SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦. જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ પરિપક્વતા માટે તેમના જીવનનાં ૨૫ વર્ષ અનામત રાખીએ તો તેમની સાહિત્યપ્રવૃત્તિની શરૂઆત સમયે એટલે સં. ૧૬૦૧માં તેમની ઉંમર આશરે ૨૬ વર્ષની ગણી શકાય. અને એ હિસાબે તેમનો જન્મ નયસુંદર પછી અને સમયસુંદર પછી ૨૧ વર્ષે થયેલો ગણાય. હવે રચનાતાલ હોય એવી કવિની ૨૪ કતિઓમાંથી છેલ્લી કૃતિ “રોહણિયા રાસ...સં. ૧૬૮૮(ઈ. સ. ૧૬૩૨)માં રચાયેલી છે. અને ત્યારપછી પણ કવિએ બીજી એકાદ-બે કૃતિઓ રચી હોવાનો સંભવ છે. એટલે તેમની સાહિત્યપ્રવૃત્તિ લગભગ સન ૧૬૩૪ સુધી ચાલુ ગણી તેમનું મૃત્યુ વહેલામાં વહેલું સન ૧૬૩૫ આસપાસ મૂકી શકાય. કવિ ઋષભદાસનો સ્વર્ગવાસ નયસુંદરના સ્વર્ગવાસ પછી અને સમયસુંદરના સ્વર્ગવાસ પહેલાં થયેલો ગણી શકાય. આ ગણતરીએ ચાલીએ તો તેમના જીવનની પૂર્વમર્યાદા ઈ. સ. ૧૫૭પ અને ઉત્તરમર્યાદા ઈ. સ. ૧૬૩પની લેખતાં તેમનો ઓછામાં ઓછો જીવનકાળ ૬૦ વર્ષનો અને કવનકાળ સન ૧૬૦૧થી ૧૬૩૪ સુધીનો એટલે કે ૩૪ વર્ષનો ગણી શકાય. કવિ ઋષભદાસની કૃતિઓમાં ઉચ્ચ પ્રકારની કવિત્વશક્તિ અને વિશિષ્ટ પ્રતિભાનાં દર્શન થાય છે. ઋષભદાસ ગૃહસ્થ કવિ હોઈ તેમની ભાષા સાધુકવિઓની જેમ રૂઢિચુસ્ત નહિ પણ અર્વાચીન જણાય છે. કવિની થોયો, સ્તવનો, સઝાયો વગેરેનો ઉપયોગ આજે પણ જૈન ગૃહસ્થો અને સાધુઓ ભાવપૂર્વક કરે છે એ કવિ ઋષભદાસની લોકપ્રિયતા દર્શાવે છે. આજે લગભગ પોણાચારસો વર્ષ બાદ પણ જૈનો આ સાધુચરિત કવિ ઋષભદાસને ભક્તિપૂર્વક યાદ કરે છે એ જ એમની ઉત્કૃષ્ટ સર્જકશક્તિનો પરિચય કરાવે છે. આમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પોતાનું વિપુલ અને વિશિષ્ટ સાહિત્યપ્રદાન કરનાર કવિ ઋષભદાસ ગૌરવ લેવા જેવા આપણા એક ઉત્તમ સર્જક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014004
Book TitleJain Sahitya Samaroha Guchha 4
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages155
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy