SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ પરમાત્મા જિહાં એક તિહાં સિદ્ધ અનંત, પય સાકર પરિ મિલઇ એકંત; રૂપી નઇ મિલતાં સાંકડું, રૂપ રહિત નઇ નવિ વાંકડું. જેમ કોઈ વિશાળ ખંડમાં હજાર દીવા મૂકવામાં આવ્યા હોય તો તે બધાના પ્રકાશ એકબીજા સાથે ભળીને સમાય છે. તેની વચ્ચે સંઘર્ષ થતો નથી. વળી એ ખંડમાં બીજા હજાર કે વધુ દીવા મૂકવામાં આવે તો તેનો પ્રકાશ પણ તેમાં અવિરોધથી સમાઈ જાય છે અને દરેક દીવાનો પોતાનો સ્વતંત્ર પ્રકાશ હોય છે. તેવી રીતે સિદ્ધશિલા ઉપર સિદ્ધાત્માઓની અશરીરી અમૂર્ત આત્મજ્યોતિ અવગાહના કે છાયારૂપે ત્યાં સમાઈ જાય છે. જો દૃશ્યમાન, મૂર્ત દીપક પ્રકાશ એક સ્થળે સમાઈ શકે તો અમૂર્ત, અદૃશ્યમાન અવગાહનાની તો વાત જ શી ? જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ‘વિશેષાવશ્યક ભાષ્ય'માં લખે છે : परिमियसेऽणता किधमाता मुत्तिविरहितत्तातो । थम व णाणाइं दिट्ठीओ वेगरूवम्मि | ૭૫ [એક જ દ્રવ્યમાં જો અનંત જ્ઞાન અને અનંત દર્શન રહી શકતાં હોય અને એક જ નર્તકીમાં જો અનેક પ્રેક્ષકોની દૃષ્ટિ સમાઈ શકતી હોય તો પરિમિત ક્ષેત્રમાં અનંત સિદ્ધોના સમાવેશમાં બાધા કેવી રીતે આવી શકે ?] સિદ્ધ ભગવંત સિદ્ધશિલા ઉપર શાશ્વત કાળને માટે બિરાજમાન થાય છે, તો પછી તેમને ક્યાંય જવા આવવાનું નહિ ? કશું કરવાનું નહિ ? એવી રીતે રહેવામાં કંટાળો ન આવે ? આવા નિષ્ક્રિય જીવનની મજા શી ? આવા આવા પ્રશ્નો થવા એ સામાન્ય જિજ્ઞાસુ માણસોને માટે સ્વાભાવિક છે. આપણે જે સુખ અનુભવીએ છીએ તે ઇન્દ્રિયાધીન છે, ઇન્દ્રિયો દ્વારા તે સુખ ચિત્ત અનુભવે છે. એ સુખ પુદ્ગલ પાર્થના સંસર્ગનું છે. એટલે ખાવુ-પીવું, હરવું-ફરવું, ભોગ ભોગવવા વગેરેમાં આપણને સુખ લાગે છે. તેવી જ રીતે તેના અભાવથી આપણને દુઃખનો અનુભવ થાય છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014004
Book TitleJain Sahitya Samaroha Guchha 4
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages155
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy