SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ .. -__________ ળ સાહિત્ય સમારોહ- ૪ કે તેના પંચપરમેષ્ઠી શબ્દ-રૂપ મંત્ર-સ્વરૂપ છે. જ્યારે બીજા બધા મંત્રો તેના અંશરૂપ-દેશરૂપ છે. જેમ જ્ઞાન સ્વરૂપ કહેવાય અને ક્રિયા દેશરૂપ કહેવાય એવું આ મંત્રનું છે. જ્ઞાન પરમાર્થથી અવિનાશી છે, જ્યારે ક્રિયા વિનાશી છે. અવિનાશી સ્વયંભૂ હોય જ્યારે વિનાશી એ અવિનાશીનો આધાર લઈને જ ઉત્પન્ન થાય અને વ્યય થાય ત્યારે તેમાં જ લય પામે. પંચપરમેષ્ઠી મંત્રની સ્તુતિ નીચેના શ્લોકથી કરવામાં આવે છે. અહંન્તો ભગવત્ત ઇન્દ્ર મહિતા: સિદ્ધાચ્ચે સિદ્ધિસ્થિતા; આચાર્યા જિનશાસનોનિકરા: પૂજ્યા ઉપાધ્યાયકા: // શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવર: રત્નત્રયા આરાધના પંચ પરમેષ્ઠીનઃ પ્રતિદિન કુર્વનું વો મંગલમ્ / આ શ્લોકમાં અરિહંત ભગવંતો ઇન્દ્રોને પૂજ્ય છે એમ ઇન્દ્ર મહિતા” શબ્દોથી કહેવાયું છે. તો પછી પ્રશ્ન થાય કે નરેન્દ્ર-નરદેવ એવાં ચક્રવર્તીવાસુદેવ-પ્રતિવાસુદેવ મહિતા એમ કેમ ન કહેવાયું ? એનું કારણ એ છે કે....તીર્થકરને બાદ કરતાં સર્વાધિક પુણ્યના સ્વામી ઇન્દ્ર જેવા ઇન્દ્ર જો અરિહંત ભગવંતની પૂજા અભિષેક, વૃષભનું રૂપ લઈને ય કરતા હોય તો પછી બીજાં એનાથી ઊતરતા પુણ્યશાળીઓ તેમ કરે એમાં નવાઈ શી ? આખું વિશ્વ દ્રવ્ય ભાવાત્મક છે. દ્રવ્ય એટલે પાંચ અસ્તિકાય અને ભાવ એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય. અનાદિકાળથી જીવ માત્ર પોતાના સ્વયંભૂષણાથી, સ્વ-અસ્તિત્વથી, સ્વ-સત્તાથી, વ્યક્તિ રૂપે પોતે પોતાને પ્રાપ્ત છે. પરંતુ સ્વ શુદ્ધ ગુણપર્યાયથી, અપ્રાપ્ત છે. એટલે જૈનદર્શનમાં પહેલાં જીવના શુદ્ધ ગુણપર્યાયનું લક્ષ કરીને નમસ્કાર મહામંત્ર, સામાન્ય પદ રૂપે સ્થાપિત કરેલ છે. આવા શુદ્ધ ગુણપર્યાયને જે પ્રાપ્ત કરે તે વ્યક્તિ પ્રગટ પરમાત્મ સ્વરૂપ વ્યક્તિ છે. એટલે હવે એવી વ્યક્તિના સંશોધનનો પ્રશ્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014004
Book TitleJain Sahitya Samaroha Guchha 4
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages155
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy