SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરૂપ મંત્ર થાય છે અને કદી અભેદ થતાં નથી. કારણ કે ધ્યાન કરનાર ધ્યાતાની જે દશા હોય છે તે જ રહે છે, અને એના માર્ગ દ્વારા પ્રાપ્ત થયેલ વાંછિત પદાર્થ કાયમ રહેતો નથી. તેને યાચકપણું પણ ટળતું નથી. એટલું જ નહિ પણ આપનાર અધિષ્ઠાયક દેવ-દેવીની અવસ્થા સ્થિતિ પણ સાદિ સાન્ત હોય છે. જ્યારે પંચપરમેષ્ઠી મંત્રનાં પદો અવિનાશી છે અને ધ્યાતાને અવિનાશી બનાવી, ધ્યાનથી પર કરી અભેદ થાય છે, સાધનાકાળે ત્રણે ભિન્ન હોવા છતાં સાધ્યપ્રાપ્તિ થયે ત્રણે અભેદ થાય છે. 30 ઉદાહરણ તરીકે, કોઈ દેવદેવીના મંત્રની આરાધના-સાધના કરનાર જો સ્વયં તે દેવ કે દેવીના પદની વાંછના રાખે તો કાંઈ એવું ન બને કે તે દેવ-દેવી પદચ્યુત થઈ એમની ગાદી, એમનું પદ સાધકને આપી દે. ઊલટા તેવી માગણી કરનાર ઉપર તે કોપાયમાન થાય. જ્યારે અરિહંત અને સિદ્ધ પદનો આરાધક અરિહંત અને સિદ્ધ પદની માગણી કરી શકે અને તે પદ સાધકને પ્રાપ્ત પણ થાય. નવપદજીની ઓળીમાં પ્રત્યેક પદના દુહામાં આ જ પ્રકારની માંગ આવે છે. અરિહંત પદ ધ્યાતો થકો, દુવ્વહ ગુણ પજ્જાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. વીર. વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજો ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે. રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હોવે સિદ્ધ ગુણખાણી રે. વીર. ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે, વીર. તપ સજ્જાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે, ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગાતા રે. વીર. અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે નવિ શોચે રે; સાધુ સુધા તે આતમા, શું મુંડે શું લોચે રે. વીર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014004
Book TitleJain Sahitya Samaroha Guchha 4
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages155
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy