SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સવ. મોહનલાલ દલીચંદ દેસાઈનું સાહિત્યકાર્ય ૧૫૧ - ઝવડિયાના લેખે ઉતાર્યાનું મેહનભાઈએ લખેલ છે પણ એ લેખે પ્રસિદ્ધ થયાનું જણાતું નથી. યવિજયજીકૃત “ન્યાયાવતાર” અંગ્રેજી પરથી ગુજરાતીમાં મેહનભાઈએ તૈયાર કરેલ છે એ તથા ન્યાયપ્રદીપ” અને “નયકર્ણિકા’ વિશે મનસુખલાલ કીરતચંદ મહેતા પાસેથી ટીકાટિપ્પણું માગેલાં, “ન્યાયાવતાર તો મનસુખભાઈ વિશેષ સ્કુટ કરે તો સહકર્તા તરીકે છપાવવાની તૈયારી મેહનભાઈએ બતાવેલી. પરંતુ આમાંથી “નયકણિકા' જ પ્રસિદ્ધ થયેલ છે. “ન્યાયાવતાર' મૂળ ને અનુવાદ પુસ્તક રૂપે નહી પણ “રા'માં પછીથી પ્રગટ થયેલ. “ગુજરાતના જૈન સંપ્રદાયને ઈતિહાસ' લખવાની ભાવના મેહનભાઈએ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ'ના નિવેદનમાં વ્યક્ત કરેલી છે, પણ એ ભાવના પરિપૂર્ણ થયેલી નથી. કા : સામયિકોમાં મેહનભાઈનાં કાવ્ય પ્રગટ થયેલાં છે. કેટલાંક કાવ્યો “વીરભક્તિ' એ એમના ઉપનામથી પ્રગટ થયેલાં છે ને કેટલાંક અનામી કાબે પણ એમનાં હેવાની શકયતા છે. કેઈ કાવ્ય સંયુક્ત રીતે લખાયેલું પણ મળે છે તથા અનુવાદરૂપ કાવ્ય પણ છે. આ કાવ્ય પ્રાસંગિક છે, ભક્તિનાં છે, બેધાત્મક છે, સામાજિક વિષયનાં (“વિધવા બહેનને આશ્વાસન')ને રાષ્ટ્રિય ભાવનાનાં પણ છે. કયાંક અંગત લાગણી વ્યક્ત થઈ છે (હૃદયની વાત કોણ જાણે', “સ્નેહીનાં સંભારણું). ખાસ ત્રીઓ માટેનાં કાવ્ય પણ મોહનભાઈએ રચેલાં છે. આ કામે એ સમયે કપ્રિય ૧. ત્રિભુવન વીરજી હેમાણું ગુજરાતી તખલ્લુસમાં મોહનભાઈનું એક અન્ય ઉપનામ “એક ગ્રેજ્યુએટ હોવાનું નેધ છે, પરંતુ આ ઉપનામથી જે એક-બે લેખ જોવા મળ્યા તે મોહનભાઈ ન્યુએટ થયા પહેલાંના છે. તો “કાઉન્ટ ઓફ માન્ટેક્રિસ્ટ'ના અનુવાદક એક ગ્રેજ્યુએટ અમદાવાદના છે. આ ઉપનામથી મેહનભાઈનું કઈ લખાણ પ્રાપ્ત થતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy