SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ ન સાહિત્ય સમારોહ-મુછ a અશ્વઈ તે આનંદવિભોર થઈ ગઈ..દોઢતી, હાંફતી ઘેર આવી અને માને વળગી પડી. અધીરા શ્વાસે બોલી...મા..! આજે વિનાયકે મારી સાથે વાત કરી !' પવનવેગે વાત આખા ગામમાં ફેલાઈ જાય છે. ગામવાસીઓ અશ્વઇને સાક્ષાત્ સરસ્વતીને અવતાર જ માને છે. એની શાણું વાણું પ્રેમાદરથી સાંભળે છે. આ ઘટના પછી અવઈની વૈરાગ્યદશા, નિસ્પૃહા, આત્મલગની અને ભક્તિ ઉત્તરોત્તર વધતાં જાય છે... પંદરેક વર્ષની થતાં તો અશ્વઈનું રૂપ સહસ્ત્રકળાએ ખીલી -ઊઠે છે. એના રૂપ અને વિદ્વતાની ચર્ચા પૂરા તમિળ દેશમાં થવા લાગે છે. આસપાસના રાજવીઓ તેમજ શ્રેણીઓ તરફથી અનેક માંગા આવે છે...કવિ પિતા અવઈને પૂછે છે: “આટલા માંગામાંથી તું કહે તેની સાથે તારા લગ્ન લઈએ...” અશ્વથાર કહે છે: “મારે પરણવું જ નથી.' હું સંસાર માંડવા જન્મી નથી. મારે તો માત્ર ભગવાનની ભક્તિ કરવી છે અને કોદ્ધારનું કામ કરવું છે.' કવિ પિતા ઉપર ચારેકોરથી દબાણ આવે છે. “શું દીકરીને કુંવારી રાખવી છે?” “કન્યાદાન વિના તારે જીવ અવગતે જશે.” “છોકરી તે નાદાન છે, તું પણ છોકરમતમાં સરી પડ્યો ?” “દીકરીને સાપની જેમ કેટલા દિવસ સંઘરીશ?” “ક્યાંક તને કાળી ટીલી ન -લાગે...' વગેરે સલાહ, ઉપાલંભ અને ટોણુથી વાજ આવી છેવટે કવિપિતાએ એક રાજાનું રાજકુંવર માટે આવેલું માંગુ સ્વીકાર્યું. (એક મત અનુસાર એક શ્રીમંત શ્રેષ્ઠ પુત્રનું માંગું સ્વીકાર્યું.) લગ્નની તિથિ નક્કી થઈ ગઈ. પૂરા ગામમાં હર્ષોલ્લાસ અને દેહધામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy