SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ લજાશ્રાવકજીવનની લક્ષમણરેખા ૨૪૧ તેઓ વેશ્યાની સાથે એકાંત કેટડીમાં પૂરાય છે તે ખરા, પરંતુ પિતાના ભારે.લજજાના સંસ્કારથી દરેક વખતે તેઓ પતનની છેલ્લી પળે બચી જાય છે જુઓ આત્મકથા ભાગ ૧-૭-૨૧, ૨-૬-૧૦૩ અને ૧-૨૧-૭૩ ગુજરાતી ચૌદમી આવૃત્તિ). પિતાના આ પ્રસંગે અંગે ગાંધીજી આવું સંવેદન નેધે છે: હું વેશ્યાના) મકાનમાં પૂરાયે ખરે, પરંતુ જેને ઈશ્વર ઉગારવા ઈચ્છે તે પડવા ઇરછતો છતાં પવિત્ર રહી શકે છે. સંદર્ભ જોતાં આપણે આમાં ઉમેરણ કરી શકીએ કે, ઈશ્વર વ્યક્તિને લજજાનું કવચ પહેરાવીને બચાવી લે છે. વળી ગાંધીજી લખે છે કે-જેમ ન પડવાને પ્રયત્ન કરતો છતાં મનુષ્ય પડે છે એવું આપણે અનુભવીએ છીએ, તેમ જ પડવા ઇરછત તાં અનેક સંજોગોને કારણે (સંદર્ભ કહી શકીએ કે માત્ર લજજા ને કારણે) મનુષ્ય બચી જાય છે એ પણ અનુભવસિદ્ધ વાત છે. લજજાનું બીજુ સ્વરૂપ લેકનિંદાના ભયથી પ્રેરિત હોય છે. લેકો જાણશે તે મારી નિંદા કરશે એ ભયથી શ્રાવકની લજજાતિ ટકી રહીને, તેને નિંદકાર્યમાં જોડાવા નથી દેતી. તેથી આવી વ્યક્તિ કોઈ ન જુએ તેવી સલામતીની ખાત્રીવાળી તક મળે ત્યારે પતનમાંથી બચી શકતી નથી. સામાન્ય રીતે માણસના જીવનમાં લજાના આચારમાં સંસ્કાર અને લેકનિંદાને ભય બન્ને કામ કરતા હોય છે. આપણું પિતાનાં ભૂતકાળને યાદ કરીએ તો એવા પ્રસંગે યાદ આવી શકે કે તેમાં જે લજજા વચ્ચે ન આવી હોત તો પતનમાગે ગમન થયું હોત. એક કૂડી પાણીથી ભરેલી છે. પાણી શાન્ત જણાય છે, પરંતુ કૂડીના દાદાને-પાટિયાને જે કાઢી લેવામાં આવે છે તે જ શાન્ત પાણે કેટલા જોસ અને ખળભળાટથી બહાર ધસી જશે ? છેલા ટીપા સુધી બહાર નીકળી જશે. સંસ્કારી વ્યક્તિરૂપી કૂડીનું પાટિયું પણ લજજા છે. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy