SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દકોશ પણું. અભવ્યસિદ્ધ : મોક્ષ માટે અપાત્ર જીવ અભાષક : એક ઇન્દ્રિયવાળો જીવ, કેમકે તેને જીભ હોતી નથી. અભિગ્રહિક : અર્થ બરાબર સમજી શકાય એવી ભાષા. એક પ્રકારનું મિથ્યાત્વ. અભિનિવેશિક પોતાની વાત ઉપર લાવવાને સૂત્રના અર્થને મરડી ઉપદેશ કરવો તે. આગ્રહ રાખવો તે. : અમરેન્દ્ર : ઇન્દ્ર. અમારિ : અહિંસા. અમાપિડહ : જીવ ન મારવાનો ઢંઢેરો. અમૂર્ત વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ વગરનું. ૩૩૯ અયશઃ કીર્તિનામ : જેને લીધે જશ કીર્તિ મળતા નથી એવી નામ કર્મની એક પ્રકૃતિ. અયોગીકેવળી : જે અવસ્થામાં શારીરિક, માનસિક અને વાચિક પ્રવૃત્તિનો અભાવ થઈ જાય તેવી આત્મિક સ્થિતિની ચૌદ ભૂમિકામાંની (ગુણસ્થાનક) છેલ્લી. અયોગીકેવળીગુણસ્થાન ઃ મન, વચન ને કાયાના યોગ રહિત કેવળજ્ઞાની જીવની ભૂમિકા જેમાં મન વચન ને શરીરનાં કર્મો છૂટી જાય તે ચૌદમું ગુણસ્થાન. અયોગીપણું : મન, વચન કે કાયાના Jain Education International અરુણ યોગ વિનાની સ્થિતિ, બધાં કર્મો છૂટી ગયાં હોય એવી દશા. અતિ : સંયમમાં ઉદ્વેગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ ને વીર્ય એ પાંચ આચારમાં અચિ. અતિપરિષહ : સાધુના ૨૨ પરિષહ માંહેનો એ નામનો એક, સ્વીકારેલ માર્ગમાં મુશ્કેલીને લીધે કંટાળાનો પ્રસંગ આવે ત્યારે કંટાળો ન લાવતા સમતા રાખવી તે પરિષહ જય. અષ્ટિ : લોકાંતિક દેવ, દેવોના નવ ભેદ માંહેનો એક તેઓ તીર્થંકરને દીક્ષાધર્મ પ્રવર્તવાની વિનંતી કરવા આવે છે. અરિહંત ઃ તીર્થંકર. તે કામ ક્રોધ વગેરે અંતરંગ શત્રુને હણે છે. તીર્થંકર અને સામાન્ય કેવળી એ બન્નેનો અરિહંતમાં સમાવેશ થાય. ગુણે તેમજ પુણ્યાતિશયવાળા તે તીર્થંકર અને ગુણે પૂરા પણ પુણ્યે અધૂરા તે સામાન્ય કેવળી કહેવાય છે. અરિહંતશાસન : જિનઆજ્ઞા, તીર્થંકરની આજ્ઞા, જૈનશાસ્ત્ર. અરિહા : શત્રુને હણનાર. અરિહંત અરુણ : દક્ષિણ દિશામાં વસતા એક જાતના લોકાંતિક દેવ, નંદીશ્વર સમુદ્ર અને અરુણોદયસમુદ્ર વચ્ચેનો ખંડ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy