SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ આભારામજીનું પૂજનસાહિત્ય ૨ ૬૯ મામાના પૂજા સમાગ સાથે એક દિરમાં તાલ મૃદંગ બંસરી મહલ વિણ ઉપાંગ ધુનિ મધુરી | ૨ ઉપરોક્ત ઉદાહરણમાં ભક્તિ ભાવનાનું ચિત્તાકર્ષક અને ભાવવાહી નિરૂપણ થયેલું છે–વર્ણાનુપ્રાસની યોજનાથી મધુર પદાવલી બની રહે છે. - સત્તરભેદીની પૂજા નરસિંહની પ્રેમલક્ષણ ભક્તિની સાથે સામ્ય ધરાવે છે. કવિની કવિતા કલાને સારો પરિચય પ્રાપ્ત થાય છે. આત્મારામજી સાચા કવિ તરીકે પ્રગટ થાય છે. સ્નાત્ર પૂજા : કવિના પૂજાસાહિત્યમાં સ્નાત્ર પૂજાની રચના કવિતા અને સંગીત કલાને સુયોગ સાધે છે. સ્નાત્ર પૂજા એ પ્રભુના જન્માભિષેકનું અનુસરણ કરતી રચના છે. દેવોએ મેરૂ પર્વત ઉપર પ્રભુને જન્માભિષેક ઉજવ્યું હતું તેના અનુસરણ રૂપે જિન મંદિરમાં પ્રતિદિન અને મહેસવની વિધિમાં પ્રભુની સ્થાપના કરીને જન્મ મહેસવની ઉજવણી કરવામાં આવે છે. આ પૂજામાં પ્રભુના જન્મ કલ્યાણકનું વિશદ વર્ણન આપવામાં આવ્યું છે. આત્મારામજીની રચના પૂર્વે કવિ દેપાલ, દેવચંદ્રજી, પત્રવિજયજી, વીરવિજયજી વગેરે કવિઓએ સ્નાત્ર પૂજાની રચના કરી છે પૂજાની જોકપ્રિયતાની સાથે સ્નાત્ર પૂજા પણ વિશેષ આદરપૂર્વ શ્રાવક-શ્રાવિકાઓ રા–રાગિણુ યુક્ત વાજિંત્રના સાગથી ભણાવીને ભક્તિરસની રમઝટ જમાવે છે. સ્નાત્ર પૂજા સાથે સામ્ય ધરાવતી અન્ય રચનાઓમાં શ્રી જ્ઞાનવિમલસરિફત શાંતિ જિન કળશ, શ્રી પદ્મવિજયજી કૃત શ્રી અજિતનાથ જિનનાં કળશની રચના થઈ છે. સ્નાત્ર પૂજામાં મુખ્યત્વે પ્રભુના જન્મથી અખિલ વિશ્વમાં આનંદનું વાતાવરણ ફેલાય છે. અને તીર્થંકરના જન્મથી હર્ષઘેલા બનેલા દેવ-દેવીઓ ભારે ઠાઠથી મહોત્સવ ઉજવે છે. તેમાં પ્રભુની માતાને માવેલા ચૌદ સ્વપ્ન, છપન દિફ. કુમારિકાઓ, ચેસઠ, ઈન્દ્રો અને ઈ-દ્વામિએ પ્રભુને ભક્તિભાવપૂર્વક સુગંધ યુક્ત દશાની અને દૂધના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy