SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરૂપ મંત્રા સદાચાર-દુરાચારનો વિવેક કરવો પડશે. એ વિવેક કરવા માટે અજ્ઞાનતા હઠાવવી પડશે અને જ્ઞાન મેળવવું જોઈશે તે માટે કરીને વિનયી બની નમ્રતાપૂર્વક ઉપાધ્યાય-અધ્યાપક (વિદ્યાગુરુ શિક્ષક) પાસે જઈ અધ્યયન કરવું પડશે. અધ્યયન માટે સાધના કરવી પડશે, બાધક મટી સાધક થવું પડશે. દુર્જન-દુષ્ટ મટી સજ્જન-સાધુ થવું પડશે અને અન્ય સાધકની સંગતમાં-સત્સંગમાં સહન કરતાં શીખીને તેમજ સહાયક બનીને અને સહાય લઈને સાધનાપંથે આગળ વધવું પડશે એ માટે જ....... ણમો લોએ સવ્વસાહૂણં' પદથી સાધુ માત્રને અર્થાત્ સર્વ સાધુભગવંતોને નમસ્કાર કરેલ છે અને તેથી જ પોતાના જીવનમાં સાદુરૂપ સાધક અવસ્થાની આવશ્યક્તા એકાંતે ઊભી થાય છે. પરમાત્માની દ્રવ્યપૂજા ઔચિત્ય સહિત, નમ્રતાથી, વિનયપૂર્વક કરવાની છે. ત્યારબાદ જ્ઞાન અને પ્રકાશ વડે ભાવપૂજા કરતાં, મન અને બુદ્ધિ ભાવપૂજામાં પરમાત્માના ચરણે ધરી દેવાના છે. જે મન અને બુદ્ધિ પરમાત્માને અર્થાત્ અરૂપી તત્ત્વને ધર્યાં તેને પાછા રૂપી એવા પર પદાર્થ, વિરુદ્ધ ધર્મી એવાં પુદ્ગલ દ્રવ્ય એટલે કે શરીર, ઇન્દ્રિય આદિને ન ધરાય. સાધુ ભગવંતો તો સદા સર્વદા સતત ભાવપૂજામાં રત હોય છે. સાધુ ભગવંતો પોતાનાં મન અને બુદ્ધિ પરમાત્માને ધરી ચૂક્યા હોય છે, જેથી તેમનાં શરીર ઇન્દ્રિયાદિ પણ મન-બુદ્ધિને આધીન રહી સતત ભાવ પરમાત્મપૂજામાં રત રહે છે અને દુન્યવી તત્ત્વોથી અલિપ્ત રહે છે. આમ સાધુ-ભગવંતો સમગ્રપણે પરમાત્મમય હોય તેઓને પંચ પરમેષ્ઠિ નવકારમંત્રમાં “મો લોએ સવ્વસાહૂણ” પદથી નમસ્કાર કરવામાં આવેલા છે. સાધુ-ભગવંતનું સ્થાન પંચ પરમેષ્ઠિના પાંચમા પદમાં છે. તે જ પ્રમાણે આગળ ઉપર. ણમો ઉવજઝાયાણં પદથી સર્વ ઉપાધ્યાય-ભગવંતોને “મો આયરિયાણં' પદથી સર્વ આચાર્ય-ભગવંતોને, મો સિદ્ધાણં' પદથી સર્વ સિદ્ધ પરમાત્મ-ભગવંતોને અને ણમો અરિહંતાણં' પદથી સર્વ અરિહંત-પરમાત્મ-ભગવંતોને નમસ્કાર કરવામાં આવેલ છે. આ પાંચે પદો અંતઃકરણમાં ભાવરૂપ છે, અંતઃઆંતરિક (Internal) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014004
Book TitleJain Sahitya Samaroha Guchha 4
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages155
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy