (તિગિચ્છિદ્રહ) આ અને તિગિછિદ્દહ એક છે. " ૧. સમ. ૧૧૭, જબૂ.૮૩. તિગિચ્છિયફૂડ (તિગિચ્છિકકૂટ) આ અને તિગિચ્છકૂડ(૨) એક છે.' ૧. ભગ.૧૧૬. તિત્તિય (તિત્તિક) એક અણારિય (અનાય) દેશ અને તેના વાસીઓ.' ૧. પ્રશ્ન.૪. તિર્થંકર (તીર્થકર) જુઓ તિર્થીયર. ૧. આવનિ.૭૫, પ્રશ્ન.૨૨. તિર્થીકર (તીર્થકરો જુઓ તિર્થીયર." ૧. ભગ.૫૫૪, સમ.૨૪, આવચૂ.૨.પૃ. ૨૫૮. તિસ્થગર (તીર્થકર) જુઓ તિર્થીયર. ૧. ભગ.૬૭૭, જબૂ.૩૪, નજિ.૧૯, સમ.૧૫૯, આવયૂ.૧,પૃ.૨૩૯. તિર્થીયર (તીર્થકર) જે તીર્થની અર્થાત્ ચતુર્વિધ સંઘની (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર અંગોવાળા સંઘની) સ્થાપના કરે છે અને ઉપદેશને – પવયણને પ્રકાશે છે તે તિર્થીયર છે. તે અર્થતઃ ધર્મનો ઉપદેશ આપે છે અને તેમના ગણધરો તેમના ઉપદેશને સુત્તનું રૂપ આપે છે. તેમની વાણી બધા સમજે છે કારણ કે તે વાણી શ્રોતાઓની પોતપોતાની ભાષામાં સ્વતઃ પરિણત થઈ જાય છે. જે પોતાના પૂર્વભવમાં તીર્થકર નામકર્મ બાંધે છે તે તીર્થકર બને છે. તે ક્ષત્રિય જેવા ઉચ્ચકુળમાં જન્મ લે છે, કદી નીચ કુળમાં જન્મ લેતા નથી. માતા ગર્ભ ધારણ કરે છે ત્યારે તીર્થકરના જન્મનું સૂચન પહેલેથી જ માતાને આવેલાં ચૌદ સ્વપ્નો દ્વારા થઈ જાય છે. તીર્થકરને જન્મસમયે જ ત્રણ પ્રકારનાં જ્ઞાનો (મતિ-શ્રુત-અવધિ) હોય છે. અને જયારે તે શ્રમણ બને છે ત્યારે તેમનામાં ચોથું જ્ઞાન અર્થાત્ મન:પર્યાયજ્ઞાન પ્રગટે છે.’ શરીરરચના, શરીરાકૃતિ, વર્ણ, જ્ઞાન, બળ, નીડરપણું, વીરતા, વગેરે બધી બાબતોમાં તે ચક્કવટ્ટિ, બલદેવ(૨) અને વાસુદેવ(૧)થી પણ ઉત્કૃષ્ટ છે. તે સયંબુદ્ધ(૧) (પોતાની મેળે અર્થાત્ અન્યની અપેક્ષા વિના સ્વયં બોધિ પ્રાપ્ત કરનાર) છે. તે ચોત્રીસ અતિશયોથી (અલૌકિક વસ્તુઓથી) યુક્ત છે. તેમના જીવનનાં ચ્યવન, જન્મ, સંસારત્યાગ (નિષ્ક્રમણ), કેવલજ્ઞાનપ્રાપ્તિ અને નિર્વાણપ્રાપ્તિ ઉજવવા માટે દેવો સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર ઊતરી આવે છે, સ્તુતિ કરે છે, સેવાપૂજા કરે છે, કિંમતી ચીજો અને પુષ્પોની વર્ષા કરે છે, તેમને સ્નાન કરાવવાનો વિધિ (સ્નાત્રવિધિ) કરે છે, શ્રોતૃખંડની (સમોસરણની) રચના કરે છે અને તેમની મહાનતા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy