SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ બીજી વ્યાખ્યા છે સાધારણ લોકોમાં બ્રહ્મચર્ય શબ્દનો જે અર્થ જાણીતો છે તે પ્રમાણે ઉપર વર્ણવેલ સંયમનો એક માત્ર અંશ જ છે. તે વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે મૈથુન વિરમણ અર્થાત્ કામસંગનો-કામાચારનો ત્યાગ. બ્રહ્મચર્યની સિદ્ધિ માટે બે માર્ગો છે : પહેલો ક્રિયામાર્ગ અને બીજો જ્ઞાનમાર્ગ. ક્રિયામાર્ગ કામસંસ્કારને ઉત્તેજિત થતો અટકાવી તેના સ્થૂળ વિકારને જીવનમાં પ્રવેશવા દેતો નથી. જ્યારે જ્ઞાનમાર્ગ એ કામસંસ્કારને નિર્મૂળ કરી બ્રહ્મચર્યને સર્વથા અને સર્વદા સ્વાભાવિક કરે છે. અર્થાત્ ક્રિયામાર્ગ તેની નિષેધબાજુ અને જ્ઞાનમાર્ગ એની વિધિબાજુ સિદ્ધ કરે છે; ક્રિયામાર્ગથી બ્રહ્મચર્ય, જૈન પરિભાષામાં કહીએ તો, ઔપમિકભાવે સિદ્ધ થાય છે; જ્યારે જ્ઞાનમાર્ગથી ક્ષાયિકભાવે સિદ્ધ થાય છે. ક્રિયામાર્ગ જ્ઞાનમાર્ગની મહત્ત્વની ભૂમિકા તૈયાર કરે છે એટલે તે માર્ગ વસ્તુતઃ અપૂર્ણ હોવા છતાં પણ, બહુ ઉપયોગી મનાયો છે, અને દરેક સાધક માટે પ્રથમ આવશ્યક હોવાથી તેની પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. ક્રિયામાર્ગ બાહ્ય નિયમો દર્શાવે છે. એ નિયમોનું નામ ગુપ્તિ છે. ગુપ્તિ એટલે રક્ષાનું સાધન અર્થાત્ વાડ. એવી નવ ગુપ્તિઓમાં એક વધુ નિયમ ઉમેરી એમને જ બ્રહ્મચર્યનાં દસ સમાધિસ્થાનક તરીકે વર્ણવવામાં આવ્યા છે. એ નિષેધાત્મક સમાધિસ્થાનોના પાલન માટે જે રીત અખત્યાર કરવામાં આવી છે તે ભારતવર્ષનાં અન્ય દર્શનોમાં પણ પ્રસિદ્ધ અને જૂની છે. એ રીત-રસમ પ્રમાણે સાધક પુરુષને સ્ત્રીજાતિના આકર્ષણથી દૂર રાખવા સ્ત્રીફ્લેવર તરફ પ્રબળ ઘૃણા થાય, સ્ત્રીસ્વભાવમાં દોષ દેખાય અને સ્ત્રીજાતિ મૂળથી જ દોષની ખાણરૂપ છે એવી પ્રતીતિ થાય એવાં વર્ણનો શાસ્ત્રમાં છે. તે ઉપરાંત સમાજભય, રાજભય અને પરલોકભય, કીર્તિ-પ્રતિષ્ઠાની સિદ્ધિ અને દૈવી સુખના પ્રલોભન દ્વારા સાધક બ્રહ્મચર્યને વળગી રહે તે માટે અદ્ભુત વર્ણનો શાસ્ત્રોમાં છે. એક રીતે આ માનસશાસ્ત્રીય/મનોવૈજ્ઞાનિક અભિગમ છે. તેમાં બાધક દોષોની પ્રતિક્રિયાના ચિંતન દ્વારા એને અતિક્રમી જવાનો અભિગમ છે. ૧૨૪ ક્રિયામાર્ગમાં બ્રહ્મચર્યને ગમે તેટલું સ્થૂળ રક્ષણ મળતું હોય તો પણ તેમાં કામસંસ્કાર કાયમ રહેતા હોવાથી અને એમાં ધૃણા, ભય, લોભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014004
Book TitleJain Sahitya Samaroha Guchha 4
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages155
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy