SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ “ભરતેશ્વર બાહુબલિરાસ'માંના શકુન અપશુકન . ૧૫ નિદેશે અને ૧૧૧માંના અશ્વનામેના વર્ણન સંદર્ભો “વર્ણકસમુચ્ચય' માંથી પ્રાપ્ત થાય છે. આમ વાઘ, આયુધ, પ્રાસાદ, આભુષણ, ખાદ્યસામગ્રી અને અશ્વ આદિના વર્ણને જે રીતે “ભરતેશ્વર બાહુબલિરાસમાં પ્રવેજાયેલ છે અને સ્પષ્ટ સંદર્ભ–“વર્ણકસમુચ્ચયમાં કડીબદ્ધ રીતે મળે છે. આવા સમુચ્ચય હકીકતે કર્તાઓને કથામાં ઉચિત સ્થાને વિગતના નિરૂપણ માટે ખપમાં લાગતા હોય છે. પરંપરા રૂપે મધ્યકાલીન કૃતિઓમાં આવા વર્ણને સમાનરૂપે દષ્ટિગોચર થતા હે એને અર્થ અનુકરણ થતું નથી, તેમજ તત્કાલીન પરિવેશનું કે સકની સૂક્ષ્મનિરીક્ષણ શક્તિરૂપ નિરૂપણ થતો નથી. હકીકતે આ બધા વનનિરૂપણની પ્રાકૃત-અપભ્રંશા કાળથી એક પરંપરા છે અને એનું અનુકરણ જૂની ગુજરાતીમાં પણ દષ્ટિગોચર થાય છે. ભારતેશ્વર બાહુબલિરાસીને આધારે આ વિગતો દર્શાવી સમગ્ર પરંપરાને વિગતે અભ્યાસ કરવાથી આખું ચિત્ર સ્પષ્ટ થાય, “ભરતેશ્વર બાહુબલિરાયના શકુન, અપશુકન અને કેટલાક વર્ણને સંદર્ભ “રિષ્ટ સમુચ્ચય” તેમજ “વર્ણ સમુચય’માંથી પ્રાપ્ત થાય છે. આ બધી પરંપરાપ્રાપ્ત સામગ્રીને એના કર્તાએ અહીં એવી રીતે એ સ્થાને પ્રયોજી છે કે એ કારણે વાતાવરણનું નિર્માણ થયું. વિષયસામગ્રીને શહેય પરિમાણ પણ પ્રાપ્ત થયું. આમાં કર્તાની સર્જક દષ્ટિ સમાવિષ્ટ છે એમ કહી શકાય. આપણું મધ્યકાલીન કથાકૃતિઓમાંના શકુન અપશુકન અને વર્ણન, નિરૂપણને આ દષ્ટિબિંદુથી વિગતે અભ્યાસ એ જોઈએ. Jain Education International Jain Education International Forro For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy